ETV Bharat / bharat

એક જ સિક્કાની બે બાજુ છે NRC અને NPR: અસદુદ્દીન ઓવૈસી

author img

By

Published : Jan 5, 2020, 10:00 AM IST

હૈદરાબાદ: AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એકવાર ફરી NRC અને NPR પર પ્રશ્રો ઉભા કર્યા છે. તેઓએ કહ્યું છે કે, NRC અને NPRમાં કંઈ જ તફાવત નથી. બન્ને એક સિક્કાની બે બાજુઓ છે. સાથે જ તેઓએ મોદી સરકાર પર ધર્મના નામે લોકોનું વિભાજન કરવાનો આરોપ લગાવ્યો છે.

asaduddin owaisi
asaduddin owaisi

જણાવી દઈએ કે, અસદુદ્દીન ઓવૈસી NRC અને NPR વિરૂદ્ધ આયોજીત રેલીમાં 'સંવિધાન બચાવો, લોકતંત્ર બચાવો' માં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ પોતાના સંબોધનમાં મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પોતાના ભાષણમાં તેઓએ PM મોદી અને NRCથી લઈને NPR પર પ્રશ્રો ઉઠાવ્યા હતા.

આ રેલીમાં પહોંચતા જ ઓવૈસીએ નાગરિકતા કાયદાથી લઈ કેન્દ્ર અને PM મોદી પર નિશાન સાધવાનું શરુ કરી દીધું હતું.

તેમણે કહ્યુ કે, જો સરકાર નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર કરવા ઈચ્છે છે. ઓવૈસીએ કહ્યું કે, NRC અને NPRમાં કંઈ જ તફાવત નથી, બન્ને એક સિક્કાની બે બાજુઓ છે તેમજ તેઓએ મોદી સરકાર પર ધર્મના નામે લોકોનું વિભાજન કરવાનો આરોપ લગાવ્યો છે.

AIMIM પ્રમુખે કહ્યું કે, 'તમે જ નાગરિકત્વ કાયદો બનાવ્યો છે તે બંધારણની વિરૂદ્ધ છે. તે મૂળભૂત અધિકારોના આર્ટિકલ 14 અને 21 ની વિરૂદ્ધ પણ છે, જ્યારે આર્ટિકલ 14 સમાનતાના અધિકારની વાત કરે છે. આગળ તેઓ કહે છે કે, PM મોદી દેશની જનતાને ફક્ત એટલું જણાવી દે કે 2024 સુધી NRC કરશે કે નહીં.

જણાવી દઈએ કે, અસદુદ્દીન ઓવૈસી NRC અને NPR વિરૂદ્ધ આયોજીત રેલીમાં 'સંવિધાન બચાવો, લોકતંત્ર બચાવો' માં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ પોતાના સંબોધનમાં મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પોતાના ભાષણમાં તેઓએ PM મોદી અને NRCથી લઈને NPR પર પ્રશ્રો ઉઠાવ્યા હતા.

આ રેલીમાં પહોંચતા જ ઓવૈસીએ નાગરિકતા કાયદાથી લઈ કેન્દ્ર અને PM મોદી પર નિશાન સાધવાનું શરુ કરી દીધું હતું.

તેમણે કહ્યુ કે, જો સરકાર નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર કરવા ઈચ્છે છે. ઓવૈસીએ કહ્યું કે, NRC અને NPRમાં કંઈ જ તફાવત નથી, બન્ને એક સિક્કાની બે બાજુઓ છે તેમજ તેઓએ મોદી સરકાર પર ધર્મના નામે લોકોનું વિભાજન કરવાનો આરોપ લગાવ્યો છે.

AIMIM પ્રમુખે કહ્યું કે, 'તમે જ નાગરિકત્વ કાયદો બનાવ્યો છે તે બંધારણની વિરૂદ્ધ છે. તે મૂળભૂત અધિકારોના આર્ટિકલ 14 અને 21 ની વિરૂદ્ધ પણ છે, જ્યારે આર્ટિકલ 14 સમાનતાના અધિકારની વાત કરે છે. આગળ તેઓ કહે છે કે, PM મોદી દેશની જનતાને ફક્ત એટલું જણાવી દે કે 2024 સુધી NRC કરશે કે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.