ETV Bharat / bharat

કુપોષણ પ્રત્યે નરમ વલણ, તો કઈ રીતે બનશે સ્વસ્થ નાગરિક !

ન્યુઝ ડેસ્કઃ ગ્લોબલ હંગર ઈન્ડેક્ષમાં ભારત 102માં સ્થાન પર છે. ભારત તેના પડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ, મ્યાનમાર અને શ્રીલંકાથી પણ પાછળ છે. દેશમાં ભુખમરાથી મરનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે.

author img

By

Published : Nov 22, 2019, 9:46 AM IST

Updated : Nov 22, 2019, 11:38 AM IST

global hunger index in gujarati

તાજેતરની આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ(IMF)ની સાથેની બેઠકમાં વિશ્વ બેન્કએ કહ્યું કે, ભારતે 1990ના દાયકાથી પોતાની પ્રોપર્ટી રેટ અડધો કરી દીધો છે. પરંતું હકીકતમાં છેલ્લા ત્રણ વર્ષોમાં કુપોષણથી મરવાળાની સંખ્યામાં વધારો થયો છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્ષ(global hunger index)માં ભારતનું સ્થાન 117માંથી 102મું છે. ભારત પાડોશી દેશોનું સ્થાન ભારત કરતા સારુ છે, જેમાં પાકિસ્તાન 94, બાંગ્લાદેશ 88, નેપાલ 73, મ્યાનમાર 69 અને શ્રીલંકા 66માં સ્થાને છે.

ગ્લોબલ હંગર ઈન્ડેક્ષના તારણથી જાણવા મળ્યું કે, કુપોષણ પાછળ ભારતમાં વસતિ વિસ્ફોટ જવાબદાર છે. જો આ તારણ સાચુ છે, તો આશ્ચર્યની વાત એ છે કે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન ગ્લોબલ હંગર ઈન્ડેક્ષમાં 25માં સ્થાને છે. સંયુક્ત રાષ્ટ્રસંધના ખાદ્ય અને કૃષિ સંસ્થા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, કુપોષણથી પીડાતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. વિશ્વ બેન્કે ચેતવણી આપી હતી કે, મોટાપાયે થઈ રહેલા જળવાયુ પરિવર્તના કારણે ભારત જેવા એશિયાઈ દેશોમાં ખાદ્ય પદાર્થોનાં ઉત્પાદનમાં ઘટાડો થશે. આ એક સર્વવિવાદિત તથ્ય છે. જેનાં પરિણામ કાયમી વિકાસને અવરોધે છે. કૃષિ ઉપજમાં વધારો ન થવાના કારણે અને વધતી જતી વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા પ્રમાણમાં વાવેતર ન થવાને કારણે ખાદ્ય અસલામતી સર્જાય છે. આજે પણ 75 ટકા ગ્રામીણ વસતિ અને શહેરી વસતિનો 50 ટકા હિસ્સો ખાદ્ય પેદાશોની ખરીદી માટે સરકારની રેશન સિસ્ટમ પર નિર્ભર છે.

global hunger index in gujarati
કુપોષણ પ્રત્યે નરમ વલણ, તો કઈ રીતે બનશે સ્વસ્થ નાગરિક

