ETV Bharat / bharat

ડી.એસ.ટી. પ્રોત્સાહિત સ્ટાર્ટ અપ દ્રારા, કોવીડ-19 સામે લડવા માટે રાસાયણ મુક્ત ચાંદી આધારિત જીવાણુનાશક દ્રાવણ વિકસાવામાં આવ્યુ

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડી.એસ.ટી) અને બાયોટેકનોલોજી વિભાગ (ડીબીટી) દ્વારા સંયુક્ત રીતે પુણે સ્થિત સ્ટાર્ટઅપ વેઈનોવેટ બાયોસોલ્યુશન્સ , હાથ અને પર્યાવરણીય સપાટી પર લાગેલ જીવાણુનો નાશ કરવા માટે, તેની નેનો-એજીસાઇડ તકનીકમાંથી અનન્ય રીતે બનાવવામાં આવેલ આલ્કોહોલ રહિત જલીય-આધારિત કોલોઇડલ સિલ્વર દ્રાવણ બનાવી રહ્યા છે.

author img

By

Published : Apr 6, 2020, 8:19 PM IST

Chemical free silver based disinfectant solution
રાસાયણ મુક્ત ચાંદી આધારિત જીવાણુનાશક દ્રાવણ

ન્યૂઝ ડેસ્કઃ આ પ્રવાહી બિન-દાહક અને જોખમી રસાયણોથી મુક્ત છે અને સંપર્ક દ્વારા જે ચેપ ફેલાય છે તેને રોકવા માટે અસરકારક સેનિટાઇઝર છે જે આરોગ્ય વ્યવસાયિકો અને અન્ય ચેપગ્રસ્ત લોકોનું રક્ષણ કરશે.

વાઈનોવેટ બાયોસોલ્યુશન્સના કોલોઇડલ સિલ્વર સોલ્યુશન, જે વાયરલ નેગેટિવ-સ્ટ્રાન્ડ આર.એન.એ અને વાયરલ દ્રારા ઉભરતા સંશ્લેષણને રોકવા માટે ચાંદીના નેનોપાર્ટિકલ્સની ક્ષમતા પર આધારિત છે, તે જોખમી રસાયણોથી મુક્ત છે અને એમાં આલ્કોહોલ આધારિત જીવાણુનાશકોની તુલનામાં સળગવાનું જોખમ નથી.

સોલ્યુશનનું લેબ પરીક્ષણ કરવામાં આવ્યું છે, અને ઉત્પાદકોએ પરીક્ષણ લાઇસન્સ પણ મેળવ્યું છે. નાના પ્રમાણમાં અને સ્કેલ-અપ બેચમાં 5 લિટર સુધી કોલોઇડલ સિલ્વર સંશ્લેષણનું પ્રારંભિક કાર્ય પ્રજનનક્ષમતા સાથે હાથ ધરવામાં આવ્યું છે.

વૈનોવાવેટ બાયોસોલ્યુશનના સ્થાપક ડો. મિલિંદ ચૌધરીએ જણાવ્યું હતું કે "અમે હાથ પર લાગેલ જીવાણુ નાશ કરવા અને સ્વચ્છતા ની માંગને પહોંચી વળવા માટે, દરરોજ ઓછામાં ઓછા 200 લિટર કોલોઇડલ સિલ્વર સોલ્યુશનનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. અમારા સોલ્યુશન દ્રારા ચેપ ફેલાવાની સંખ્યામાં ઘટાડો કરવા અને ભારતને ચેપ મુક્ત રહેવામાં મદદ કરવા માટે સકારાત્મક છીએ, ”

વિજ્ઞાનન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રો.આશુતોષ શર્માએ જણાવ્યું હતું કે ."નેનોપાર્ટિકલ્સ, કોવીડ.-19 ને લગતા વિવિધ મુદ્દાઓના અસરકારક ઉકેલો તરીકે ઝડપથી ઉભરી રહ્યા છે, થેરેનોસ્ટિક્સ (થેરાપી વત્તા ડાયગ્નોસ્ટિક્સ) થી લઈને ઇમેજિંગ થી જીવાણુ નાશકક્રિયા સુધી. નેનોપાર્ટિકલ્સની સુસંગતતા તેમના કદ (100 એન.એમ કરતા ઓછી) ને કારણે છે, જેની તુલાના કોવિડ -19 વાયરસ સાથે કરી શકાય અને આ ઉપરાંત આના વિતરણ માં આપણે અનુકળતા પણ મળી શકશે ”,

સિલ્વર નેનોપાર્ટિકલ્સ એક અસરકારક એન્ટિવાયરલ હોવાનું જાણવા મળ્યું છે .જે એચ.આય.વી, હેપેટાઇટિસ બી, હર્પીઝ સિમ્પલેક્સ વાયરસ, ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, જેવા ઘણા જીવલેણ વાયરસ સામે કામ કરે છે. તાજેતરના અહેવાલોમાં વાયરલ નેગેટિવ-સ્ટ્રાન્ડ આર.એન.એ અને વાયરલના ઉભરતા સંશ્લેષણને અટકાવીને કોરોના વાયરસના પ્રસારને રોકવામાં ગ્લુટાથિઓન Ag2S NCs (સિલ્વર નેનોક્લસ્ટર્સ) ની, ભૂમિકા સૂચવી છે.

જાપાનના સૈતામા ના નેશનલ ડિફેન્સ મેડિકલ ક કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના, શિંગો નાકમુરા જેવા વૈજ્ઞાનિકોના સંશોધન સૂચવે છે કે Ag NP આધારિત સામગ્રી, આરોગ્યની સંભાળ રાખતા કામદારો (એચ.સી.ડબ્લ્યુ) ને થતા સંપર્ક ચેપને રોકી શકશે, ઉપરાંત દર્દીના ચેપને પણ રોકશે.

આમ કોલોઇડલ સિલ્વર કે જે વેનોનોવેટ બાયોસોલ્યુશન્સના સેનિટાઈઝર્સની તકનીક પર આધારિત છે, તે આર.એન.એ પ્રતિકૃતિ અને સપાટી ગ્લાયકોપ્રોટીનને અવરોધિત કરીને , કોવિડ -19 ના ચેપના ફેલાવાને રોકવામાં કરવામાં મદદ કરી શકે છે.

કોલોઇડલ સિલ્વર બનાવવાની પ્રક્રિયા માટે ભારતીય પેટન્ટ દાખલ કરવામાં આવ્યું છે, અને હેન્ડ સેનિટાઇઝર અને જીવાણુનાશકો બનાવવા માટેના પરીક્ષણ લાઇસન્સને મંજૂરી આપવામાં આવી છે.

ન્યૂઝ ડેસ્કઃ આ પ્રવાહી બિન-દાહક અને જોખમી રસાયણોથી મુક્ત છે અને સંપર્ક દ્વારા જે ચેપ ફેલાય છે તેને રોકવા માટે અસરકારક સેનિટાઇઝર છે જે આરોગ્ય વ્યવસાયિકો અને અન્ય ચેપગ્રસ્ત લોકોનું રક્ષણ કરશે.

વાઈનોવેટ બાયોસોલ્યુશન્સના કોલોઇડલ સિલ્વર સોલ્યુશન, જે વાયરલ નેગેટિવ-સ્ટ્રાન્ડ આર.એન.એ અને વાયરલ દ્રારા ઉભરતા સંશ્લેષણને રોકવા માટે ચાંદીના નેનોપાર્ટિકલ્સની ક્ષમતા પર આધારિત છે, તે જોખમી રસાયણોથી મુક્ત છે અને એમાં આલ્કોહોલ આધારિત જીવાણુનાશકોની તુલનામાં સળગવાનું જોખમ નથી.

સોલ્યુશનનું લેબ પરીક્ષણ કરવામાં આવ્યું છે, અને ઉત્પાદકોએ પરીક્ષણ લાઇસન્સ પણ મેળવ્યું છે. નાના પ્રમાણમાં અને સ્કેલ-અપ બેચમાં 5 લિટર સુધી કોલોઇડલ સિલ્વર સંશ્લેષણનું પ્રારંભિક કાર્ય પ્રજનનક્ષમતા સાથે હાથ ધરવામાં આવ્યું છે.

