ETV Bharat / bharat

કોરોનાનો ખતરોઃ સરકારે બાયો-મેટ્રિક હાજરીનો ઉપયોગ ન કરવા ખાનગી કંપનીઓને કર્યું સૂચન

ભારતમાં કોરોના વાયરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને સરકારે ખાનગી કંપનીઓને બાયો-મેટ્રિક હાજરીનો ઉપયોગ ન કરવા સૂચન કર્યું છે. જો કે,સરકારે બાયો-મેટ્રિકની જગ્યાએ રજીસ્ટરનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

author img

By

Published : Mar 6, 2020, 10:08 PM IST

Citing coronavirus threat, govt exempts employees from marking biometric attendance
સરકારે ખાનગી કંપનીઓને બાયો-મેટ્રિક હાજરીનો ઉપયોગ ન સુચન કર્યું

નવી દિલ્હીઃ કોરોના વાયરસ દેશમાં પોતાનો કહેર ફેલાવાનું ચાલુ કરી દીધો છે. દેશમાં કુલ 31 લોકોને કોરોનાએ પોતાના ચપેટમાં લીધા છે. આ બાબતને ગંભીરતાથી લઈ સરકારે જનહિતમાં ઘણા પગલાં લીધા છે. સરકારે સ્પષ્ટપણે સુચન કરતા જણાવ્યું છે કે, દરેક કચેરી, વિભાગ અને ખાનગી કંપનીઓમાં બાયો-મેટ્રિક હાજરીનો ઉપયોગ ન કરવા સૂચન કર્યું છે. આ બાયો-મેટ્રિક હાજરીની જગ્યાએ પરંપરાગત રીતે રજીસ્ટરનો ઉપયોગ કરવાની સલાહ પણ આપી છે.

ઉલ્લેખનીય છે કે,ગુરૂવારે પૂર્વ દિલ્હી સરકારે વિભાગીય વડા,ખાનગી સંસ્થા અને નગર નિગમોએ કોરોના વાયરસના ફેલાવાની આશંકાને કારણે બાયો-મેટ્રિક હાજરીની સિસ્ટમનો ઉપયોગ ન કરવાનું સુચન કર્યું છે. કોરોના વાયરસ ફેલાવાના ભયને ધ્યાને રાખીને ખાનગી સંસ્થાઓ અને નગર નિગમોનો પત્ર લખી આ અંગે જાણકારી આપવામાં આવી છે.

મુઘલ ગાર્ડન 7 માર્ચથી જનતા માટે બંદ

કોરોના વાયરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ભવનમાં મુઘલ ગાર્ડન 7 માર્ચથી સામાન્ય જનતાના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા કરાયેલી જાહેરાત મુજબ, નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ના ફેલાવાને ધ્યાનમાં રાખીને મુઘલ ગાર્ડન 7 માર્ચથી સામાન્ય જનતા માટે બંધ કરવામાં આવશે. આ નિર્ણય સાર્વજનિક સ્થળોએ લોકો એકઠાં ન થાય તે માટે લેવામાં આવ્યો છે.

દિલ્હીમાં 31 માર્ચ સુધી પ્રાથમિક શાળામાં રજા અપાઈ

કોરોના વાયરસના વધતા જતા ફેલાવાને ધ્યાને રાખી દિલ્હી સરકારે રાષ્ટ્રય રાજધાનીમાં દરેક પ્રથમિક શાળામાં 31 માર્ચ સુધી રજાઓ આપવામાં આવી છે. હાલમાં જ કોરોના અસરગ્રસ્ત paytm કર્મચારી સાથે સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ દેશમાં પોતાનો કહેર ફેલાવાનું ચાલુ કરી દીધો છે. દેશમાં કુલ 31 લોકોને કોરોનાએ પોતાના ચપેટમાં લીધા છે. આ બાબતને ગંભીરતાથી લઈ સરકારે જનહિતમાં ઘણા પગલાં લીધા છે. સરકારે સ્પષ્ટપણે સુચન કરતા જણાવ્યું છે કે, દરેક કચેરી, વિભાગ અને ખાનગી કંપનીઓમાં બાયો-મેટ્રિક હાજરીનો ઉપયોગ ન કરવા સૂચન કર્યું છે. આ બાયો-મેટ્રિક હાજરીની જગ્યાએ પરંપરાગત રીતે રજીસ્ટરનો ઉપયોગ કરવાની સલાહ પણ આપી છે.

ઉલ્લેખનીય છે કે,ગુરૂવારે પૂર્વ દિલ્હી સરકારે વિભાગીય વડા,ખાનગી સંસ્થા અને નગર નિગમોએ કોરોના વાયરસના ફેલાવાની આશંકાને કારણે બાયો-મેટ્રિક હાજરીની સિસ્ટમનો ઉપયોગ ન કરવાનું સુચન કર્યું છે. કોરોના વાયરસ ફેલાવાના ભયને ધ્યાને રાખીને ખાનગી સંસ્થાઓ અને નગર નિગમોનો પત્ર લખી આ અંગે જાણકારી આપવામાં આવી છે.

મુઘલ ગાર્ડન 7 માર્ચથી જનતા માટે બંદ

કોરોના વાયરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ભવનમાં મુઘલ ગાર્ડન 7 માર્ચથી સામાન્ય જનતાના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા કરાયેલી જાહેરાત મુજબ, નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ના ફેલાવાને ધ્યાનમાં રાખીને મુઘલ ગાર્ડન 7 માર્ચથી સામાન્ય જનતા માટે બંધ કરવામાં આવશે. આ નિર્ણય સાર્વજનિક સ્થળોએ લોકો એકઠાં ન થાય તે માટે લેવામાં આવ્યો છે.

દિલ્હીમાં 31 માર્ચ સુધી પ્રાથમિક શાળામાં રજા અપાઈ

કોરોના વાયરસના વધતા જતા ફેલાવાને ધ્યાને રાખી દિલ્હી સરકારે રાષ્ટ્રય રાજધાનીમાં દરેક પ્રથમિક શાળામાં 31 માર્ચ સુધી રજાઓ આપવામાં આવી છે. હાલમાં જ કોરોના અસરગ્રસ્ત paytm કર્મચારી સાથે સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.