ETV Bharat / bharat

બિહારમાં વીજળી પડવાથી ચાર મજૂરોના મોત

author img

By

Published : Jul 8, 2020, 7:28 AM IST

બિહારના મંજોલમાં મજૂરી કરવા ગયેલા ચાર મજૂરોની વીજળી પડવાથી મોત થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણકારી પરિજનોને સાંજે સાત કલાકે થઇ હતી, જ્યારે મજૂરો ઘરે પરત ન ફર્યા ત્યારે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

Bihar News
Bihar News

બેગૂસરાયઃ બિહારના મંજોલમાં મજૂરી કરવા ગયેલા ચાર મજૂરોની વીજળી પડવાથી મોત થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણકારી પરિજનોને સાંજે સાત કલાકે થઇ હતી, જ્યારે મજૂરો ઘરે પરત ન ફર્યા ત્યારે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

ખેડૂતે આપી માહિતી

પરિજનો દ્વારા શોધખોળ કર્યા બાદ કામેથી પરત ફરતા એક ખેડૂત દ્વારા ચાર મહિલાના મૃતદેહ એક ખેતરમાં પડ્યા હોવાની માહિતી આપવામાં આવી હતી. જે બાદ સ્થાનિકો આ મૃતદેહો વિશે બાબત પોલીસ સ્ટેશનને માહિતી આપી હતી. આ સૂચના મળ્યા બાદ પોલીસ પ્રશાસને મૃતદેહને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતાં.

Bihar News
બિહારમાં વીજળી પડવાથી ચાર મજૂરોના મોત

દીકરી સહિત ચાર મહિલા મજૂરોના મોત

મંજોલ ઓપી પોલીસે જણાવ્યું કે, મૃતદેહની ઓળખ ભગ 58 વર્ષીય વીણા દેવી, તેની પુત્રી લગભગ 19 વર્ષીય પાર્વતી, નંદન મહતોની પત્ની ફુલપરી દેવી અને લડ્ડુલાલની પુત્રી મમતા કુમારી તરીકે થઇ છે. આ બધા જ મંજોલ પંચાયત ચારના પંચાયતના નિવાસી છે.

સવારે પણ મા-દીકરીનું થયું હતું મોત

આ પહેલા બીજી ઘટનામાં ચેરિયા બરિયરપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખનજહાપુર ગામમાં મવેશીના ચારો કાપી રહેલા નંદન પંડિતની 48 વર્ષીય પત્ની સોના દેવી અને પુત્રી કાજલનું મોત ઘટનાસ્થળે જ થયું હતું.

બેગૂસરાયઃ બિહારના મંજોલમાં મજૂરી કરવા ગયેલા ચાર મજૂરોની વીજળી પડવાથી મોત થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણકારી પરિજનોને સાંજે સાત કલાકે થઇ હતી, જ્યારે મજૂરો ઘરે પરત ન ફર્યા ત્યારે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

ખેડૂતે આપી માહિતી

પરિજનો દ્વારા શોધખોળ કર્યા બાદ કામેથી પરત ફરતા એક ખેડૂત દ્વારા ચાર મહિલાના મૃતદેહ એક ખેતરમાં પડ્યા હોવાની માહિતી આપવામાં આવી હતી. જે બાદ સ્થાનિકો આ મૃતદેહો વિશે બાબત પોલીસ સ્ટેશનને માહિતી આપી હતી. આ સૂચના મળ્યા બાદ પોલીસ પ્રશાસને મૃતદેહને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતાં.

Bihar News
બિહારમાં વીજળી પડવાથી ચાર મજૂરોના મોત

દીકરી સહિત ચાર મહિલા મજૂરોના મોત

મંજોલ ઓપી પોલીસે જણાવ્યું કે, મૃતદેહની ઓળખ ભગ 58 વર્ષીય વીણા દેવી, તેની પુત્રી લગભગ 19 વર્ષીય પાર્વતી, નંદન મહતોની પત્ની ફુલપરી દેવી અને લડ્ડુલાલની પુત્રી મમતા કુમારી તરીકે થઇ છે. આ બધા જ મંજોલ પંચાયત ચારના પંચાયતના નિવાસી છે.

સવારે પણ મા-દીકરીનું થયું હતું મોત

આ પહેલા બીજી ઘટનામાં ચેરિયા બરિયરપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખનજહાપુર ગામમાં મવેશીના ચારો કાપી રહેલા નંદન પંડિતની 48 વર્ષીય પત્ની સોના દેવી અને પુત્રી કાજલનું મોત ઘટનાસ્થળે જ થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.