વૈનોવાવેટ બાયોસોલ્યુશનના સ્થાપક ડો. મિલિંદ ચૌધરીએ જણાવ્યું હતું કે "અમે હાથ પર લાગેલ જીવાણુ નાશ કરવા અને સ્વચ્છતા ની માંગને પહોંચી વળવા માટે, દરરોજ ઓછામાં ઓછા 200 લિટર કોલોઇડલ સિલ્વર સોલ્યુશનનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. અમારા સોલ્યુશન દ્રારા ચેપ ફેલાવાની સંખ્યામાં ઘટાડો કરવા અને ભારતને ચેપ મુક્ત રહેવામાં મદદ કરવા માટે સકારાત્મક છીએ, ”

વિજ્ઞાનન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રો.આશુતોષ શર્માએ જણાવ્યું હતું કે ."નેનોપાર્ટિકલ્સ, કોવીડ.-19 ને લગતા વિવિધ મુદ્દાઓના અસરકારક ઉકેલો તરીકે ઝડપથી ઉભરી રહ્યા છે, થેરેનોસ્ટિક્સ (થેરાપી વત્તા ડાયગ્નોસ્ટિક્સ) થી લઈને ઇમેજિંગ થી જીવાણુ નાશકક્રિયા સુધી. નેનોપાર્ટિકલ્સની સુસંગતતા તેમના કદ (100 એન.એમ કરતા ઓછી) ને કારણે છે, જેની તુલાના કોવિડ -19 વાયરસ સાથે કરી શકાય અને આ ઉપરાંત આના વિતરણ માં આપણે અનુકળતા પણ મળી શકશે ”,

સિલ્વર નેનોપાર્ટિકલ્સ એક અસરકારક એન્ટિવાયરલ હોવાનું જાણવા મળ્યું છે .જે એચ.આય.વી, હેપેટાઇટિસ બી, હર્પીઝ સિમ્પલેક્સ વાયરસ, ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, જેવા ઘણા જીવલેણ વાયરસ સામે કામ કરે છે. તાજેતરના અહેવાલોમાં વાયરલ નેગેટિવ-સ્ટ્રાન્ડ આર.એન.એ અને વાયરલના ઉભરતા સંશ્લેષણને અટકાવીને કોરોના વાયરસના પ્રસારને રોકવામાં ગ્લુટાથિઓન Ag2S NCs (સિલ્વર નેનોક્લસ્ટર્સ) ની, ભૂમિકા સૂચવી છે.

જાપાનના સૈતામા ના નેશનલ ડિફેન્સ મેડિકલ ક કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના, શિંગો નાકમુરા જેવા વૈજ્ઞાનિકોના સંશોધન સૂચવે છે કે Ag NP આધારિત સામગ્રી, આરોગ્યની સંભાળ રાખતા કામદારો (એચ.સી.ડબ્લ્યુ) ને થતા સંપર્ક ચેપને રોકી શકશે, ઉપરાંત દર્દીના ચેપને પણ રોકશે.

આમ કોલોઇડલ સિલ્વર કે જે વેનોનોવેટ બાયોસોલ્યુશન્સના સેનિટાઈઝર્સની તકનીક પર આધારિત છે, તે આર.એન.એ પ્રતિકૃતિ અને સપાટી ગ્લાયકોપ્રોટીનને અવરોધિત કરીને , કોવિડ -19 ના ચેપના ફેલાવાને રોકવામાં કરવામાં મદદ કરી શકે છે.

કોલોઇડલ સિલ્વર બનાવવાની પ્રક્રિયા માટે ભારતીય પેટન્ટ દાખલ કરવામાં આવ્યું છે, અને હેન્ડ સેનિટાઇઝર અને જીવાણુનાશકો બનાવવા માટેના પરીક્ષણ લાઇસન્સને મંજૂરી આપવામાં આવી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.