અમરાવતી: આંધ્ર પ્રદેશમાં સરકારે કોરોના વાઈરસના પ્રોકોપથી બચવા કેન્દ્ર સરકારની નજર હેઠળ હોમ કોરેન્ટિન લોકો માટે એક ટૂલ બનાવ્યું છે. આ કોવિડ આર્ટિંગ ટ્રેકિંગ સિસ્ટમ ટૂલની રાજ્યમાં 25,000 કોરેન્ટાઈન લોકોના ફોન ટ્રેક કરી રહ્યું છે. જો કાઈ શંકાસ્પદ વ્યક્તિ 100 મીટર વર્ગથી પણ બહાર જશે તો ખબર પડી જશે.
આ અંગે આંધ્ર પ્રદેશ સરકાર અને અન્ય એજન્સીઓની મદદની લેવાઈ રહી છે. જેમાં લોકોના અવાગમન પર દેખરેખ રખાઈ રહી છે. આ સિસ્ટમમાં કોરેન્ટાઈન 25,000 લોકોનો ડેટા સંગ્રહિત થઈ રહ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈ કોરેન્ટાઈ વ્યક્તિ પોતાના સ્થાનથી 100 મીટર વર્ગથી આગળની નીકળશે તો તેની જાણકારી મળી જશે.
તેલંગાણાઃ
જો કે, તેલંગાણામાં 13-15 માર્ચે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારના મરકજથી પાછા તેલંગાણાના વધુ પાંચ લોકોનું સોમવારે કોરોના વાઈરસના કારણે મોત થઈ ગયું છે. આ પહેલા પણ એક 74 વર્ષીય વ્યક્તિનું 28 માર્ચે મોત થયું હતું. એ પણ 17 માર્ચે મરકજથી પાછો આવ્યો હતો. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે.