નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના (RSS) ઉચ્ચ નિર્ણય લેનારી અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની વાર્ષિક બેઠક આગામી 15થી 17 માર્ચ સુધી બેંગ્લુરૂમાં પ્રસ્તાવિત થશે. આ બેઠકમાં દિલ્હીમાં સાંપ્રાદિયક હિંસા અને નવા નાગરિક્તા સંશોધન કાયદા વિરૂદ્ધ પ્રદર્શનના મુદ્દાઓ પર પ્રશ્નો ઉઠવાની આશા છે.
પ્રતિનિધિ સભા RSSના સર્વોચ્ચ નિર્ણય લેવાનું એકમ છે. જે ભવિષ્યની કાર્યવાહીના નિર્ણય લેવા માટે વર્ષમાં એક વાર બેઠક કરે છે.
અધિકારીએ કહ્યું કે, ભાજપ અધ્યક્ષ જે. પી નડ્ડા અને પાર્ટીના મહાસચિવ બીએલ સંતોષે આ મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લે તેવી શક્યતા છે.
વાર્ષિક બેઠકમાં સંઘના પ્રચાર અને સંઘ દ્વારા ન પહોંચાયેલી જગ્યા વિશે ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકમાં સંઘના પ્રચાર અને એકત્રીકરણ માટે યોજના બનાવવી, કેન્દ્રમાં સુધારા અને પ્રશિક્ષણ શિબિરોની સંખ્યા વધારવાને લઇને ચર્ચા પણ કરવામાં આવશે.
રાષ્ટ્ર સેવિકા સમિતિની મહિલા પ્રતિનિધિઓને પણ આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. સંઘે કહ્યું હતું કે, આ ત્રણ દિવસીય બેઠક દરમિયાન સમગ્ર દેશમાં 1400થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રસ્તાવ પણ પાસ કરશે.