નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોએ છેલ્લી ઘડી સુધી જનતાને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. મતદારોને આકર્ષવા વાયદાઓના પટારા ખુલ્લા મુક્યા છે. મતદારોને રીઝવવા રાજકીય પક્ષોએ પોતાનો મેનિફેસ્ટોમાં વિવિધ સપના લોકોને દેખાડયાં છે. 8 ફેબ્રુઆરીએ દિલ્હીની ચૂંટણીમાં મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે. આ વખતે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી રહી છે.
-
Delhi Deputy CM Manish Sisodia on release of AAP manifesto: If a sanitation worker dies during duty then his/her family will be given a financial assistance of Rs 1 crore. pic.twitter.com/pNbTAoSujK
— ANI (@ANI) February 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Delhi Deputy CM Manish Sisodia on release of AAP manifesto: If a sanitation worker dies during duty then his/her family will be given a financial assistance of Rs 1 crore. pic.twitter.com/pNbTAoSujK
— ANI (@ANI) February 4, 2020Delhi Deputy CM Manish Sisodia on release of AAP manifesto: If a sanitation worker dies during duty then his/her family will be given a financial assistance of Rs 1 crore. pic.twitter.com/pNbTAoSujK
— ANI (@ANI) February 4, 2020
આમ આદમી પાર્ટી (AAP)એ મંગળવારે તેનું ઘોષણા-પત્ર જાહેર કર્યું છે. AAPએ તેના ઘોષણાપત્રમાં સ્વચ્છ દિલ્હી અને સ્વચ્છ યમુનાની ગેરંટી આપી છે. પક્ષે ગરીબ લોકો માટે રેશન ડોર સ્ટેપ ડિલિવરી સેવા ચાલુ કરવાની વાત કરી છે. આ વ્યવસ્થા સેવાઓની ડિલિવરીની માફક કામ કરશે.
કોંગ્રેસ અને ભાજપ અગાઉ જ તેમના મેનીફેસ્ટો જાહેર કરી ચુક્યા છે. જાન્યુઆરીમાં AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલે 'કેજરીવાલ કા ગેરન્ટી કાર્ડ' જાહેર કર્યું હતું. તેમા રાજધાનીના દરેક નાગરિકોને 200 યુનિટ વીજળી, મહોલ્લા માર્શલ અને 24 કલાક સ્વચ્છ પાણી આપવાનું વચન આપ્યું હતું. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે જ્યારે 11મી ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે.