ETV Bharat / bharat

કોરોના લડાઈઃ ગૃહ મંત્રાલયે લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહેલા રાજ્યોને આપી ચેતવણી

author img

By

Published : Apr 20, 2020, 7:33 PM IST

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. પંરતુ મુંબઈ, પુના, ઈન્દૌર, જયપુર, કોલકતા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો વિશેષરુપથી પ્રભાવિત થયાં છે. એવામાં કેન્દ્ર સરકારે આ શહેરોમાં વિશેષ પ્રમાણમાં લોકડાઉનનું પાલન થાય તેવી ચેતવણી આપી છે.

Etv Bharat
Amit shah

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. પંરતુ મુંબઈ, પુના, ઈન્દૌર, જયપુર, કોલકતા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો વિશેષરુપથી પ્રભાવિત થયાં છે. એવામાં કેન્દ્ર સરકારે આ શહેરોમાં વિશેષ પ્રમાણમાં લોકડાઉનનું પાલન થાય તેવી ચેતવણી આપી છે.

સોમવારે કેન્દ્ર સરકારે કહ્યું કે, કોવિડ-19ની મુંબઈ, પુના, ઈન્દૌર, જયપુર, કોલકતા અને પશ્ચિમ બંગાળના અમુક વિસ્તારોમાં ગંભીર રીતે અસર થઈ રહી છે. એવામાં લોકડાઉનનું ઉલ્લઘંન કરવાથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થવાનું જોખમ રહે છે.

ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું કે, કોવિડ-19 સામે લડવા માટે કામ કરી રહેલા સ્વાસ્થ્યસેવા, વ્યવસાયિકો પર હિંસા, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવું અને શહેરી વિસ્તારોમાં વાહનોની અવરજવરના અનેક મામલાઓ સામે આવ્યાં છે. જેને રોકવા જોઈએ.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોવિડ 19ને કારણે મૃતકોની સંખ્યા વધીને 543 થઈ છે અને સંક્રમિત લોકોની સંખ્યા 17,265 પર પહોંચી છે.

મંત્રાલયે કહ્યું કે, કેન્દ્ર સરકારે આ શહેરોમાં કોવિડ 19 સંબધી સ્થિતિનું ત્યા જઈ આકલન કરી અને ચાર રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ માટે આવશ્યક નિર્દેશ જાહેર કરવા છ ટીમોની રચના કરી છે.

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. પંરતુ મુંબઈ, પુના, ઈન્દૌર, જયપુર, કોલકતા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો વિશેષરુપથી પ્રભાવિત થયાં છે. એવામાં કેન્દ્ર સરકારે આ શહેરોમાં વિશેષ પ્રમાણમાં લોકડાઉનનું પાલન થાય તેવી ચેતવણી આપી છે.

સોમવારે કેન્દ્ર સરકારે કહ્યું કે, કોવિડ-19ની મુંબઈ, પુના, ઈન્દૌર, જયપુર, કોલકતા અને પશ્ચિમ બંગાળના અમુક વિસ્તારોમાં ગંભીર રીતે અસર થઈ રહી છે. એવામાં લોકડાઉનનું ઉલ્લઘંન કરવાથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થવાનું જોખમ રહે છે.

ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું કે, કોવિડ-19 સામે લડવા માટે કામ કરી રહેલા સ્વાસ્થ્યસેવા, વ્યવસાયિકો પર હિંસા, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવું અને શહેરી વિસ્તારોમાં વાહનોની અવરજવરના અનેક મામલાઓ સામે આવ્યાં છે. જેને રોકવા જોઈએ.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોવિડ 19ને કારણે મૃતકોની સંખ્યા વધીને 543 થઈ છે અને સંક્રમિત લોકોની સંખ્યા 17,265 પર પહોંચી છે.

મંત્રાલયે કહ્યું કે, કેન્દ્ર સરકારે આ શહેરોમાં કોવિડ 19 સંબધી સ્થિતિનું ત્યા જઈ આકલન કરી અને ચાર રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ માટે આવશ્યક નિર્દેશ જાહેર કરવા છ ટીમોની રચના કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.