ETV Bharat / bharat

DGCAએ Go Firstનો ઉધડો લીધો, જવાબદારી સામે બેદરકારી કેમ? ખુલાસો કરો

author img

By

Published : Jan 11, 2023, 9:20 AM IST

બેંગલુરુથી દિલ્હી જતુ વિમાન 50 થી વધુ (Bengaluru Delhi plane abandons over 50 flyers) મુસાફરોને લીધા વિના જ ટેકઓફ કરી જતા એવિશન વિભાગ સુધી મોટા પડઘા પડ્યા છે. જેને લઇને DGCAએ(Directorate General of Civil Aviation) બેદરકારીના મામલામાં GoFirst Airline પાસેથી જવાબ માંગ્યો છે. પોતાનો (air india) જવાબ દાખલ કરવા માટે તેમને બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. જ્યારથી વિમાનમાં એક પ્રવાસીએ પેશાબ કરી લીધાનો મામલો સામે આવ્યો છે ત્યારથી એવું લાગે છે જાણે એર કંપનીઓની માઠી બેઠી હોય

DGCA એ Go Firstનો ઉધડો લીધો, જવાબદારી સામે બેદરકાર કેમ? જવાબ આપે કંપની
DGCA એ Go Firstનો ઉધડો લીધો, જવાબદારી સામે બેદરકાર કેમ? જવાબ આપે કંપની

નવી દિલ્હી તારીખ 9 જાન્યુઆરીએ કર્ણાટકના મહાનગર બેંગલુરુ એરપોર્ટથી ગો-એરની એક ફ્લાઈટ 50 થી (Bengaluru Delhi plane abandons over 50 flyers) વધુ મુસાફરોને લીધા વગર ટેક ઓફ થઈ જતા પ્રવાસીઓ પરેશાન થયા હતા. જેને લઇને એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) સુધી આ ઘટનાના મોટા પડઘા પડતા તંત્રએ હવે કંપની પાસે ખુલાસો માગ્યો છે.

આ પણ વાંચો એર ઈન્ડિયા એરબસ, બોઈંગ પાસેથી અબજો રૂપિયાના 500 વિમાન ખરીદે એવા એંધાણ

પૈસા આપી હાથ ઊંચાઃ સિવિલ એવિએશન વિભાગે GoFirst (GoAir)પાસેથી જવાબ મંગાવ્યો છે. આ સમયે 55માંથી 53 મુસાફરોને દિલ્હી માટે અન્ય એરલાઇનમાં શિફ્ટ (air india) કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના 2 મુસાફરોએ રિફંડની માંગણી કરી હતી. જે એરલાઇન દ્વારા ચૂકવવામાં આવી હતી. જોકે, કંપનીએ પૈસા આપીને હાથ ઊંચા કરી દીધા છે. આ મામલે ઘણા પ્રવાસીઓ એવું ઈચ્છે છે કે, કંપની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે.

કંપની ખુલાસો કરેઃ GoFirst એરલાઇનના અધિકારીઓએ તેમની નિયમનકારી જવાબદારીઓના ભંગ બદલ તેમની સામે અમલીકરણની કાર્યવાહી કેમ ન કરવી જોઈએ તેનું કારણ દર્શાવવું પડશે. DGCAને પોતાનો જવાબ દાખલ કરવા માટે તેમને બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. જોકે, સોશિયલ મીડિયા પર માફી માગ્યા બાદ કંપનીએ કોઈ પ્રકારની લેખિતમાં જાણકારી કે માફી આપી હોવાનું જાણવા મળ્યું નથી.

સોશિયલ મીડિયા પર માહિતી આ સમય દરમિયાન મુસાફરોએ ભારે નિરાશા વ્યક્ત કરી છે. પ્રવાસીઓએ કંપનીના નામ અને ફ્લાઈટ નંબર સાથે આ બેદરકારી સોશિયલ મીડિયા શેર કરી દીધી છે. આવું કરીને પ્રવાસીઓએ રોષ ઠાલવ્યો હતો. આ ફ્લાઈટ સોમવારે સાંજે 6.40 કલાકે ત્યાંથી રવાના થઈ હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (Directorate General of Civil Aviation)એ એરલાઈન પાસેથી આ ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક ટ્વીટના જવાબમાં એરલાઈને મુસાફરોને થયેલી અસુવિધા માટે માફી માંગી છે.

