ETV Bharat / bharat

બેંગલુરુ હિંસા કેસ : કોંગ્રેસના પૂર્વ મેયર આર સંપત રાજની ધરપકડ

બેંગલુરુ હિંસા કેસમાં કોંગ્રેસના પૂર્વ મેયર આર સંપત રાજની ધરપકડ કરવામાં આવી છે. 11 ઓગષ્ટના રોજ બેંગલુરુમાં પુલિકેશી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યના ઘર પર ટોળાએ હુમલો કર્યો હતો. જે બાદ મંગળવારે કોંગ્રેસ નેતા આર સંપતની ધરપકડ કરવામાં આવી છે.

author img

By

Published : Nov 17, 2020, 5:21 AM IST

બેંગલુરુ રમખાણ
બેંગલુરુ રમખાણ
  • બેંગલુરુ રમખાણના આરોપી પૂર્વ મેયર આર સંપત રાજની ધરપકડ
  • કોંગ્રેસના કોર્પોરેટર સંપત રાજની બેંગલુરુ ખાતેથી ધરપકડ
  • સંપત ખાનગી હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો હતો

કર્ણાટક : બેંગલુરુ હિંસા કેસમાં BBMPના પૂર્વ મેયર આર સંપત રાજની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા મંગળવારે જણાકારી આપવામાં આવી હતી. દેવરા જીવનહલ્લી મ્યુનિસિપલ વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર સંપત રાજની બેંગલુરુ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા સંપત ખાનગી હોસ્પિટલમાંથી નાસી ગયો હતો, જ્યાં તેને કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

રિયાઝુદ્દીને સંપત અને કોંગ્રેસના અન્ય કોર્પોરેટર અબ્દુલ રકીબ જાકીરને ભાગવામાં મદદ કરી

પોલીસે તાજેતરમાં તેના એક સાગરિત રિયાઝુદ્દીનની ધરપકડ કરી હતી. આ સાગરિતે સંપત અને કોંગ્રેસના અન્ય કોર્પોરેટર અબ્દુલ રકીબ જાકીરને ભાગવામાં મદદ કરી હતી. રિયાઝુદ્દીને તેમને મૈસુરુના નગરહોલ ખાતે આશ્રય આપ્યો હતો. બેંગલુરુ હિંસા કેસમાં જાકીરને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ

પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં રાજ પર 11 ઓગષ્ટના રોજ ઝાકિર અને કેટલાક અન્ય લોકો સાથે મળીને રાજકીય રીતે ધારાસભ્યને મારી નાંખવાની અને હિંસાનું ષડયંત્ર રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

જાણો શું છે સમગ્ર ઘટના

બેંગલુરુમાં પુલિકેશી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યના ઘર પર થયેલા હુમલાના અંદાજિત 89 આરોપીઓને બેલ્લારી સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યા હતા. આ સાથે કે. જી. હલ્લીના કોર્પોરેટર ઇર્શાદ બેગમના પતિ કલીમ પાશાની પોલીસે ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓને પોલીસ સુરક્ષા દળ સાથે KSRTCની બસો દ્વારા લાવવામાં આવ્યા હતા. તમામ આરોપીઓને બેલ્લારી સેન્ટ્રલ જેલમાં લાવ્યા પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોરોના રિપોર્ટ આવ્યા બાદ જ આરોપીઓને બેલ્લારી લાવવામાં આવ્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના ઘરની બહાર હિંસક ટોળા એકઠા થયા

એક રાજનેતાના સંબંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વાંધાજનક મેસેજને લઈને પૂર્વી બેંગલુરુમાં 11 ઓગષ્ટના રોજ હિંસક વિરોધ થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના ઘરની બહાર હિંસક ટોળા એકઠા થયા હતા અને સોશિયલ મીડિયામાં થયેલી પોસ્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આગજની કરવામાં આવી હતી. લોકો શ્રીનિવાસ મૂર્તિના સંબંધી નવીનની ધરપકડની માગ કરી રહ્યાં હતા. લોકોએ ડી.જે.હલ્લી, કે.જી.હલ્લી અને પુલિકેશી નગરમાં વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. 100થી વધુ પોલીસ જવાન ઘાયલ થયા છે. 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

કેટલાક પોલીસ જવાનો પર હુમલો કરવાની કોશિશ પણ કરી

પુલિકેશી નગરના ધારાસભ્ય મૂર્તિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને ભીડનો વિરોધ રોકવા કહ્યું હતું. વીડિયોમાં મૂર્તિએ અપીલ કરતાં કહ્યું હતું કે, 'કૃપા કરીને બદમાશોના વાંધાજનક કૃત્યનો વિરોધ કરવા હિંસાનો સહારો ના લો.' શહેરના કે.જી.હલ્લી પોલીસ સ્ટેશનની સામે પણ એક વિશાળ ટોળું દેખાયું હતો. અન્ય હિંસક ટોળાએ ડી.જે.હલ્લી પોલીસ સ્ટેશનમાં ઘૂસીને કેટલાક વાહનો અને ફર્નિચરમાં તોડફોડ કરી હતી. કેટલાક પોલીસ જવાનો પર હુમલો કરવાની કોશિશ પણ કરી હતી.

