ETV Bharat / bharat

સિંધિયાએ નામ અને પ્રતિભા પ્રમાણે ઘણું ઓછું કામ કર્યું: પ્રશાંત કિશોર

author img

By

Published : Mar 10, 2020, 11:23 PM IST

પ્રશાંત કિશોરે ટ્વીટ કરતાં જ્યોતિરાદિત્ય સિંધિયા અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, સિંધિયાએ એક જનનેતા, રાજકીય આયોજક અને પ્રશાસક તરીકે ખૂબ ઓછું કામ કર્યુ છે.

Prashant Kishor
Prashant Kishor

નવી દિલ્હીઃ ચૂંટણી રણનીતિકાર અને જેડીયુના પૂર્વ ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડવા પર નિશાન સાંધ્યું હતું. તેમણે ટ્વીટ કરતાં કહ્યું હતું કે, સિંધિયા એક જનનેતા, રાજકીય આયોજક અને પ્રશાસક તરીકે ખૂબ ઓછું કામ કર્યુ છે.

પ્રશાંત કિશોરે ટ્વીટ કર્યુ હતું કે 'કોંગ્રેસ સાથે સંકળાયેલા ગાંધી અટક અંગે વાંધો ઉઠાવનારાઓ માટે હું આઘાત પામું છું. આજે એ જ લોકો સિંધિયાને પાર્ટી છોડવાનું કહી રહ્યા છે, જે કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. સિંધિયાએ પોપ્યુલિસ્ટ, રાજકીય આયોજક અને સંચાલક તરીકે ખૂબ ઓછા કામ કર્યુ છે.

નોંધનીય છે કે, સિંધિયા ગ્વાલિયર શાહી પરિવારમાંથી આવે છે. તેમના પરિવારના ઘણા સભ્યો રાજકારણમાં રહ્યા છે. જ્યોતિરાદિત્ય પૂર્વ પ્રધાન અને કોંગ્રેસ નેતા માધવરાવ સિંધિયાના પુત્ર છે, જેમનું 2001માં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તે સમયે, જ્યોતિરાદિત્યના સ્વર્ગસ્થ દાદી વિજયા રાજે સિંધિયા ભારતીય જન સંઘના નેતા અને સાંસદ હતા. તેમની કાકી વસુંધરા રાજે સિંધિયા રાજસ્થાનમાં ભાજપના મુખ્ય પ્રધાન રહી ચૂક્યાં છે. હવે તે ખુદ ભાજપમાં જોડાવાના છે. ત્યારે તેમની સાથે કોંગ્રેસના 21 ધારાસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામું આપ્યું છે.

મંગળવારે ગૃહપ્રધાન અમિત શાહ અને નવી દિલ્હી નરેન્દ્ર મોદી સાથે તેમના આવાસ પર મુલાકાત કરી હતી. ત્યારબાદ સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે 9 માર્ચે રાજીનામું આપ્યું હતું. જેથી કોપી જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના ટ્વીટર એકાઉન્ટ પર હોળી દિવસે ટ્વીટ કરી આપી હતી.

ઉલ્લેખની છે કે, મધ્યપ્રદેશ વિધાનસભામાંથી 21 કોંગ્રેસ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. જેઓ બીજેપીમાં સામેલ થવાની સંભાવના છે. મળતી માહિતી પ્રમાણે, બીજેપી સિંધિયાને રાજ્યસભામાં સ્થાન આપી શકે છે.

નવી દિલ્હીઃ ચૂંટણી રણનીતિકાર અને જેડીયુના પૂર્વ ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડવા પર નિશાન સાંધ્યું હતું. તેમણે ટ્વીટ કરતાં કહ્યું હતું કે, સિંધિયા એક જનનેતા, રાજકીય આયોજક અને પ્રશાસક તરીકે ખૂબ ઓછું કામ કર્યુ છે.

પ્રશાંત કિશોરે ટ્વીટ કર્યુ હતું કે 'કોંગ્રેસ સાથે સંકળાયેલા ગાંધી અટક અંગે વાંધો ઉઠાવનારાઓ માટે હું આઘાત પામું છું. આજે એ જ લોકો સિંધિયાને પાર્ટી છોડવાનું કહી રહ્યા છે, જે કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. સિંધિયાએ પોપ્યુલિસ્ટ, રાજકીય આયોજક અને સંચાલક તરીકે ખૂબ ઓછા કામ કર્યુ છે.

નોંધનીય છે કે, સિંધિયા ગ્વાલિયર શાહી પરિવારમાંથી આવે છે. તેમના પરિવારના ઘણા સભ્યો રાજકારણમાં રહ્યા છે. જ્યોતિરાદિત્ય પૂર્વ પ્રધાન અને કોંગ્રેસ નેતા માધવરાવ સિંધિયાના પુત્ર છે, જેમનું 2001માં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તે સમયે, જ્યોતિરાદિત્યના સ્વર્ગસ્થ દાદી વિજયા રાજે સિંધિયા ભારતીય જન સંઘના નેતા અને સાંસદ હતા. તેમની કાકી વસુંધરા રાજે સિંધિયા રાજસ્થાનમાં ભાજપના મુખ્ય પ્રધાન રહી ચૂક્યાં છે. હવે તે ખુદ ભાજપમાં જોડાવાના છે. ત્યારે તેમની સાથે કોંગ્રેસના 21 ધારાસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામું આપ્યું છે.

મંગળવારે ગૃહપ્રધાન અમિત શાહ અને નવી દિલ્હી નરેન્દ્ર મોદી સાથે તેમના આવાસ પર મુલાકાત કરી હતી. ત્યારબાદ સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે 9 માર્ચે રાજીનામું આપ્યું હતું. જેથી કોપી જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના ટ્વીટર એકાઉન્ટ પર હોળી દિવસે ટ્વીટ કરી આપી હતી.

ઉલ્લેખની છે કે, મધ્યપ્રદેશ વિધાનસભામાંથી 21 કોંગ્રેસ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. જેઓ બીજેપીમાં સામેલ થવાની સંભાવના છે. મળતી માહિતી પ્રમાણે, બીજેપી સિંધિયાને રાજ્યસભામાં સ્થાન આપી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.