ETV Bharat / bharat

BMCએ મુંબઇમાં અનલોક-1ના નિયમોમાં આપી રાહત, નવી માર્ગદર્શિકા જાહેર કરાઇ - mumbai municipal corporation

BMC (બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન)એ લોકડાઉન નિયમોમાં છૂટછાટ આપીને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. BMCની નવી માર્ગદર્શિકા મુજબ, મુંબઈના મોલ્સ સિવાય અન્ય બજારો અને સ્થળ પર દુકાનો ઓડ-ઇવન આધારે શરૂ થશે.

BMCએ મુંબઇમાં લોકડાઉન નિયમોમાં આપી રાહત, નવી માર્ગદર્શિકા જાહેર કરાઇ
BMCએ મુંબઇમાં લોકડાઉન નિયમોમાં આપી રાહત, નવી માર્ગદર્શિકા જાહેર કરાઇ
author img

By

Published : Jun 9, 2020, 7:08 PM IST

મુંબઇ: BMCએ લોકડાઉન નિયમોમાં રાહત આપતા નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. BMCની નવી માર્ગદર્શિકા મુજબ, મુંબઈના મોલ્સ સિવાય અન્ય બજારો અને સ્થળોએ દુકાનો ઓડ-ઇવન આધારે શરૂ થશે. BMC એ આવી દુકાન પર સંપૂર્ણ સમય માટે ખોલવાની મંજૂરી આપી છે. જો કે, બધી દુકાનો અઠવાડિયામાં એકવાર બંધ રહેશે.

માર્ગદર્શિકા મુજબ, સોમવારથી શનિવાર સુધી દુકાનો ખુલ્લી રહેશે અને રવિવારે બધી દુકાનો બંધ રહેશે. આ ઉપરાંત નવી માર્ગદર્શિકામાં અખબારોના છાપવા અને વિતરણને પણ મંજૂરી આપવામાં આવી છે. કોઇ પણ દુકાનદાર ઘરે ડિલિવરી કરે તો ડિલિવરી બોયને માસ્ક પહેરવાની અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની જરૂર રહેશે.

આ અંગે કમિશનર આઈ.એસ. ચહલે જણાવ્યું હતું કે, મુંબઈની કેટલીક પ્રયોગશાળાઓમાં કોરોના વાઇરસના ટેસ્ટનો રિપોર્ટ 18 દિવસમાં આપવામાં આવી રહ્યો છે. વરિષ્ઠ વહીવટી અધિકારી ચહલે કહ્યું કે, તેમને જાણવા મળ્યું કે, 4 એપ્રિલે લીધેલા કોરોનાના ટેસ્ટનો રિપોર્ટ 22 એપ્રિલના રોજ આપાવમાં આવ્યો હતો. ચહલે કહ્યું કે, 'કેટલીક પ્રયોગશાળાઓ 18 દિવસ પછી રિપોર્ટ આપીન ગંભીર ગુનો કરી રહી છે. આ માટે તેઓ સજા પાત્ર છે.

મુંબઇ: BMCએ લોકડાઉન નિયમોમાં રાહત આપતા નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. BMCની નવી માર્ગદર્શિકા મુજબ, મુંબઈના મોલ્સ સિવાય અન્ય બજારો અને સ્થળોએ દુકાનો ઓડ-ઇવન આધારે શરૂ થશે. BMC એ આવી દુકાન પર સંપૂર્ણ સમય માટે ખોલવાની મંજૂરી આપી છે. જો કે, બધી દુકાનો અઠવાડિયામાં એકવાર બંધ રહેશે.

માર્ગદર્શિકા મુજબ, સોમવારથી શનિવાર સુધી દુકાનો ખુલ્લી રહેશે અને રવિવારે બધી દુકાનો બંધ રહેશે. આ ઉપરાંત નવી માર્ગદર્શિકામાં અખબારોના છાપવા અને વિતરણને પણ મંજૂરી આપવામાં આવી છે. કોઇ પણ દુકાનદાર ઘરે ડિલિવરી કરે તો ડિલિવરી બોયને માસ્ક પહેરવાની અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની જરૂર રહેશે.

આ અંગે કમિશનર આઈ.એસ. ચહલે જણાવ્યું હતું કે, મુંબઈની કેટલીક પ્રયોગશાળાઓમાં કોરોના વાઇરસના ટેસ્ટનો રિપોર્ટ 18 દિવસમાં આપવામાં આવી રહ્યો છે. વરિષ્ઠ વહીવટી અધિકારી ચહલે કહ્યું કે, તેમને જાણવા મળ્યું કે, 4 એપ્રિલે લીધેલા કોરોનાના ટેસ્ટનો રિપોર્ટ 22 એપ્રિલના રોજ આપાવમાં આવ્યો હતો. ચહલે કહ્યું કે, 'કેટલીક પ્રયોગશાળાઓ 18 દિવસ પછી રિપોર્ટ આપીન ગંભીર ગુનો કરી રહી છે. આ માટે તેઓ સજા પાત્ર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.