ETV Bharat / bharat

યોગી સરકારનું મજૂરોની સમસ્યાઓના નિરાકરણ માટે મોટુ પગલું, રેલવે મંત્રાલયને ટ્રેનની સંખ્યા બમણી કરવાની મંજૂરી

author img

By

Published : May 18, 2020, 11:16 PM IST

લોકડાઉન દરમિયાન અન્ય રાજ્યોમાં ફસાયેલા ઉત્તર પ્રદેશના મજૂરોને લાવવા યોગી સરકારે રેલવે મંત્રાલયને ટ્રેનની સંખ્યા બમણી કરવાની મંજૂરી આપી દીધી છે.

યોગી
યોગી

લખનઉ: યોગી સરકારે મજૂરોની સમસ્યાઓના નિરાકરણ માટે એક મોટું પગલું ભર્યું છે. આ યોજના કેન્દ્રની સાથે મળીને સીએમ યોગીએ બનાવી છે.

લોકડાઉન દરમિયાન અન્ય રાજ્યોમાં ફસાયેલા ઉત્તર પ્રદેશના મજૂરોને લાવવા યોગી સરકારે રેલવે મંત્રાલયને ટ્રેનની સંખ્યા બમણી કરવાની મંજૂરી આપી દીધી છે. હમણાં સુધી, ઉત્તર પ્રદેશ આવતા ટ્રેનોની સંખ્યા હવે બીજા રાજ્યોથી બમણી આવશે.

સીએમ યોગીએ મહત્તમ સંખ્યામાં મજૂરો લાવવા આ પગલું ભર્યું છે. સીએમ યોગીના આ પગલાની રેલવે પ્રધાન પિયુષ ગોયલે પ્રશંસા કરી છે.

છેલ્લા ઘણા દિવસોથી મજૂરોના પરત ફરવા માટે સરકાર ઉપર ચારે તરફથી હુમલાઓ થઇ રહ્યા હતા. મજૂરો અકસ્માતમાં મરી રહ્યા હતા. ઓરૈયા માર્ગ અકસ્માતમાં બે ડઝનથી વધુ મજૂરોના મોત બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકારને તેમના ખર્ચે બસ ચલાવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. યોગી સરકારે કોંગ્રેસના આ પ્રસ્તાવને સ્વીકાર્યો.

તેના થોડા કલાકો પછી રેલવે પ્રધાન પિયુષ ગોયલે સીએમ યોગી સાથે વાત કરી હતી. યુપીમાં વધુ ટ્રેનો લાવવા કેન્દ્ર અને રાજ્યની યોગી સરકાર વચ્ચે સર્વસંમતિ થઈ છે.

સીએમ યોગી સાથે વાતચીત બાદ રેલવે પ્રધાન પિયુષ ગોયલે ટ્વીટ કર્યું હતું કે, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે સ્થળાંતર કરનારા મજૂરો વિશે ચર્ચા થઈ છે અને મને ખુશી છે કે તેમણે રાજ્ય માટે શ્રમિક વિશેષ ટ્રેનોની સંખ્યા બમણા કરવાની મંજૂરી આપી છે.

લખનઉ: યોગી સરકારે મજૂરોની સમસ્યાઓના નિરાકરણ માટે એક મોટું પગલું ભર્યું છે. આ યોજના કેન્દ્રની સાથે મળીને સીએમ યોગીએ બનાવી છે.

લોકડાઉન દરમિયાન અન્ય રાજ્યોમાં ફસાયેલા ઉત્તર પ્રદેશના મજૂરોને લાવવા યોગી સરકારે રેલવે મંત્રાલયને ટ્રેનની સંખ્યા બમણી કરવાની મંજૂરી આપી દીધી છે. હમણાં સુધી, ઉત્તર પ્રદેશ આવતા ટ્રેનોની સંખ્યા હવે બીજા રાજ્યોથી બમણી આવશે.

સીએમ યોગીએ મહત્તમ સંખ્યામાં મજૂરો લાવવા આ પગલું ભર્યું છે. સીએમ યોગીના આ પગલાની રેલવે પ્રધાન પિયુષ ગોયલે પ્રશંસા કરી છે.

છેલ્લા ઘણા દિવસોથી મજૂરોના પરત ફરવા માટે સરકાર ઉપર ચારે તરફથી હુમલાઓ થઇ રહ્યા હતા. મજૂરો અકસ્માતમાં મરી રહ્યા હતા. ઓરૈયા માર્ગ અકસ્માતમાં બે ડઝનથી વધુ મજૂરોના મોત બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકારને તેમના ખર્ચે બસ ચલાવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. યોગી સરકારે કોંગ્રેસના આ પ્રસ્તાવને સ્વીકાર્યો.

તેના થોડા કલાકો પછી રેલવે પ્રધાન પિયુષ ગોયલે સીએમ યોગી સાથે વાત કરી હતી. યુપીમાં વધુ ટ્રેનો લાવવા કેન્દ્ર અને રાજ્યની યોગી સરકાર વચ્ચે સર્વસંમતિ થઈ છે.

સીએમ યોગી સાથે વાતચીત બાદ રેલવે પ્રધાન પિયુષ ગોયલે ટ્વીટ કર્યું હતું કે, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે સ્થળાંતર કરનારા મજૂરો વિશે ચર્ચા થઈ છે અને મને ખુશી છે કે તેમણે રાજ્ય માટે શ્રમિક વિશેષ ટ્રેનોની સંખ્યા બમણા કરવાની મંજૂરી આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.