ETV Bharat / bharat

602 મજૂર વિશેષ ટ્રેનો દોડાવાઈ, 7 લાખથી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા

author img

By

Published : May 13, 2020, 3:28 PM IST

કોરોના રોગચાળાને કારણે લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતીય કામદારોને તેમના વતન મોકલવા માટે કામદારોની વિશેષ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. અત્યારસુધીમાં 7 લાખ સ્થળાંતર મજૂરોને ઘરે મોકલી દેવાયા છે. રેલવેનું કહેવું છે કે, 602 'શ્રમિક સ્પેશિયલ' ટ્રેનો મે મહિનાથી દોડાવવામાં આવી છે.

કોરોના
કોરોના

નવી દિલ્હી: 1 મેથી રેલવેએ 602 'શ્રમિક સ્પેશિયલ ટ્રેન' ચલાવી છે અને તાળાબંધીના કારણે દેશના જુદા જુદા ભાગોમાં ફસાયેલા લગભગ સાત લાખ સ્થળાંતરીઓને તેમના ઘરે પરિવહન કર્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કામદારોને ઝડપથી ઘરે પરત લાવવા માટે રેલવે હવે દરરોજ 100 મજૂરોની વિશેષ ટ્રેનો ચલાવશે.

સાંજે 4 વાગ્યા સુધી દોડતી 575 ટ્રેનોમાંથી 463 તેમના ગંતવ્ય પર પહોંચી ગઈ છે અને 112 માર્ગ પર છે.

આ ટ્રેનો દ્વારા તિરુચિરપ્પ્લી, ટીટલાગઢ, બરાઉની, ખંડવા, જગન્નાથપુર, ખુર્દા રોડ, પ્રયાગરાજ, છપરા, બલિયા, ગયા, પૂર્ણિયા, વારાણસી, દરભંગા, ગોરખપુર, લખનૌ, જૈનપુર, હટિયા, બસ્તી, કતિહાર, દાનપુર, મુઝફ્ફરપુર, સહસા શહેરોમાં સ્થાળાંતરિત કરવામા આવ્યા છે.

ટ્રેનમાં ચઢતા પહેલા મુસાફરોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. મુસાફરોને મુસાફરી દરમિયાન નિ:શુલ્ક ખોરાક અને પાણી આપવામાં આવતું હતું.

શરૂઆતમાં કોઈ પણ સ્ટેશન પર આ ટ્રેનોને રોકવાની કોઈ યોજના નહોતી, પરંતુ સોમવારે રેલવેએ જાહેરાત કરી કે, તેને ગંતવ્ય રાજ્યોમાં વધુમાં વધુ ત્રણ સ્ટેશનો પર રોકાવાની મંજૂરી આપવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ નિર્ણય આ સંદર્ભે રાજ્ય સરકારની વિનંતી પર લેવામાં આવ્યો છે.

નવી દિલ્હી: 1 મેથી રેલવેએ 602 'શ્રમિક સ્પેશિયલ ટ્રેન' ચલાવી છે અને તાળાબંધીના કારણે દેશના જુદા જુદા ભાગોમાં ફસાયેલા લગભગ સાત લાખ સ્થળાંતરીઓને તેમના ઘરે પરિવહન કર્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કામદારોને ઝડપથી ઘરે પરત લાવવા માટે રેલવે હવે દરરોજ 100 મજૂરોની વિશેષ ટ્રેનો ચલાવશે.

સાંજે 4 વાગ્યા સુધી દોડતી 575 ટ્રેનોમાંથી 463 તેમના ગંતવ્ય પર પહોંચી ગઈ છે અને 112 માર્ગ પર છે.

આ ટ્રેનો દ્વારા તિરુચિરપ્પ્લી, ટીટલાગઢ, બરાઉની, ખંડવા, જગન્નાથપુર, ખુર્દા રોડ, પ્રયાગરાજ, છપરા, બલિયા, ગયા, પૂર્ણિયા, વારાણસી, દરભંગા, ગોરખપુર, લખનૌ, જૈનપુર, હટિયા, બસ્તી, કતિહાર, દાનપુર, મુઝફ્ફરપુર, સહસા શહેરોમાં સ્થાળાંતરિત કરવામા આવ્યા છે.

ટ્રેનમાં ચઢતા પહેલા મુસાફરોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. મુસાફરોને મુસાફરી દરમિયાન નિ:શુલ્ક ખોરાક અને પાણી આપવામાં આવતું હતું.

શરૂઆતમાં કોઈ પણ સ્ટેશન પર આ ટ્રેનોને રોકવાની કોઈ યોજના નહોતી, પરંતુ સોમવારે રેલવેએ જાહેરાત કરી કે, તેને ગંતવ્ય રાજ્યોમાં વધુમાં વધુ ત્રણ સ્ટેશનો પર રોકાવાની મંજૂરી આપવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ નિર્ણય આ સંદર્ભે રાજ્ય સરકારની વિનંતી પર લેવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.