આર્થિક વસ્તી ગણતરીમાં ગરીબીમાં થયેલ વધારાનો ઉલ્લેખ છે, કુપોષિત લોકોની સંખ્યા વધી રહી છે. મહિલાઓ અને બાળકો સૌથી વધુ કુપોષિત છે. 15થી 49 વર્ષના વયજૂથની 50 ટકા મહિલા એનિમિયાથી પીડિત છે. તાજેતરમાં જાહેર થયેલા ગ્લોબલ હંગર ઈન્ડેક્ષનાં આંકડા અનુસાર, ભારતમાં બાળ કુપોષણનો દર સૌથી વધું 20.8 ટકા છે. 37.9 ટકા બાળકો કુપોષિત છે. ફક્ત 9થી 23 મહિના બાળકોનું જ પોષણ થાય છે. આ સંખ્યા દેશની દયનીય હાલત દર્શાવે છે. કુપોષણ, પીવાનું દૂષિત પાણી, સ્વચ્છતાની સુવિધામાં અભાવ, કોલેરા, મલેરિયા અને વાયરલ ઈન્ફેકશન જેવી બિમારીઓથી બાળકો જજુમી રહ્યા છે. આ બધી સમસ્યાઓ સાથે અન્ય ઘણી સમસ્યા સામનો કરવા સજ્જ છે. જો કે, સરકારે રોજગાર અને ભોજન ઉતલબ્ધ કરાવાની પહેલ કરી છે. પરંતું આ એક કડવી સચ્ચાઈ છે કે, સરકાર કુદરતી આફતો અને ખાદ્યની સમસ્યા સામે લડી રહી છે.

માતા અને બાળકના વિકાસ માટેની એકંદર નીતિઓ અને યોજનાઓ સાથે દ્વારા કુપોષણનો ભય દૂર કરી શકાય છે. 2022 સુધીમાં ભારતને કુપોષણ મુક્ત રાષ્ટ્ર બનાવવા માટે યોગ્ય અમલીકરણ સાથે એક વ્યાપક નીતિ ઘડવી પડશે. કાયમી વિકાસ માટે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ અસરકારક રીતે કરવો જોઈએ. કૃષિઉત્પાદન વધારવા માટે પગલાં ભરવા જોઈએ. નવી નવી પાકની જાતો રજૂ કરી તેનાં કાળા બજાર થતું અટકાવી સપ્લાય ચેન સુધારી શકાય છે. પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવો અને જળ સંસાધનોના બચાવના મહત્વ વિશે જાગૃતિ લાવવાથી સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. પર્યાવરણને સુરક્ષિત રાખીને કુદરતી આપત્તિઓમાં ઘટાડો કરી શકાય છે. બાળકો કુપોષણ સામે લડશે તો જ નાગરિકો સ્વસ્થ બની શકે છે.

global hunger index in gujarati
કુપોષણ પ્રત્યે નરમ વલણ, તો કઈ રીતે બનશે સ્વસ્થ નાગરિક

તાજેતરની આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ(IMF)ની સાથેની બેઠકમાં વિશ્વ બેન્કએ કહ્યું કે, ભારતે 1990ના દાયકાથી પોતાની પ્રોપર્ટી રેટ અડધો કરી દીધો છે. પરંતું હકીકતમાં છેલ્લા ત્રણ વર્ષોમાં કુપોષણથી મરવાળાની સંખ્યામાં વધારો થયો છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્ષ(global hunger index)માં ભારતનું સ્થાન 117માંથી 102મું છે. ભારત પાડોશી દેશોનું સ્થાન ભારત કરતા સારુ છે, જેમાં પાકિસ્તાન 94, બાંગ્લાદેશ 88, નેપાલ 73, મ્યાનમાર 69 અને શ્રીલંકા 66માં સ્થાને છે.

ગ્લોબલ હંગર ઈન્ડેક્ષના તારણથી જાણવા મળ્યું કે, કુપોષણ પાછળ ભારતમાં વસતિ વિસ્ફોટ જવાબદાર છે. જો આ તારણ સાચુ છે, તો આશ્ચર્યની વાત એ છે કે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન ગ્લોબલ હંગર ઈન્ડેક્ષમાં 25માં સ્થાને છે. સંયુક્ત રાષ્ટ્રસંધના ખાદ્ય અને કૃષિ સંસ્થા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, કુપોષણથી પીડાતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. વિશ્વ બેન્કે ચેતવણી આપી હતી કે, મોટાપાયે થઈ રહેલા જળવાયુ પરિવર્તના કારણે ભારત જેવા એશિયાઈ દેશોમાં ખાદ્ય પદાર્થોનાં ઉત્પાદનમાં ઘટાડો થશે. આ એક સર્વવિવાદિત તથ્ય છે. જેનાં પરિણામ કાયમી વિકાસને અવરોધે છે. કૃષિ ઉપજમાં વધારો ન થવાના કારણે અને વધતી જતી વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા પ્રમાણમાં વાવેતર ન થવાને કારણે ખાદ્ય અસલામતી સર્જાય છે. આજે પણ 75 ટકા ગ્રામીણ વસતિ અને શહેરી વસતિનો 50 ટકા હિસ્સો ખાદ્ય પેદાશોની ખરીદી માટે સરકારની રેશન સિસ્ટમ પર નિર્ભર છે.

