જયપુર: નિમ્સના અધ્યક્ષ ડો.બી.એસ. તોમારે આરોપ લગાવ્યો છે કે આયુષ મંત્રાલય જૂઠું બોલી રહ્યું છે. પતંજલિને કોરોનિલ ડ્રગની ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી હતી.
યોગ ગુરુ રામદેવની પતંજલિ આયુર્વેદે મંગળવારે બજારમાં એક દવા શરૂ કરી હતી, જેમાં કોવિડ -19 ની સારવારમાં 100 ટકા અસરકારક હોવાનો દાવો કર્યો હતો. ત્યારે થોડા કલાકો પછી, આયુષ મંત્રાલયે તેમને આ દવામાં રહેલી વિવિધ ઔષધિઓની માત્રા અને દવા પ્રસ્તુત કરતા પહેલા થયેલા સંશોધનની વિગતો વહેલી તકે આપવા જણાવ્યું હતું.
આ અંગે નિમ્સ યુનિવર્સિટીના અધ્યક્ષનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી
હતી. સરકારે કહ્યું હતું કે દવાઓનું પરિક્ષણ કરો અને રસ્તો નીકળે એટલે જણાવો. ડો.બીએસ તોમારે સીટીઆરઆઈ નંબર પણ આપ્યા હતા. જેમાં આ સીટીઆરઆઈ / 2020/05/025273 છે તેમ જણાવ્યું હતું.