નવી દિલ્હી: દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. આ સંક્રમણથી દેશમાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 29 હજાર 435 થઇ ગયો છે. તેમજ આ મહામારીમાં કુલ 934 લોકોના મોત થયાં છે.
સોમવારે કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું કે, કોરોના સંક્રમિતોમાં 6,869 લોકો સ્વસ્થ થઇ ગયા છે. તેમજ 21,635 લોકોની સારવાર ચાલુ છે.
મંત્રાલયના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં 342 લોકોના મોત થયાં છે. જ્યારે મઘ્યપ્રદેશમાં 106, દિલ્હીમાં 54, ગુજરાતમાં 162, તેલંગણામાં 26, પંજાબમાં 18, તમિલનાડુમાં 24, કર્ણાટકમાં 20, આંધ પ્રદેશમાં 31, પ્રશ્વિમ બંગાળમાં 20, ઉતર પ્રદેશમાં 31, જમ્મુ કાશ્મીરમાં 6, હરિયાણામાં 3, રાજસ્થાનમાં 41, ઝારખંડમાં 3, બિહારમાં 2, હિમાચલ પ્રદેશમાં 1, ઓડિશામાં 1 જ્યારે અસમમાં 1નું મોત કોરોના સંક્રમણના કારણે થયાં છે.