ETV Bharat / bharat

ફરીદકોટ: પિતા-પુત્રએ ડોક્ટર્સ સાથે મળીને બનાવ્યું વેન્ટિલેટર, કિંમત માત્ર 50 હજાર - પિતા-પુત્રએ ડોક્ટરો સાથે મળીને વેન્ટિલેટર બનાવ્યું

આખી દુનિયા કોરોના વાઇરસથી ઝઝૂમી રહી છે. વિશ્વના ઘણા દેશો તેની રસી તૈયાર કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આવા સમયે, ભારતમાં એક પિતા-પુત્રએ કેટલાક ડોક્ટર્સની સહાયથી સસ્તું વેન્ટિલેટર બનાવ્યું છે, જે ચેપગ્રસ્ત કોરોના દર્દીઓ માટે એક વરદાન સાબિત થઈ શકે છે.

ફરીદકોટ: પિતા-પુત્રએ ડોક્ટરો સાથે મળીને વેન્ટિલેટર બનાવ્યું, કિંમત માત્ર 50 હજાર
ફરીદકોટ: પિતા-પુત્રએ ડોક્ટરો સાથે મળીને વેન્ટિલેટર બનાવ્યું, કિંમત માત્ર 50 હજાર
author img

By

Published : Apr 20, 2020, 7:47 PM IST

ફરીદકોટ: આખી દુનિયા કોરોના વાઇરસથી ઝઝૂમી રહી છે. વિશ્વના ઘણા દેશો તેની રસી તૈયાર કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આવા સમયે, ભારતમાં એક પિતા-પુત્રએ કેટલાક ડોક્ટર્સની સહાયથી સસ્તું વેન્ટિલેટર બનાવ્યું છે, જે ચેપગ્રસ્ત કોરોના દર્દીઓ માટે એક વરદાન સાબિત થઈ શકે છે.

રતન અગ્રવાલ અને તેના પુત્રએ બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિસના એનેસ્થેસિયા વિભાગના ડોકટરોની મદદથી વેન્ટિલેટર બનાવ્યું છે. આ વેન્ટિલેટરની કિંમત 50,000 રૂપિયાથી ઓછી છે.

નોંધપાત્ર વાત એ છે કે આ પિતા અને પુત્ર વ્યવસાયે એન્જિનિયરો નથી, છતાં મોટા એન્જિનિયરોને પાછળ છોડી તેઓએ આ સિદ્ધિ બતાવી છે. બાબા ફરીદ યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર અને અધ્યાપકોને સફળતાપૂર્વક સોમવારે વેન્ટિલેટર પરીક્ષણ કર્યું હતું. ડોકટરોએ માનવ શરીરની ડમી બનાવી તેની તપાસ કરી.

કુલપતિ પ્રોફેસર રાજ બહાદુરએ જણાવ્યું કે, કોટકાપુરાના રહેવાસી રતન અગ્રવાલ, જે વ્યવસાયે એન્જિનિયર નથી, તેમણે તેમની વિશેષ પ્રતિભા દ્વારા આ વેન્ટિલેટર બનાવ્યું છે. તેમણે કહ્યું કે આ વેન્ટિલેટર યુનિવર્સિટીના એનેસ્થેસિયા વિભાગના ડોકટરોના માર્ગદર્શન અને સહાયથી રતન અને તેના પુત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

પ્રોફેસર રાજ બહાદુરએ જણાવ્યું કે વેન્ટિલેટરમાં અંબુની બેગ લાગેલી છે. તેને દબાણમાં રાખવા માટે કેટલીક સહાયક ઉપકરણો સ્થાપિત કરવામાં આવી છે જેથી તેના દબાણમાં જરૂરિયાત મુજબ વધારો અથવા ઘટાડો કરી શકાય.તેમણે કહ્યું કે કોઈ પણ ઇમરજન્સીમાં જો કોઈને વેન્ટિલેટરની જરૂર હોય તો આ વેન્ટિલેટર તેના માટે મદદગાર સાબિત થશે. પ્રોફેસરે કહ્યું કે આ વેન્ટિલેટરનું નામ બાબા ફરીદ યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે.

