રાજસ્થાન: રાજ્યના મુખ્યપ્રધાન અશોક ગેહલોતની ટેગલાઇન "રાજસ્થાન સતર્ક હૈ" સાથે કોરોના વિરુદ્ધ ચાલી રહેલા મિશનની સફળતા એ છે કે, દેશના પહેલા કોરોના સેન્ટર તરીકે ઓળખાતા ભિલવાડા હવે કોરોના મુક્ત થઈ ગયા છે.
7 એપ્રિલે મળેલા છેલ્લા કોરોના પોઝિટિવ દર્દીનો સતત બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર ભટ્ટે જણાવ્યું હતું કે, ભિલવાડામાં હાલ કોઈ કોરોના પોઝિટિવ નથી. હાલમાં હોસ્પિટલમાં ફક્ત બે દર્દીઓ દાખલ છે, જેમાંના સતત બે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ત્રીજો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ બંનેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. તે પછી તેઓ 14 દિવસ ક્વોરેન્ટાઇનમાં ઘરે રહેશે.