ETV Bharat / bharat

સત્ય અહેવાલ લખનાર પત્રકાર સામે FIR, યોગી સરકારની મીડિયાની સ્વતંત્રતા ઉપર તરાપઃ ચિદમ્બરમ

author img

By

Published : Apr 2, 2020, 4:43 PM IST

પૂર્વ નાણાપ્રધાન અને કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે પત્રકાર સામે ગુનો દાખલ કરનાર ઉત્તર પ્રદેશની યોગી સરકારની આકરી ટીકા કરી છે.

ો
યોગી સરકારની મીડિયા સ્વતંત્રતા ઉપર તરાપઃ ચિદમ્બરમ

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે ગુરુવારે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વિરુદ્ધ ટ્વીટર પર ટિપ્પણી કરનાર ધિ વાયરના સંપાદક સિદ્વાર્થ વરદરાજન સામે ગુનો દાખલ કરી યોગી સરકારે મીડિયાની આઝાદી પર તરાપ મારી છે. આ ઘટના દુઃખદ છે.

ઉત્તર પ્રદેશ પોલીસે બુધવારે ધ વાયરના સંપાદક સિદ્ધાર્થ વરદરાજનને ટ્વિટર પરની ટીપ્પણી ઉપર દાવો કર્યો છે કે દાવો કરવામાં આવ્યો છે કે, જે દિવસે તબલીગી જમાત તેનો દિલ્હીમાં કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે મુખ્યપ્રધાન આદિત્યનાથે આગ્રહ કર્યો હતો કે, રામનવમી મેળો હંમેશની જેમ યોજાશે..

દેશવ્યાપી લોકડાઉન દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રામજન્મભૂમિ અયોધ્યા ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હોવાનો દાવો પણ વરદરાજને તેમની ટ્વીટમાં કર્યો હોવાનો ઉલ્લેખ એફ આઈ આરમાં કરાયો છે.

ચિદમ્બરમે આ ઘટના અંગે કેટલાક ટ્વીટ કર્યા હતાં. સત્ય અને આધારભુત અહેવાલ લખનાર પત્રકાર સામે યોગી સરકારે ગુનો દાખલ કર્યો છે. જો કે પત્રકારે કંઈ પણ ખોટુ કર્યુ નથી.

આ FIR મીડિયાની સ્વતંત્રતા છીનવવાનો પ્રયાસ છે. જે દુઃખદ પગલુ છે.

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે ગુરુવારે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વિરુદ્ધ ટ્વીટર પર ટિપ્પણી કરનાર ધિ વાયરના સંપાદક સિદ્વાર્થ વરદરાજન સામે ગુનો દાખલ કરી યોગી સરકારે મીડિયાની આઝાદી પર તરાપ મારી છે. આ ઘટના દુઃખદ છે.

ઉત્તર પ્રદેશ પોલીસે બુધવારે ધ વાયરના સંપાદક સિદ્ધાર્થ વરદરાજનને ટ્વિટર પરની ટીપ્પણી ઉપર દાવો કર્યો છે કે દાવો કરવામાં આવ્યો છે કે, જે દિવસે તબલીગી જમાત તેનો દિલ્હીમાં કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે મુખ્યપ્રધાન આદિત્યનાથે આગ્રહ કર્યો હતો કે, રામનવમી મેળો હંમેશની જેમ યોજાશે..

દેશવ્યાપી લોકડાઉન દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રામજન્મભૂમિ અયોધ્યા ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હોવાનો દાવો પણ વરદરાજને તેમની ટ્વીટમાં કર્યો હોવાનો ઉલ્લેખ એફ આઈ આરમાં કરાયો છે.

ચિદમ્બરમે આ ઘટના અંગે કેટલાક ટ્વીટ કર્યા હતાં. સત્ય અને આધારભુત અહેવાલ લખનાર પત્રકાર સામે યોગી સરકારે ગુનો દાખલ કર્યો છે. જો કે પત્રકારે કંઈ પણ ખોટુ કર્યુ નથી.

આ FIR મીડિયાની સ્વતંત્રતા છીનવવાનો પ્રયાસ છે. જે દુઃખદ પગલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.