આ વેન્ટિલેટર બનાવનાર રતનને કહ્યું કે તેણે કોરોના વાઇરસ સામે લડતા કોરોના યોદ્ધાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે. જો તેમને ક્યારેય ચેપ લાગે છે અને જો તેમને જરૂર પડે, તો આ સસ્તી વેન્ટિલેટર તેમના જીવનને બચાવવામાં મદદગાર સાબિત થશે.

ફરીદકોટ: આખી દુનિયા કોરોના વાઇરસથી ઝઝૂમી રહી છે. વિશ્વના ઘણા દેશો તેની રસી તૈયાર કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આવા સમયે, ભારતમાં એક પિતા-પુત્રએ કેટલાક ડોક્ટર્સની સહાયથી સસ્તું વેન્ટિલેટર બનાવ્યું છે, જે ચેપગ્રસ્ત કોરોના દર્દીઓ માટે એક વરદાન સાબિત થઈ શકે છે.

રતન અગ્રવાલ અને તેના પુત્રએ બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિસના એનેસ્થેસિયા વિભાગના ડોકટરોની મદદથી વેન્ટિલેટર બનાવ્યું છે. આ વેન્ટિલેટરની કિંમત 50,000 રૂપિયાથી ઓછી છે.

નોંધપાત્ર વાત એ છે કે આ પિતા અને પુત્ર વ્યવસાયે એન્જિનિયરો નથી, છતાં મોટા એન્જિનિયરોને પાછળ છોડી તેઓએ આ સિદ્ધિ બતાવી છે. બાબા ફરીદ યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર અને અધ્યાપકોને સફળતાપૂર્વક સોમવારે વેન્ટિલેટર પરીક્ષણ કર્યું હતું. ડોકટરોએ માનવ શરીરની ડમી બનાવી તેની તપાસ કરી.

કુલપતિ પ્રોફેસર રાજ બહાદુરએ જણાવ્યું કે, કોટકાપુરાના રહેવાસી રતન અગ્રવાલ, જે વ્યવસાયે એન્જિનિયર નથી, તેમણે તેમની વિશેષ પ્રતિભા દ્વારા આ વેન્ટિલેટર બનાવ્યું છે. તેમણે કહ્યું કે આ વેન્ટિલેટર યુનિવર્સિટીના એનેસ્થેસિયા વિભાગના ડોકટરોના માર્ગદર્શન અને સહાયથી રતન અને તેના પુત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

પ્રોફેસર રાજ બહાદુરએ જણાવ્યું કે વેન્ટિલેટરમાં અંબુની બેગ લાગેલી છે. તેને દબાણમાં રાખવા માટે કેટલીક સહાયક ઉપકરણો સ્થાપિત કરવામાં આવી છે જેથી તેના દબાણમાં જરૂરિયાત મુજબ વધારો અથવા ઘટાડો કરી શકાય.તેમણે કહ્યું કે કોઈ પણ ઇમરજન્સીમાં જો કોઈને વેન્ટિલેટરની જરૂર હોય તો આ વેન્ટિલેટર તેના માટે મદદગાર સાબિત થશે. પ્રોફેસરે કહ્યું કે આ વેન્ટિલેટરનું નામ બાબા ફરીદ યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે.

આ વેન્ટિલેટર બનાવનાર રતનને કહ્યું કે તેણે કોરોના વાઇરસ સામે લડતા કોરોના યોદ્ધાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે. જો તેમને ક્યારેય ચેપ લાગે છે અને જો તેમને જરૂર પડે, તો આ સસ્તી વેન્ટિલેટર તેમના જીવનને બચાવવામાં મદદગાર સાબિત થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.