મુંબઇઃ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં એક દર્દનાક ઘટના સામે આવી છે. જિલ્લાના શ્રીગોંદામાં 4 સગા ભાઇઓના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. બધા જ મૃતક ઉત્તર પ્રદેશના રહેવાસી હતા.
મળતી માહિતી મુજબ સલીમ અહમદ કામની શોધમાં પોતાની પત્ની અને 4 દિકરાઓની સાથે અહમદનગર આવ્યો હતો.
મૃતકોની ઓળખ
- નવાજિસ સલીમ અહમદ (ઉંમર- 9 વર્ષ)
- દાનિશ સલીમ અહમદ (ઉંમર- 13 વર્ષ)
- અરબાઝ સલીમ અહમદ (ઉંમર- 21 વર્ષ)
- ફૈઝલ સલીમ અહમદ (ઉંમર- 18 વર્ષ)
આ ઘટનામાં મૃતકોની માસીનો દિકરો બચી ગયો છે. શરુઆતી જાણકારી મુજબ બધા તળાવમાં તરવા માટે ગયા હતા.