ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશ: માર્ગ અકસ્માતમાં 24 કામદારોનાં મોત, અનેક ઘાયલ, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

author img

By

Published : May 16, 2020, 2:34 PM IST

ઉત્તર પ્રદેશમાં માર્ગ અકસ્માતમાં 24 કામદારોનાં મોત થયા હતા. જે અંગે દુઃખ વ્યકત કરતાં રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ ટ્વીટ કર્યુ હતું.

UPના રોડ અકસ્માતમાં 24 મજૂરોના મોત, PM સહિત અનેક નેતાઓએ દુઃખ કર્યુ
UPના રોડ અકસ્માતમાં 24 મજૂરોના મોત, PM સહિત અનેક નેતાઓએ દુઃખ કર્યુ

ઉત્તર પ્રદેશઃ માર્ગ અકસ્માતમાં 24 કામદારોનાં મોત થયા છે. આ દુર્ઘટના રાજ્યના ઓરૈયા જિલ્લામાં બની છે. બધા રાજસ્થાનથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. મોટાભાગના મજૂરો બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના હોવાનું મનાય છે.

રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી ઘટના અંગે દુઃ ખ વ્યક્ત કર્યુ
રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી ઘટના અંગે દુઃ ખ વ્યક્ત કર્યુ
  • उत्तर प्रदेश के औरैया में सड़क दुर्घटना बेहद ही दुखद है। सरकार राहत कार्य में तत्परता से जुटी है। इस हादसे में मारे गए लोगों के परिजनों के प्रति अपनी संवेदना प्रकट करता हूं, साथ ही घायलों के जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं।

    — Narendra Modi (@narendramodi) May 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ ઘટનામાં 15 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જેમને સારવાર હેઠળ રખાયા છે. ઘટનાની જાણ થતાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું. સાથે જ પીડિતોને મદદ કરવાનું વચન આપ્યુ હતું. આ ઉપરાંત વડાપ્રધાન મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે પણ ઘટના અંગે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ હતું.

  • उतर प्रदेश के औरैया में सड़क हादसे में 24 मजदूरों की मौत और अनेक लोगों के घायल होने की खबर से आहत हूं।मृतकों के परिवारों के प्रति मैं अपनी गहरी संवेदना व्यक्त करता हूं और घायलों के जल्द स्वस्थ होने की कामना करता हूं।

    — Rahul Gandhi (@RahulGandhi) May 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ, રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ અકસ્માતમાં મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ પહેલા ઉત્તર પ્રદેશના હરદોઈના બિલ્ગ્રામ કોટવાલી વિસ્તારમાં રવિવારે માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા હતાં અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.

દેશમાં લોકડાઉન થયા પછી, પરપ્રાંતિય મજૂરોનું સ્થળાંતર ચાલુ છે. આ જ ક્રમમાં આવા અનેક દુઃખદ અકસ્માતો સાંભળવા મળી રહ્યા છે. આ પહેલા પણ મધ્યપ્રદેશમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અનેક મજૂરોનાં મોત થયા હતાં.

ઉત્તર પ્રદેશઃ માર્ગ અકસ્માતમાં 24 કામદારોનાં મોત થયા છે. આ દુર્ઘટના રાજ્યના ઓરૈયા જિલ્લામાં બની છે. બધા રાજસ્થાનથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. મોટાભાગના મજૂરો બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના હોવાનું મનાય છે.

રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી ઘટના અંગે દુઃ ખ વ્યક્ત કર્યુ
રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી ઘટના અંગે દુઃ ખ વ્યક્ત કર્યુ
  • उत्तर प्रदेश के औरैया में सड़क दुर्घटना बेहद ही दुखद है। सरकार राहत कार्य में तत्परता से जुटी है। इस हादसे में मारे गए लोगों के परिजनों के प्रति अपनी संवेदना प्रकट करता हूं, साथ ही घायलों के जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं।

    — Narendra Modi (@narendramodi) May 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ ઘટનામાં 15 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જેમને સારવાર હેઠળ રખાયા છે. ઘટનાની જાણ થતાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું. સાથે જ પીડિતોને મદદ કરવાનું વચન આપ્યુ હતું. આ ઉપરાંત વડાપ્રધાન મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે પણ ઘટના અંગે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ હતું.

  • उतर प्रदेश के औरैया में सड़क हादसे में 24 मजदूरों की मौत और अनेक लोगों के घायल होने की खबर से आहत हूं।मृतकों के परिवारों के प्रति मैं अपनी गहरी संवेदना व्यक्त करता हूं और घायलों के जल्द स्वस्थ होने की कामना करता हूं।

    — Rahul Gandhi (@RahulGandhi) May 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ, રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ અકસ્માતમાં મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ પહેલા ઉત્તર પ્રદેશના હરદોઈના બિલ્ગ્રામ કોટવાલી વિસ્તારમાં રવિવારે માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા હતાં અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.

દેશમાં લોકડાઉન થયા પછી, પરપ્રાંતિય મજૂરોનું સ્થળાંતર ચાલુ છે. આ જ ક્રમમાં આવા અનેક દુઃખદ અકસ્માતો સાંભળવા મળી રહ્યા છે. આ પહેલા પણ મધ્યપ્રદેશમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અનેક મજૂરોનાં મોત થયા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.