ETV Bharat / bharat

આગ્રામાં કોરોના સંક્રમણને લીધે જમાતીનું મોત

author img

By

Published : Apr 18, 2020, 10:36 PM IST

કોરોનાથી સંક્રમિત જમાતીનું શનિવારે એસ.એન. મેડિકલ કોલેજમાં અવસાન થયું હતું. જિલ્લામાં કોરોનાથી 6 મોત થયા છે. જિલ્લા વહીવટી તંત્ર દાવા કરે છે, પરંતુ આગ્રા કોરોના સંક્રમણમાં ટોચ પર છે. હવે એસ.એન. મેડિકલ કોલેજમાં ચેપગ્રસ્ત જમાતીની સારવાર કરી રહેલા ડોક્ટર્સની ટીમનું કહેવું છે કે, જમાતીનું મોત કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું હતું.

death_of_corona_positive_jamati_in_agra
આગ્રામાં કોરોના સંક્રમણને લીધે જમાતીનું મોત

આગ્રા: કોરોનાથી સંક્રમિત જમાતીનું શનિવારે એસ.એન. મેડિકલ કોલેજમાં અવસાન થયું હતું. જિલ્લામાં કોરોનાથી 6 મોત થયા છે. જિલ્લા વહીવટીતંત્ર દાવા કરે છે, પરંતુ આગ્રા કોરોના સંક્રમણમાં ટોચ પર છે. હવે એસ.એન. મેડિકલ કોલેજમાં ચેપગ્રસ્ત જમાતીની સારવાર કરી રહેલા ડોક્ટરોની ટીમનું કહેવું છે કે, જમાતીનું મોત કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું હતું.

આગ્રા પોલીસ તબલીઘી જમાતના લોકોની શોધખોળ કરી રહી હતી. જિલ્લાની અલગ અલગ મસ્જિદોમાં જમાતીઓને ક્વૉરન્ટીન કરવામાં આવ્યાં છે. બધા સેમ્પલ પણ લેવામાં આવ્યાં છે. 65 વર્ષીય અલ્લાનૂર, જે જાફરાબાદનો રહેવાસી છે, તે પણ સામેલ હતો. 5 એપ્રિલ-2020, કોરોના પોઝિટિવ આવ્યા બાદ અલ્લાનૂરને એસ.એન. મેડિકલ કૉલેજના આઈસોલેશન વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઈલાજ દરમિયાન અલ્લાનૂરનું મોત નિપજ્યું હતું.

નોડલ અધિકારી ડૉ. આશિષ ગૌતમે કહ્યું કે, અલ્લાનૂર પહેલેથી જ હ્રદયનો દર્દી હતો અને નિયમિત દવા લેતો હતો. હ્રદયની ગતિ ધીમી થવાને લીધે અલ્લાનૂરનું મોત નિપજ્યું છે.

આગ્રા: કોરોનાથી સંક્રમિત જમાતીનું શનિવારે એસ.એન. મેડિકલ કોલેજમાં અવસાન થયું હતું. જિલ્લામાં કોરોનાથી 6 મોત થયા છે. જિલ્લા વહીવટીતંત્ર દાવા કરે છે, પરંતુ આગ્રા કોરોના સંક્રમણમાં ટોચ પર છે. હવે એસ.એન. મેડિકલ કોલેજમાં ચેપગ્રસ્ત જમાતીની સારવાર કરી રહેલા ડોક્ટરોની ટીમનું કહેવું છે કે, જમાતીનું મોત કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું હતું.

આગ્રા પોલીસ તબલીઘી જમાતના લોકોની શોધખોળ કરી રહી હતી. જિલ્લાની અલગ અલગ મસ્જિદોમાં જમાતીઓને ક્વૉરન્ટીન કરવામાં આવ્યાં છે. બધા સેમ્પલ પણ લેવામાં આવ્યાં છે. 65 વર્ષીય અલ્લાનૂર, જે જાફરાબાદનો રહેવાસી છે, તે પણ સામેલ હતો. 5 એપ્રિલ-2020, કોરોના પોઝિટિવ આવ્યા બાદ અલ્લાનૂરને એસ.એન. મેડિકલ કૉલેજના આઈસોલેશન વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઈલાજ દરમિયાન અલ્લાનૂરનું મોત નિપજ્યું હતું.

નોડલ અધિકારી ડૉ. આશિષ ગૌતમે કહ્યું કે, અલ્લાનૂર પહેલેથી જ હ્રદયનો દર્દી હતો અને નિયમિત દવા લેતો હતો. હ્રદયની ગતિ ધીમી થવાને લીધે અલ્લાનૂરનું મોત નિપજ્યું છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.