ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટઃ કુલ મૃત્યુઆંક 24,309 પર પહોંચ્યો, કુલ એક્ટિવ કેસ 3 લાખ 19 હજારથી વધુ

બુધવારે દેશભરમાં કોવિડ-19ના 29,429 કેસ નોંધાયા હતા. કુલ કેસની સંખ્યા 9 લાખ 36 હજારને પાર થઈ ગઈ છે. કુલ મૃત્યુઆંક 24,309 થયો છે. જ્યારે 5,92,031 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

author img

By

Published : Jul 15, 2020, 10:25 PM IST

covid-19-news-from-across-the-nation
ઈન્ડિયા કોરોના અપડેટ

હૈદરાબાદઃ બુધવારે દેશભરમાં કોવિડ-19ના 29,429 કેસ નોંધાયા હતા. કુલ કેસની સંખ્યા 9 લાખ 36 હજારને પાર થઈ ગઈ છે. કુલ મૃત્યુઆંક 24,309 થયો છે. જ્યારે 5,92,031 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

covid-19-news-from-across-the-nation
ઈન્ડિયા કોરોના અપડેટ

દિલ્હી

  • મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં જૂન કરતાં સ્થિતિ સારી છે. પરંતુ કોરોના વિરુદ્ધ લડાઈ ચાલુ રહેશે.
  • દિલ્હી સરકાર તૈયારીઓ ચાલુ રાખશે.
  • દિલ્હી સરકાર દરરોજ 20 હજારથી 23 હજાર કોવિડ-19ના ટેસ્ટ કરે છે.

બિહાર

  • પટનામાં ભાજપા હેડક્વાર્ટર કોરોના હોટસ્પોટ બન્યા બાદ, બિહાર ગવર્નર હાઉસના 20 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે.
  • બિહારમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે.
  • મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું કે, 16 જુલાઈથી 31 જુલાઈ સંપૂર્ણ લોકડાઉન રહેશે.
  • આ પહેલાં પણ બિહારના 38 જિલ્લાઓમાં લોકડાઉન અમલી કરવામાં આવ્યું હતું.

ઉત્તર પ્રદેશ

  • ભાજપા નેતા અને રાજ્યના પૂર્વ નાણાપ્રધાન, રાજેશ અગ્રવાલ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમના પરિવારના 4 સભ્યોને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
  • વર્તમાન સમયમાં રાજેશ અગ્રવાલ ધારાસભ્ય છે.
  • તો બીજી બાજુ, કિઠોરથી ભાજપા ધારાસભ્ય સત્યવીર ત્યાગી કોરોના પોઝિટિવ આવ્યા છે.
  • રાજ્યમાં કોરોનાનો આંકડો 40 હજારની નજીક પહોંચી ગયો છે.

હિમાચલ પ્રદેશ

  • ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલા કામદારો માટે સરકારે એક માર્ગદર્શિકા જાહેર કરી છે.
  • આ માર્ગદર્શિકા અનુસાર, જે પણ કામદારો બીજા રાજ્યમાંથી આવે છે, તેમણે 1 અઠવાડિયા માટે ઈન્સ્ટિટ્યૂશનલ ક્વૉરન્ટીનમાં રહેવું પડશે.
  • કૉન્ટ્રાક્ટર અથવા માલિક કામદારના ઈન્સ્ટિટ્યૂશનલ ક્વૉરન્ટીન માટે જવાબદાર રહેશે.
  • કામદાર ત્યારે જ કામ કરી શકશે જ્યારે તેનો રિપોર્ટ નેગેટિવ આવશે.

ઝારખંડ

  • રાજ્યમાં પ્રથમ વખત કોરોના ચેપના ઈન્ફેક્શનનું પરીક્ષણ કરવા એન્ટિજન ટેસ્ટિંગ કરવામાં આવશે.
  • રાજ્ય સરકારે ICMR પાસેથી 15 હજાર એન્ટિજન ટેસ્ટિંગ કીટની માંગણી કરી છે.
  • આ કીટને સૌથી વધારે ચેપગ્રસ્ત જિલ્લાઓમાં પહોંચાડવામાં આવશે.
  • રાંચી સહિત બીજા 15 જિલ્લાઓમાં એન્ટિજન ટેસ્ટિંગ કીટનો ઉપયોગ કરવામાં આવશે.
  • આ કીટનો ઉપયોગ કર્યા પછી કોરોના ટેસ્ટનું પરિણામ અડધો કલાકમાં આવી જશે.