global hunger index in gujarati
કુપોષણ પ્રત્યે નરમ વલણ, તો કઈ રીતે બનશે સ્વસ્થ નાગરિક

આર્થિક વસ્તી ગણતરીમાં ગરીબીમાં થયેલ વધારાનો ઉલ્લેખ છે, કુપોષિત લોકોની સંખ્યા વધી રહી છે. મહિલાઓ અને બાળકો સૌથી વધુ કુપોષિત છે. 15થી 49 વર્ષના વયજૂથની 50 ટકા મહિલા એનિમિયાથી પીડિત છે. તાજેતરમાં જાહેર થયેલા ગ્લોબલ હંગર ઈન્ડેક્ષનાં આંકડા અનુસાર, ભારતમાં બાળ કુપોષણનો દર સૌથી વધું 20.8 ટકા છે. 37.9 ટકા બાળકો કુપોષિત છે. ફક્ત 9થી 23 મહિના બાળકોનું જ પોષણ થાય છે. આ સંખ્યા દેશની દયનીય હાલત દર્શાવે છે. કુપોષણ, પીવાનું દૂષિત પાણી, સ્વચ્છતાની સુવિધામાં અભાવ, કોલેરા, મલેરિયા અને વાયરલ ઈન્ફેકશન જેવી બિમારીઓથી બાળકો જજુમી રહ્યા છે. આ બધી સમસ્યાઓ સાથે અન્ય ઘણી સમસ્યા સામનો કરવા સજ્જ છે. જો કે, સરકારે રોજગાર અને ભોજન ઉતલબ્ધ કરાવાની પહેલ કરી છે. પરંતું આ એક કડવી સચ્ચાઈ છે કે, સરકાર કુદરતી આફતો અને ખાદ્યની સમસ્યા સામે લડી રહી છે.

માતા અને બાળકના વિકાસ માટેની એકંદર નીતિઓ અને યોજનાઓ સાથે દ્વારા કુપોષણનો ભય દૂર કરી શકાય છે. 2022 સુધીમાં ભારતને કુપોષણ મુક્ત રાષ્ટ્ર બનાવવા માટે યોગ્ય અમલીકરણ સાથે એક વ્યાપક નીતિ ઘડવી પડશે. કાયમી વિકાસ માટે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ અસરકારક રીતે કરવો જોઈએ. કૃષિઉત્પાદન વધારવા માટે પગલાં ભરવા જોઈએ. નવી નવી પાકની જાતો રજૂ કરી તેનાં કાળા બજાર થતું અટકાવી સપ્લાય ચેન સુધારી શકાય છે. પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવો અને જળ સંસાધનોના બચાવના મહત્વ વિશે જાગૃતિ લાવવાથી સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. પર્યાવરણને સુરક્ષિત રાખીને કુદરતી આપત્તિઓમાં ઘટાડો કરી શકાય છે. બાળકો કુપોષણ સામે લડશે તો જ નાગરિકો સ્વસ્થ બની શકે છે.

global hunger index in gujarati
કુપોષણ પ્રત્યે નરમ વલણ, તો કઈ રીતે બનશે સ્વસ્થ નાગરિક
Intro:Body:

जब कुपोषण के खिलाफ ढीला है रवैया, तो कैसे बनें स्वस्थ नागरिक


Conclusion:
Last Updated : Nov 22, 2019, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.