ETV Bharat / bharat

તકનીકી સંસ્થાઓના વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી પરત મળશે, AICTE વિદ્યાર્થીઓને મોટી રાહત આપી

author img

By

Published : Sep 3, 2020, 1:40 PM IST

કોરોના મહામારી દરમિયાન તકનીકી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) એ એવા વિદ્યાર્થીઓને ફી પરત આપવાનો નિર્દેશ આપ્યો છે જેઓ અમુક કારણોસર તેમનો પ્રવેશ રદ કરવા માગે છે. જોકે, સંપૂર્ણ ફી ફક્ત તે જ વિદ્યાર્થીઓને પરત કરવામાં આવશે જેઓ 10 નવેમ્બર 2020 સુધીમાં એડમિશન પરત લઇ લેશે.

AICTE
AICTE

હૈદરાબાદ: કોરોના મહામારી દરમિયાન તકનીકી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) એ એવા વિદ્યાર્થીઓને ફી પરત આપવાનો નિર્દેશ આપ્યો છે જેઓ અમુક કારણોસર તેમનો પ્રવેશ રદ કરવા માગે છે. જોકે, સંપૂર્ણ ફી ફક્ત તે જ વિદ્યાર્થીઓને પરત કરવામાં આવશે જેઓ 10 નવેમ્બર 2020 સુધીમાં એડમિશન પરત લઇ લેશે.

પરિષદે તે વિદ્યાર્થીઓને રાહત પણ આપી છે, જેઓ અભ્યાસ દરમિયાન કોઈપણ સમયે પ્રવેશને રદ કરવા માગે છે. સંસ્થાઓ આવા વિદ્યાર્થીઓ પાસેથી આવતા સેમેસ્ટર માટે ફી લઈ શકતી નથી. સાથે જ સંસ્થાઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, એવા વિદ્યાર્થીઓના તમામ રિફંડેબલ એકાઉન્ટ અને ડોક્યુમેન્ટ એડમિશન રદ્દ થવાના સાત દિવસમાં પરત કરવામાં આવે.

AICTE ના નવા નિયમ અનુસાર તે વિદ્યાર્થીઓ જે 10 નવેમ્બર 2020 સુધી એટમિશન પરત ખેચી લેશે તેમને 1000 રૂપિયા પ્રોસેસિંગ ફીસ કાપીને બાકી રકમ પરત કરવામાં આવશે.જે વિદ્યાર્થીઓ 10 નવેમ્બરના પછી એડમિશન પરત લેશે અને તેમની બેઠક 15 નવેમ્બર સુધી અન્ય વિદ્યાર્થીને આપી દેવામાં આવે તો તેને 1000 રૂપિયા પ્રોસેસિંગ ફીસ સિવાય ટયૂશન તથા હોસ્ટેલની ફિમાં અમુક ભાગ કાપીને બાકીની રકમ પરત કરવામાં આવશે.

જોકે 10 નવેમ્બર બાદ અડમિશન પરત લેનારની બેઠકો જો 15 નવેમ્બર સુધી ન ભરાય તો તેમને ફક્ત સિક્યોરિટી ડિપોઝિટની રકમ અને જમા કરેલા ઓરિજિનલ ડોક્યુમેન્ટપરત મળશે. આ સિવાય કાઉંસિલે ઇન્સ્ટિટ્યૂટ થી કહ્યું છે કે,તેઓ વિદ્યાર્થીઓના ઓસિજિનલ ડોક્યુમેન્ટ તથા ઇન્સ્ટિટ્યૂટ સર્ટિફિકેટ પણ પોતાની પાસે નથી રાખી શકતા

હૈદરાબાદ: કોરોના મહામારી દરમિયાન તકનીકી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) એ એવા વિદ્યાર્થીઓને ફી પરત આપવાનો નિર્દેશ આપ્યો છે જેઓ અમુક કારણોસર તેમનો પ્રવેશ રદ કરવા માગે છે. જોકે, સંપૂર્ણ ફી ફક્ત તે જ વિદ્યાર્થીઓને પરત કરવામાં આવશે જેઓ 10 નવેમ્બર 2020 સુધીમાં એડમિશન પરત લઇ લેશે.

પરિષદે તે વિદ્યાર્થીઓને રાહત પણ આપી છે, જેઓ અભ્યાસ દરમિયાન કોઈપણ સમયે પ્રવેશને રદ કરવા માગે છે. સંસ્થાઓ આવા વિદ્યાર્થીઓ પાસેથી આવતા સેમેસ્ટર માટે ફી લઈ શકતી નથી. સાથે જ સંસ્થાઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, એવા વિદ્યાર્થીઓના તમામ રિફંડેબલ એકાઉન્ટ અને ડોક્યુમેન્ટ એડમિશન રદ્દ થવાના સાત દિવસમાં પરત કરવામાં આવે.

AICTE ના નવા નિયમ અનુસાર તે વિદ્યાર્થીઓ જે 10 નવેમ્બર 2020 સુધી એટમિશન પરત ખેચી લેશે તેમને 1000 રૂપિયા પ્રોસેસિંગ ફીસ કાપીને બાકી રકમ પરત કરવામાં આવશે.જે વિદ્યાર્થીઓ 10 નવેમ્બરના પછી એડમિશન પરત લેશે અને તેમની બેઠક 15 નવેમ્બર સુધી અન્ય વિદ્યાર્થીને આપી દેવામાં આવે તો તેને 1000 રૂપિયા પ્રોસેસિંગ ફીસ સિવાય ટયૂશન તથા હોસ્ટેલની ફિમાં અમુક ભાગ કાપીને બાકીની રકમ પરત કરવામાં આવશે.

જોકે 10 નવેમ્બર બાદ અડમિશન પરત લેનારની બેઠકો જો 15 નવેમ્બર સુધી ન ભરાય તો તેમને ફક્ત સિક્યોરિટી ડિપોઝિટની રકમ અને જમા કરેલા ઓરિજિનલ ડોક્યુમેન્ટપરત મળશે. આ સિવાય કાઉંસિલે ઇન્સ્ટિટ્યૂટ થી કહ્યું છે કે,તેઓ વિદ્યાર્થીઓના ઓસિજિનલ ડોક્યુમેન્ટ તથા ઇન્સ્ટિટ્યૂટ સર્ટિફિકેટ પણ પોતાની પાસે નથી રાખી શકતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.