ETV Bharat / bharat

જેલનો અર્થ ગુનેગારની સજા આપવાનો છે, ના કે સમાજને સંદેશ આપવાનોઃ દિલ્હી હાઈકોર્ટ

author img

By

Published : Jun 1, 2020, 11:25 PM IST

દિલ્હી હિંસા કેસમાં આરોપીને જામીન આપતી વખતે દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે, આરોપીના જામીનને એવી રીતે નકારી ન શકાય કે, આરોપીને જેલમાં રાખી સમાજને સંદેશો આપવો છે. જસ્ટિસ અનુપ જયરામ ભંભાનીની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન સુનાવણી કર્યા પછી આ આદેશ આપ્યો હતો.

High court
દિલ્હી હાઈકોર્ટ

નવી દિલ્હી: દિલ્હી હિંસા કેસમાં આરોપીને જામીન આપતી વખતે દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે, આરોપીના જામીનને એવી રીતે નકારી ન શકાય કે, આરોપીને જેલમાં રાખી સમાજને સંદેશો આપવો છે. જસ્ટિસ અનુપ જયરામ ભંભાનીની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન સુનાવણી કર્યા પછી આ આદેશ આપ્યો હતો.

કોર્ટે કહ્યું હતું કે, જેલનો અર્થ ગુનેગારની સજા આપવાનો છે, ના કે સમાજને સંદેશ આપવાનો. કોર્ટે કહ્યું કે, અદાલતનું કામ કાયદા પ્રમાણે ન્યાય કરવો અને સમાજને સંદેશ ન આપવો તે છે. તે એક એવી લાગણી છે, જે અંતર્ગત રાજ્ય માંગ કરે છે કે, કેદીઓને કોઈપણ હેતુ વિના જેલમાં રાખવામાં આવે છે, જે જેલોમાં ભીડ વધારશે. બીજી તરફ જો અન્ડરડ્રિઅલ કેદીને આ અનિવાર્ય વિચારસરણી સાથે રાખવામાં આવે તો, તેને લાગશે કે તેના કેસોની સુનાવણી પૂર્ણ થાય તે પહેલાં તેને સજા આપવામાં આવી છે અને સિસ્ટમ તેની સાથે ગેરવર્તન કરી રહી છે.

આ અરજી ફિરોઝ ખાને કરી હતી. જેને દિલ્હીના રમખાણોના કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. ફિરોઝ ખાન વતી વરિષ્ઠ સલાહકાર રેબેકા જ્હોને જણાવ્યું હતું કે, આ કેસમાં ફરિયાદી શાહનવાઝના પૂરક નિવેદનને આધારે છે. આ નિવેદનમાં ક્યાય પણ ફિરોઝને ગુનામાં જોડ્યો નથી. રેબેકા જ્હોને જણાવ્યું હતું કે, ફિરોઝને ઓળખવા માટે ફરિયાદી દ્વારા કોઈ ઓળખ પરેડ યોજવામાં આવી નથી.

નવી દિલ્હી: દિલ્હી હિંસા કેસમાં આરોપીને જામીન આપતી વખતે દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે, આરોપીના જામીનને એવી રીતે નકારી ન શકાય કે, આરોપીને જેલમાં રાખી સમાજને સંદેશો આપવો છે. જસ્ટિસ અનુપ જયરામ ભંભાનીની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન સુનાવણી કર્યા પછી આ આદેશ આપ્યો હતો.

કોર્ટે કહ્યું હતું કે, જેલનો અર્થ ગુનેગારની સજા આપવાનો છે, ના કે સમાજને સંદેશ આપવાનો. કોર્ટે કહ્યું કે, અદાલતનું કામ કાયદા પ્રમાણે ન્યાય કરવો અને સમાજને સંદેશ ન આપવો તે છે. તે એક એવી લાગણી છે, જે અંતર્ગત રાજ્ય માંગ કરે છે કે, કેદીઓને કોઈપણ હેતુ વિના જેલમાં રાખવામાં આવે છે, જે જેલોમાં ભીડ વધારશે. બીજી તરફ જો અન્ડરડ્રિઅલ કેદીને આ અનિવાર્ય વિચારસરણી સાથે રાખવામાં આવે તો, તેને લાગશે કે તેના કેસોની સુનાવણી પૂર્ણ થાય તે પહેલાં તેને સજા આપવામાં આવી છે અને સિસ્ટમ તેની સાથે ગેરવર્તન કરી રહી છે.

આ અરજી ફિરોઝ ખાને કરી હતી. જેને દિલ્હીના રમખાણોના કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. ફિરોઝ ખાન વતી વરિષ્ઠ સલાહકાર રેબેકા જ્હોને જણાવ્યું હતું કે, આ કેસમાં ફરિયાદી શાહનવાઝના પૂરક નિવેદનને આધારે છે. આ નિવેદનમાં ક્યાય પણ ફિરોઝને ગુનામાં જોડ્યો નથી. રેબેકા જ્હોને જણાવ્યું હતું કે, ફિરોઝને ઓળખવા માટે ફરિયાદી દ્વારા કોઈ ઓળખ પરેડ યોજવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.