50 પોલીસકર્મીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા

આ હિંસામાં આશરે 50 પોલીસકર્મીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. વિરોધ કરી રહેલા ટોળાએ પુલિકેશી નગરના ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના નિવાસસ્થાન અને ડીજે હલ્લી પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું. ઘટના સમયે ધારાસભ્ય તેમના ઘરે ન હતા. તેમના ઘરને સંપૂર્ણપણે નુકસાન થયું હતું. તેમાં રાખેલી સાડીઓ, ઝવેરાત લૂંટી લેવામાં આવ્યા હતા. વાહનો સહિતના આખા ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી.

  • બેંગલુરુ રમખાણના આરોપી પૂર્વ મેયર આર સંપત રાજની ધરપકડ
  • કોંગ્રેસના કોર્પોરેટર સંપત રાજની બેંગલુરુ ખાતેથી ધરપકડ
  • સંપત ખાનગી હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો હતો

કર્ણાટક : બેંગલુરુ હિંસા કેસમાં BBMPના પૂર્વ મેયર આર સંપત રાજની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા મંગળવારે જણાકારી આપવામાં આવી હતી. દેવરા જીવનહલ્લી મ્યુનિસિપલ વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર સંપત રાજની બેંગલુરુ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા સંપત ખાનગી હોસ્પિટલમાંથી નાસી ગયો હતો, જ્યાં તેને કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

રિયાઝુદ્દીને સંપત અને કોંગ્રેસના અન્ય કોર્પોરેટર અબ્દુલ રકીબ જાકીરને ભાગવામાં મદદ કરી

પોલીસે તાજેતરમાં તેના એક સાગરિત રિયાઝુદ્દીનની ધરપકડ કરી હતી. આ સાગરિતે સંપત અને કોંગ્રેસના અન્ય કોર્પોરેટર અબ્દુલ રકીબ જાકીરને ભાગવામાં મદદ કરી હતી. રિયાઝુદ્દીને તેમને મૈસુરુના નગરહોલ ખાતે આશ્રય આપ્યો હતો. બેંગલુરુ હિંસા કેસમાં જાકીરને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ

પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં રાજ પર 11 ઓગષ્ટના રોજ ઝાકિર અને કેટલાક અન્ય લોકો સાથે મળીને રાજકીય રીતે ધારાસભ્યને મારી નાંખવાની અને હિંસાનું ષડયંત્ર રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

જાણો શું છે સમગ્ર ઘટના

બેંગલુરુમાં પુલિકેશી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યના ઘર પર થયેલા હુમલાના અંદાજિત 89 આરોપીઓને બેલ્લારી સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યા હતા. આ સાથે કે. જી. હલ્લીના કોર્પોરેટર ઇર્શાદ બેગમના પતિ કલીમ પાશાની પોલીસે ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓને પોલીસ સુરક્ષા દળ સાથે KSRTCની બસો દ્વારા લાવવામાં આવ્યા હતા. તમામ આરોપીઓને બેલ્લારી સેન્ટ્રલ જેલમાં લાવ્યા પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોરોના રિપોર્ટ આવ્યા બાદ જ આરોપીઓને બેલ્લારી લાવવામાં આવ્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના ઘરની બહાર હિંસક ટોળા એકઠા થયા

એક રાજનેતાના સંબંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વાંધાજનક મેસેજને લઈને પૂર્વી બેંગલુરુમાં 11 ઓગષ્ટના રોજ હિંસક વિરોધ થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના ઘરની બહાર હિંસક ટોળા એકઠા થયા હતા અને સોશિયલ મીડિયામાં થયેલી પોસ્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આગજની કરવામાં આવી હતી. લોકો શ્રીનિવાસ મૂર્તિના સંબંધી નવીનની ધરપકડની માગ કરી રહ્યાં હતા. લોકોએ ડી.જે.હલ્લી, કે.જી.હલ્લી અને પુલિકેશી નગરમાં વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. 100થી વધુ પોલીસ જવાન ઘાયલ થયા છે. 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

કેટલાક પોલીસ જવાનો પર હુમલો કરવાની કોશિશ પણ કરી

પુલિકેશી નગરના ધારાસભ્ય મૂર્તિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને ભીડનો વિરોધ રોકવા કહ્યું હતું. વીડિયોમાં મૂર્તિએ અપીલ કરતાં કહ્યું હતું કે, 'કૃપા કરીને બદમાશોના વાંધાજનક કૃત્યનો વિરોધ કરવા હિંસાનો સહારો ના લો.' શહેરના કે.જી.હલ્લી પોલીસ સ્ટેશનની સામે પણ એક વિશાળ ટોળું દેખાયું હતો. અન્ય હિંસક ટોળાએ ડી.જે.હલ્લી પોલીસ સ્ટેશનમાં ઘૂસીને કેટલાક વાહનો અને ફર્નિચરમાં તોડફોડ કરી હતી. કેટલાક પોલીસ જવાનો પર હુમલો કરવાની કોશિશ પણ કરી હતી.

50 પોલીસકર્મીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા

આ હિંસામાં આશરે 50 પોલીસકર્મીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. વિરોધ કરી રહેલા ટોળાએ પુલિકેશી નગરના ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના નિવાસસ્થાન અને ડીજે હલ્લી પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું. ઘટના સમયે ધારાસભ્ય તેમના ઘરે ન હતા. તેમના ઘરને સંપૂર્ણપણે નુકસાન થયું હતું. તેમાં રાખેલી સાડીઓ, ઝવેરાત લૂંટી લેવામાં આવ્યા હતા. વાહનો સહિતના આખા ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.