હૈદરાબાદ: હિંગનો એક મસાલા તરીકે આપણે ઉપયોગ કરીએ છે. આ હીંગનો ઉપયોગ આપણે આપણા રસોડામાં યુગોથી કરીએ છીએ, તે એવા ફાયદાઓ સાથે આવે છે જેના વિશે તમે કદાચ ન જાણતા હોવ. તેનો ઉપયોગ સારવાર માટે અનેક આયુર્વેદિક ફોર્મ્યુલેશનમાં કરવામાં આવ્યો છે અને હજી પણ થાય છે. ડૉ કલ્પેશ રમેશલાલ બાફના( એમ.ડી., આયુર્વેદિક ફાર્માસ્યુટિકસ કલપાયુ હેલ્થ કેર ક્લિનિક, પુણે) કહે છે કે "હિંગની બે જાતિ હોય છે, કાળી જેની સુંગંધ હોય છે અને સફેદ, જે દવાઓમાં વપરાય છે."
ડૉ કલ્પેશ દ્વારા સમજાવ્યા મુજબ તેના કેટલાક ફાયદા અહીં દર્શાવવામાં આવ્યા છે
નર્વસ સિસ્ટમ (ચેતાતંત્ર)
હિંગમાં એક તીક્ષ્ણ સુગંધ હોય છે, આમ, તે નર્વસ સિસ્ટમ માટે ઉત્તેજક તરીકે કાર્ય કરે છે. તે ચેતાતંત્રને સક્રિય કરવા માટે જાણીતું છે.
હિંગ એનાલ્જેસિક છે અને તેથી, તેને માંસપેશીઓના દુખાવા માટે ઉપયોગમાં લેવામાં આવતા અમુક સ્થાનિક એપ્લિકેશન તેલમાં મિશ્રણ કરવાથી તે સક્રિય ઘટક બને છે અને દુખાવામાં રાહત આપે છે. પ્રકૃતિમાં ગરમ હોવાથી, હિંગ પીડાને ઘટાડવામાં અને રાહત આપવામાં મદદ કરે છે.
ઘણા આયુર્વેદિક રચનાઓમાં, હિંગનો ઉપયોગ તે એટેક જેવા કે માનસિક હુમલાઓની સારવાર કરવામાં મદદ કરે છે. તે લકવો, ચહેરાના લકવો, સાયટિકા, વાઈ, વગેરેમાં પણ મદદગાર છે.
શ્વસનતંત્ર
શ્વસનતંત્રની સામાન્ય જેવીકે ઉધરસ, શરદી અને ક્રોનિક ઉધરસ છે. આવી બધી પરિસ્થિતિઓમાં, કફને કારણે આપણા ફેફસામાં અવરોધ આવે છે. તેથી, શ્વસન માર્ગથી કફને સરળ બનાવવા માટે અને બહાર કાઢવા માટે, હિંગ એક ઉચ્ચ દવા છે, તે ખૂબ જ મદદરૂપ છે.
રુધિરાભિસરણ તંત્ર
પેરીકાર્ડિયલ ઇફ્યુઝન તરીકે ઓળખાતી સ્થિતિમાં, જેમાં પ્રવાહી આપણા હૃદયની આસપાસ આવી જાય છે, તેની સામે રક્ષણ કરવામાં હિંગ ફાયદાકારક ભૂમિકા નિભાવે છે. એવી પરિસ્થિતિઓમાં કે જ્યાં વ્યક્તિ નબળું અથવા ધીમું હૃદય ધરાવે છે, તે તેને ઉત્તેજીત કરવામાં પણ મદદ કરે છે.
પાચન તંત્ર
તેના તીક્ષ્ણ સ્વાદ અને ગરમ સ્વભાવ સાથે, હિંગ ખૂબ જ સારી ભૂખ ઉત્તેજક છે. તે ભૂખ વધારે છે અને ભારે ખોરાકની પાચન પ્રક્રિયા સરળ કરે છે. આંતરડાની ધીમી ગતિના કિસ્સામાં, હિંગ તેને ઉત્તેજિત કરે છે. તે પેટમાં દુખાવો, ગેસની સમસ્યા માટે પણ ખૂબ ઉપયોગી છે.
યુરિનરી સિસ્ટમ
પ્રકૃતિમાં હિંગ ખૂબ જ સારી મૂત્રવર્ધક પદાર્થ છે. તે કિડનીમાં પેશાબના પ્રવાહ અને ગાળણક્રિયાને વધારે છે, તે શરીરમાંથી પેશાબ દ્વારા કિડની સ્ટોનને પણ દૂર કરવામાં મદદ કરે છે. તે મૂત્રાશયમાં પેશાબની રીટેન્શનને કારણે થતી પીડાને પણ ઘટાડે છે.
પ્રજનન તંત્ર
તે વ્યક્તિની જાતીય ક્ષમતામાં વધારો કરે છે. સ્ત્રીઓમાં તે ખૂબ જ ઉપયોગી છે તે ઓવ્યુલેશનમાં મદદ કરે છે. તે ગર્ભાશયને સાફ કરવામાં મદદ કરે છે.
વધુમાં ડૉ કલ્પેશ ઉમેરે છે કે આયુર્વેદમાં હિંગની વિવિધ રચનાઓ છે. એક સારા ઉત્તેજક હોવા ઉપરાંત, તે રક્ત પરિભ્રમણને વધારે છે અને શરીરમાં સ્ત્રાવને પણ વધારે છે . તેથી, જો કે તે ફાયદાઓથી ભરપૂર છે, તે વધારે પડતું લેવાથી પ્રતિકૂળ અસરો થઈ શકે છે. તેથી, તે માત્ર ઓછી માત્રામાં લેવી જોઈએ અથવા કોઈ આયુર્વેદિક ચિકિત્સકની સલાહ લેવી જોઈએ.