ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી ચીનના દાવાનું સમર્થન કરી રહ્યા છે : રાહુલ ગાંધી

author img

By

Published : Jun 23, 2020, 9:28 PM IST

લદ્દાખમાં LAC પર ચીન સાથે ભારતની હિંસક અથડામણ બાદથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત્ત મોદી સરકારની નીતિ પર સવાલ ઉભા કરી રહ્યા છે.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

નવી દિલ્હી : રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના દાવાઓનો સમર્થન કરી રહ્યા છે. આપણી સેનાની સાથે તેઓ ક્યારે ઉભા થશે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, 'ચીને અમારી જમીન લીધી છે. ભારત તેને પાછું મેળવવા માટે ચર્ચા કરી રહ્યો છે. ચીન કહી રહ્યું છે કે, આ ભારતની ભૂમિ નથી....તો વડા પ્રધાને જાહેરમાં ચીનના દાવાને સમર્થન આપ્યું છે. વડાપ્રધાન શા માટે ચીનનું સમર્થન કરી રહ્યા છે અને ભારતીય સૈનિકોનો સમર્થન શા માટે નથી કરી રહ્યાં?

ગયા અઠવાડિયે લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જે બાદ આ સ્થિતિ અંગે ચર્ચા કરવા કોંગ્રેસે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની મહત્વપૂર્ણ બેઠક બોલાવામાં આવી હતી. બેઠકમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમારી જમીન પર ચીને કબ્જો કરી લીધો છે.

કોંગ્રેસે કહ્યું કે, ચીને અમારા ભાગમાં માળખું બનાવવાનું પ્રયાસ કર્યું છે. વડાપ્રધાનના શબ્દોથી ચીનને વધારે વેગ મળ્યો છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિમાં કેન્દ્ર સરકારને 5 પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા.

કોંગ્રેસે પૂછ્યું હતું કે, એપ્રિલ-મે 2020થી ચીનની સેનાએ ગલવાન ખીણ અને પેંગોંગ ત્સો તળાવમાં કેટલી વખત અમારી જમીનમાં ઘુસણખોરી કરી છે અને ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો છે.ત્યારે વડા પ્રધાને સર્વપક્ષીય બેઠકમાં કેમ કહ્યું કે, "અમારી જમીન પર કોઈએ ઘુસણખોરી કરી નથી."

કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ચીનના ગતિરોધને લઇ વડાપ્રધાનનું નિવેદન કંઈક અલગ છે અને વિદેશ મંત્રાલયનું નિવેદન કંઇક અલગ છે. વડા પ્રધાને કહ્યું કે, ચીને ઘુસણખોરી કરી નથી.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, મે મહિનાથી કોંગ્રેસએ ચીનના આક્રમણ સામે આપણી પ્રાદેશિક અખંડિતતાની સુરક્ષા અને બચાવનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ તેના જવાબમાં, સરકારે ગેરમાર્ગે દોરવાની અને મૂંઝવણની નીતિ અપનાવી હતી.

નવી દિલ્હી : રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના દાવાઓનો સમર્થન કરી રહ્યા છે. આપણી સેનાની સાથે તેઓ ક્યારે ઉભા થશે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, 'ચીને અમારી જમીન લીધી છે. ભારત તેને પાછું મેળવવા માટે ચર્ચા કરી રહ્યો છે. ચીન કહી રહ્યું છે કે, આ ભારતની ભૂમિ નથી....તો વડા પ્રધાને જાહેરમાં ચીનના દાવાને સમર્થન આપ્યું છે. વડાપ્રધાન શા માટે ચીનનું સમર્થન કરી રહ્યા છે અને ભારતીય સૈનિકોનો સમર્થન શા માટે નથી કરી રહ્યાં?

ગયા અઠવાડિયે લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જે બાદ આ સ્થિતિ અંગે ચર્ચા કરવા કોંગ્રેસે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની મહત્વપૂર્ણ બેઠક બોલાવામાં આવી હતી. બેઠકમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમારી જમીન પર ચીને કબ્જો કરી લીધો છે.

કોંગ્રેસે કહ્યું કે, ચીને અમારા ભાગમાં માળખું બનાવવાનું પ્રયાસ કર્યું છે. વડાપ્રધાનના શબ્દોથી ચીનને વધારે વેગ મળ્યો છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિમાં કેન્દ્ર સરકારને 5 પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા.

કોંગ્રેસે પૂછ્યું હતું કે, એપ્રિલ-મે 2020થી ચીનની સેનાએ ગલવાન ખીણ અને પેંગોંગ ત્સો તળાવમાં કેટલી વખત અમારી જમીનમાં ઘુસણખોરી કરી છે અને ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો છે.ત્યારે વડા પ્રધાને સર્વપક્ષીય બેઠકમાં કેમ કહ્યું કે, "અમારી જમીન પર કોઈએ ઘુસણખોરી કરી નથી."

કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ચીનના ગતિરોધને લઇ વડાપ્રધાનનું નિવેદન કંઈક અલગ છે અને વિદેશ મંત્રાલયનું નિવેદન કંઇક અલગ છે. વડા પ્રધાને કહ્યું કે, ચીને ઘુસણખોરી કરી નથી.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, મે મહિનાથી કોંગ્રેસએ ચીનના આક્રમણ સામે આપણી પ્રાદેશિક અખંડિતતાની સુરક્ષા અને બચાવનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ તેના જવાબમાં, સરકારે ગેરમાર્ગે દોરવાની અને મૂંઝવણની નીતિ અપનાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.