ETV Bharat / bharat

સુશાંતસિંહ આત્મહત્યા કેસ: ED સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીની કરશે પૂછપરછ

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ માટે મુંબઇ ગયેલા પટનાના સિટી એસપી વિનય તિવારી શુક્રવારે પરત ફર્યા છે. આ દરમિયાન પટના એરપોર્ટ પર તેમણે કહ્યું કે, બીએમસીના લોકોએ અમને નહીં અમારી તપાસને ક્વોરેન્ટાઇન કરી હતી. આ સાથે આજે ED સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પિઠાણીની પૂછપરછ કરશે. સંપૂર્ણ સમાચાર વાંચો...

author img

By

Published : Aug 8, 2020, 12:06 PM IST

ઇડી
ઇડી

પટના: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે આજે સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીની પૂછપરછ કરશે. આ સાથે તપાસ માટે મુંબઇ ગયેલા પટના શહેર એસપી વિનય તિવારી શુક્રવારે પરત ફર્યા છે. તેઓને મુંબઈમાં બીએમસી દ્વારા ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતાં.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આજે આ કેસમાં સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીની પૂછપરછ કરશે. આ પહેલા ઇડીએ સુશાંતના ઘરના મેનેજર સેમ્યુઅલ મીરાંડા, સુશાંતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંદીપ શ્રીધર અને રિયા ચક્રવર્તીના સીએ રિતેશ શાહ ઉપરાંત આ કેસની મુખ્ય રિયાની પૂછપરછ કરી હતી.

શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રિયા ચક્રવર્તીની આઠ કલાક પૂછપરછ કરી હતી. ઇડી મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), 2002 હેઠળ આ કેસમાં અભિનેત્રીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. એજન્સીએ રિયાને નાણાંકીય બાબતો અને સંપત્તિમાં રોકાણ વિશે પૂછપરછ કરી. છેલ્લા એક વર્ષમાં સ્વગર્સ્થ અભિનેતાના બેન્ક ખાતામાંથી આર્થિક વ્યવહારો વિશે પણ પૂછપરછ કરી હતી.

પટના: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે આજે સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીની પૂછપરછ કરશે. આ સાથે તપાસ માટે મુંબઇ ગયેલા પટના શહેર એસપી વિનય તિવારી શુક્રવારે પરત ફર્યા છે. તેઓને મુંબઈમાં બીએમસી દ્વારા ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતાં.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આજે આ કેસમાં સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીની પૂછપરછ કરશે. આ પહેલા ઇડીએ સુશાંતના ઘરના મેનેજર સેમ્યુઅલ મીરાંડા, સુશાંતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંદીપ શ્રીધર અને રિયા ચક્રવર્તીના સીએ રિતેશ શાહ ઉપરાંત આ કેસની મુખ્ય રિયાની પૂછપરછ કરી હતી.

શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રિયા ચક્રવર્તીની આઠ કલાક પૂછપરછ કરી હતી. ઇડી મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), 2002 હેઠળ આ કેસમાં અભિનેત્રીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. એજન્સીએ રિયાને નાણાંકીય બાબતો અને સંપત્તિમાં રોકાણ વિશે પૂછપરછ કરી. છેલ્લા એક વર્ષમાં સ્વગર્સ્થ અભિનેતાના બેન્ક ખાતામાંથી આર્થિક વ્યવહારો વિશે પણ પૂછપરછ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.