હૈદરાબાદઃ બુધવારે દેશભરમાં કોવિડ-19ના 29,429 કેસ નોંધાયા હતા. કુલ કેસની સંખ્યા 9 લાખ 36 હજારને પાર થઈ ગઈ છે. કુલ મૃત્યુઆંક 24,309 થયો છે. જ્યારે 5,92,031 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

covid-19-news-from-across-the-nation
ઈન્ડિયા કોરોના અપડેટ

દિલ્હી

  • મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં જૂન કરતાં સ્થિતિ સારી છે. પરંતુ કોરોના વિરુદ્ધ લડાઈ ચાલુ રહેશે.
  • દિલ્હી સરકાર તૈયારીઓ ચાલુ રાખશે.
  • દિલ્હી સરકાર દરરોજ 20 હજારથી 23 હજાર કોવિડ-19ના ટેસ્ટ કરે છે.

બિહાર

  • પટનામાં ભાજપા હેડક્વાર્ટર કોરોના હોટસ્પોટ બન્યા બાદ, બિહાર ગવર્નર હાઉસના 20 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે.
  • બિહારમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે.
  • મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું કે, 16 જુલાઈથી 31 જુલાઈ સંપૂર્ણ લોકડાઉન રહેશે.
  • આ પહેલાં પણ બિહારના 38 જિલ્લાઓમાં લોકડાઉન અમલી કરવામાં આવ્યું હતું.

ઉત્તર પ્રદેશ

  • ભાજપા નેતા અને રાજ્યના પૂર્વ નાણાપ્રધાન, રાજેશ અગ્રવાલ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમના પરિવારના 4 સભ્યોને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
  • વર્તમાન સમયમાં રાજેશ અગ્રવાલ ધારાસભ્ય છે.
  • તો બીજી બાજુ, કિઠોરથી ભાજપા ધારાસભ્ય સત્યવીર ત્યાગી કોરોના પોઝિટિવ આવ્યા છે.
  • રાજ્યમાં કોરોનાનો આંકડો 40 હજારની નજીક પહોંચી ગયો છે.

હિમાચલ પ્રદેશ

  • ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલા કામદારો માટે સરકારે એક માર્ગદર્શિકા જાહેર કરી છે.
  • આ માર્ગદર્શિકા અનુસાર, જે પણ કામદારો બીજા રાજ્યમાંથી આવે છે, તેમણે 1 અઠવાડિયા માટે ઈન્સ્ટિટ્યૂશનલ ક્વૉરન્ટીનમાં રહેવું પડશે.
  • કૉન્ટ્રાક્ટર અથવા માલિક કામદારના ઈન્સ્ટિટ્યૂશનલ ક્વૉરન્ટીન માટે જવાબદાર રહેશે.
  • કામદાર ત્યારે જ કામ કરી શકશે જ્યારે તેનો રિપોર્ટ નેગેટિવ આવશે.

ઝારખંડ

  • રાજ્યમાં પ્રથમ વખત કોરોના ચેપના ઈન્ફેક્શનનું પરીક્ષણ કરવા એન્ટિજન ટેસ્ટિંગ કરવામાં આવશે.
  • રાજ્ય સરકારે ICMR પાસેથી 15 હજાર એન્ટિજન ટેસ્ટિંગ કીટની માંગણી કરી છે.
  • આ કીટને સૌથી વધારે ચેપગ્રસ્ત જિલ્લાઓમાં પહોંચાડવામાં આવશે.
  • રાંચી સહિત બીજા 15 જિલ્લાઓમાં એન્ટિજન ટેસ્ટિંગ કીટનો ઉપયોગ કરવામાં આવશે.
  • આ કીટનો ઉપયોગ કર્યા પછી કોરોના ટેસ્ટનું પરિણામ અડધો કલાકમાં આવી જશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.