ETV Bharat / bharat

મુંબઈમાં નાગરિકતા કાયદાના વિરોધમાં 'મહામોર્ચો', આંદોલનનું બ્યુગલ ફૂંકાયું

author img

By

Published : Feb 15, 2020, 11:24 PM IST

મુંબઈના આઝાદ મેદાનમાં શનિવારે ઉર્દૂ કવિ ફૈઝ અહમદની લોકપ્રિય કવિતા 'હમ દેખેંગે'ના પાઠ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહ પ્રધાન અમિત શાહ વિરૂદ્ધ નારાબાજી કરાઈ. આઝાદ મેદાનમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકોએ CAA-NRC-NPR સામે આંદોલનનું આહ્વાન કર્યુ.

anti-caa-nrc-protests-in-mumbai
મુંબઈમાં નાગરિકતા કાયદાના વિરોધમાં 'મહામોર્ચો', આંદોલનનું બ્યુગલ ફૂંકાયુ

મુંબઈ: નાગરિકતા સુધારા કાયદા અને રાષ્ટ્રીય નાગરિક નોંધણી સામે મહારાષ્ટ્રમાં 'મહામોર્ચા' અંતર્ગત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુંબઈના વિભિન્ન વિસ્તારો જેમાં નવી મુંબઈ, થાણે અને ઉપનગરીય વિસ્તારોના અનેક લોકો અહીં પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

આ પ્રસંગે ત્રિરંગો લહેરાવતા અને CAA-NRC-NPRની ટીકા કરતા બેનરો સાથે પ્રદર્શનકારીઓએ 'મોદી-શાહ સે આઝાદી'ના નારા લગાવ્યા. આ પ્રસંગે CAA-NRC-NPR વિરૂદ્ઘ પ્રસ્તાવ મંજૂર કરાયો.

મુંબઈ: નાગરિકતા સુધારા કાયદા અને રાષ્ટ્રીય નાગરિક નોંધણી સામે મહારાષ્ટ્રમાં 'મહામોર્ચા' અંતર્ગત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુંબઈના વિભિન્ન વિસ્તારો જેમાં નવી મુંબઈ, થાણે અને ઉપનગરીય વિસ્તારોના અનેક લોકો અહીં પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

આ પ્રસંગે ત્રિરંગો લહેરાવતા અને CAA-NRC-NPRની ટીકા કરતા બેનરો સાથે પ્રદર્શનકારીઓએ 'મોદી-શાહ સે આઝાદી'ના નારા લગાવ્યા. આ પ્રસંગે CAA-NRC-NPR વિરૂદ્ઘ પ્રસ્તાવ મંજૂર કરાયો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.