આ પણ વાંચો સૂર્યકિરણ ટીમના 8 ફાઇટર પ્લેને વડોદરાનું ગગન ગજવ્યું

ફ્લાઇટમાં ટેકનિકલ ખામી અન્ય બીજી પણ આવી જ એક ઘટના બની હતી.જેમાં દિલ્હીથી ભુવનેશ્વર જતી એરલાઇનની ફ્લાઇટ ટેકનિકલ ખામી બાદ ફરી દિલ્હી પરત ફરી હતી. આ વિમાનમાં 140 મુસાફરો હતા. ડીજીસીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ એરલાઇન વિશે તપાસ કરવામાં આવશે. આવા કેસમાં દરેક પ્રવાસીઓ એવું ઈચ્છે છે કે, કંપની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે.

નવી દિલ્હી તારીખ 9 જાન્યુઆરીએ કર્ણાટકના મહાનગર બેંગલુરુ એરપોર્ટથી ગો-એરની એક ફ્લાઈટ 50 થી (Bengaluru Delhi plane abandons over 50 flyers) વધુ મુસાફરોને લીધા વગર ટેક ઓફ થઈ જતા પ્રવાસીઓ પરેશાન થયા હતા. જેને લઇને એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) સુધી આ ઘટનાના મોટા પડઘા પડતા તંત્રએ હવે કંપની પાસે ખુલાસો માગ્યો છે.

આ પણ વાંચો એર ઈન્ડિયા એરબસ, બોઈંગ પાસેથી અબજો રૂપિયાના 500 વિમાન ખરીદે એવા એંધાણ

પૈસા આપી હાથ ઊંચાઃ સિવિલ એવિએશન વિભાગે GoFirst (GoAir)પાસેથી જવાબ મંગાવ્યો છે. આ સમયે 55માંથી 53 મુસાફરોને દિલ્હી માટે અન્ય એરલાઇનમાં શિફ્ટ (air india) કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના 2 મુસાફરોએ રિફંડની માંગણી કરી હતી. જે એરલાઇન દ્વારા ચૂકવવામાં આવી હતી. જોકે, કંપનીએ પૈસા આપીને હાથ ઊંચા કરી દીધા છે. આ મામલે ઘણા પ્રવાસીઓ એવું ઈચ્છે છે કે, કંપની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે.

કંપની ખુલાસો કરેઃ GoFirst એરલાઇનના અધિકારીઓએ તેમની નિયમનકારી જવાબદારીઓના ભંગ બદલ તેમની સામે અમલીકરણની કાર્યવાહી કેમ ન કરવી જોઈએ તેનું કારણ દર્શાવવું પડશે. DGCAને પોતાનો જવાબ દાખલ કરવા માટે તેમને બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. જોકે, સોશિયલ મીડિયા પર માફી માગ્યા બાદ કંપનીએ કોઈ પ્રકારની લેખિતમાં જાણકારી કે માફી આપી હોવાનું જાણવા મળ્યું નથી.

સોશિયલ મીડિયા પર માહિતી આ સમય દરમિયાન મુસાફરોએ ભારે નિરાશા વ્યક્ત કરી છે. પ્રવાસીઓએ કંપનીના નામ અને ફ્લાઈટ નંબર સાથે આ બેદરકારી સોશિયલ મીડિયા શેર કરી દીધી છે. આવું કરીને પ્રવાસીઓએ રોષ ઠાલવ્યો હતો. આ ફ્લાઈટ સોમવારે સાંજે 6.40 કલાકે ત્યાંથી રવાના થઈ હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (Directorate General of Civil Aviation)એ એરલાઈન પાસેથી આ ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક ટ્વીટના જવાબમાં એરલાઈને મુસાફરોને થયેલી અસુવિધા માટે માફી માંગી છે.

આ પણ વાંચો સૂર્યકિરણ ટીમના 8 ફાઇટર પ્લેને વડોદરાનું ગગન ગજવ્યું

ફ્લાઇટમાં ટેકનિકલ ખામી અન્ય બીજી પણ આવી જ એક ઘટના બની હતી.જેમાં દિલ્હીથી ભુવનેશ્વર જતી એરલાઇનની ફ્લાઇટ ટેકનિકલ ખામી બાદ ફરી દિલ્હી પરત ફરી હતી. આ વિમાનમાં 140 મુસાફરો હતા. ડીજીસીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ એરલાઇન વિશે તપાસ કરવામાં આવશે. આવા કેસમાં દરેક પ્રવાસીઓ એવું ઈચ્છે છે કે, કંપની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.