પટનાઃ બિહારના વિભિન્ન જિલ્લામાંથી પોલીસે તબલીઘી જમાત સાથે જોડાયેલા 57 વિદેશી નાગરિકોના વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવાના કેસમાં મંગળવારે ધરપકડ કરી હતી.
પટનાના વરિષ્ઠ પોલીસ અધિકારી ઉપેન્દ્ર શર્માએ જણાવ્યું કે, કિર્ગિસ્તાન નિવાસી કુલ 17 લોકો પર્યટન વિઝા પર ભારત આવ્યા હતા અને વિઝા નિયમનું ઉલ્લંઘન કરતા ધાર્મિક પ્રચાર કાર્ય કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, આ લોકો વિરૂદ્ધ વિદેશી અધિનિયમ હેઠળ FIR દાખલ કરવામાં આવી છે અને જેલમાં મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 23 માર્ચે પોલીસે આ લોકોને પટનાના દીઘા અને ફુલવારીશરીફ પોલીસ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી અને પટના એમ્સમાં મેડિકલ તપાસ કરવા હતી. જેમાં કોરોના વાઇરસના સંક્રમણ ન મળવાથી તેને અલગ અલગ જગ્યાએ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
કિશનગંજના પોલીસ અધિક્ષક કુમાર આશિષે જણાવ્યું હતું કે, પર્યટન વિઝા પર આવેલા 10 ઇન્ડોનેશિયા અને એક મલેશિયાના નાગરિકના વિઝા નિયમ ઉલ્લંઘન કર્યા બાદ સ્થાનિક પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, 31 માર્ચે તેમનું મેડિકલ ચૅક અપ કરવામાં આવ્યું હતું, જેમાં રિપોર્ટ તમામના રિપોર્ટ નેગેટિવ મળ્યા હતા.
બિહારના અરરિયા જિલ્લામાં વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં તબલીઘી જમાત સાથે જોડાયેલા 18 વિદેશીઓની ધરપકડ કરવામાં આવી છે.
અરરિયા પોલીસ અધિકારી પુષ્કર કુમારના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા તમામ વિદેશી નાગરિકોની તપાસ કરવામાં આવી છે અને તમામને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવશે.