ETV Bharat / bharat

પટનામાં તેજસ્વી યાદવા સહિતના અનેક નેતાઓ વિરુદ્ધ FIR નોંધાઇ

author img

By

Published : Mar 24, 2021, 7:13 PM IST

ડાકબંગલા ચાર રસ્તા પર RJD કાર્યકરો દ્વારા થતી જો કે, આ અંગે વહીવટી તંત્રે કડક વલણ અપનાવ્યું છે. આ કેસમાં 15 નામાંકિત અને 3000 અજાણ્યા આરજેડી કાર્યકરો વિરુદ્ધ FIR નોંધાઈ છે.

પટણામાં તેજસ્વી અને ઘણા નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઇ
પટણામાં તેજસ્વી અને ઘણા નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઇ
  • આરજેડી કાર્યકરો અને પોલીસ વચ્ચે તકરાર થઈ
  • કેસમાં 15 નામાંકિત અને 3000 અજાણ્યા આરજેડી કાર્યકરો વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ
  • પોલીસના લાઠીચાર્જમાં ઘણા આરજેડી કાર્યકરો પણ ઘાયલ

પટના : વિધાનસભા માર્ચ દરમિયાન ડાકબંગલા ચાર રસ્તા પાસે આરજેડી કાર્યકરો અને પોલીસ વચ્ચે તકરાર થઈ હતી. આરજેડી કાર્યકરોએ પોલીસ પર ધમાલ મચાવી હતી. પોલીસે વિરોધ પ્રદર્શન કરનારાઓનો પીછો કરવા માટે પણ આકરી રીતે લાઠીચાર્જ કર્યા હતા. આ સમય દરમિયાન ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ આક્રમક પ્રદર્શન માટે પટણા પોલીસે વિપક્ષી નેતા તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ સહિત 3 હજાર આરજેડી નેતાઓ સામે ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચોઃ ત્રિપુરા : ડ્રગ્ય માફિયાના ઘરે છાપામારી, એકની ધરપકડ

સરકારી સંપત્તિને નુકસાન પહોચાડવા વિરુધ્ધ એફઆઇઆર

મંગળવારે તેજસ્વી યાદવની આગેવાની હેઠળ આરજેડીના કાર્યકરો બેરોજગારી, વધતી મોંઘવારી અને કાયદાની વ્યવસ્થાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતર્યા હતા. આ લોકો વિધાનસભાને ઘેરી લેવાની દિશામાં આગળ વધી રહ્યા હતા કે પોલીસે તેમને ડાકબંગલા ચાર રસ્તા પર અટકાવ્યા. આ પછી પોલીસ અને આરજેડી કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો, તો આરજેડી કાર્યકરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પછી પોલીસના લાઠીચાર્જમાં ઘણા આરજેડી કાર્યકરો પણ ઘાયલ થયા હતા. આ લોકો સામે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે

આ પણ વાંચોઃ મકરપુરા GIDCની કંપનીમાં 4 બોગસ પત્રકારોએ ખંડણી માગી, પોલીસ ફરિયાદ નોંધાઇ

3000 લોકો વિરુધ્ધ એફઆરઆઇ દાખલ થઇ
આરજેડીના પ્રદર્શન દરમિયાન પોલીસ પર પથ્થરમારો અને હુમલો અંગે પોલીસ પ્રશાસને કડક વલણ અપનાવ્યું હતું. પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશન અને કોતવાલી પોલીસ સ્ટેશનમાં વિપક્ષી નેતા તેજશ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ, રતન યાદવ, જગદાનંદ સિંઘ, રીતુ સહિત 15 નામાંકિત અને 3000 અજ્ઞાત આરજેડી કાર્યકરો સામે એફઆઈઆર નોંધાઈ હતી. બંને પોલીસ મથકોમાં સંબંધિત વિસ્તારના મેજિસ્ટ્રેટ દ્વારા એફઆઈઆર નોંધાઈ છે.

પટણામાં તેજસ્વી અને ઘણા નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઇ
પટણામાં તેજસ્વી અને ઘણા નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઇ

અધિકારીઓ સાથે મિડિયાકર્મીઓ પણ ઘાયલ થયા હતા
પ્રદર્શનમાં પથ્થરમારો દરમિયાન એક ડીએસપી, 3 મેજિસ્ટ્રેટ, કોતવાલીના પોલીસ સ્ટેશન પ્રભારી સુનિલકુમાર સિંહ અને 18 થી વધુ પોલીસ જવાન ઘાયલ થયા હતા. જેમને પ્રાથમિક સારવાર મળી હતી.

  • આરજેડી કાર્યકરો અને પોલીસ વચ્ચે તકરાર થઈ
  • કેસમાં 15 નામાંકિત અને 3000 અજાણ્યા આરજેડી કાર્યકરો વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ
  • પોલીસના લાઠીચાર્જમાં ઘણા આરજેડી કાર્યકરો પણ ઘાયલ

પટના : વિધાનસભા માર્ચ દરમિયાન ડાકબંગલા ચાર રસ્તા પાસે આરજેડી કાર્યકરો અને પોલીસ વચ્ચે તકરાર થઈ હતી. આરજેડી કાર્યકરોએ પોલીસ પર ધમાલ મચાવી હતી. પોલીસે વિરોધ પ્રદર્શન કરનારાઓનો પીછો કરવા માટે પણ આકરી રીતે લાઠીચાર્જ કર્યા હતા. આ સમય દરમિયાન ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ આક્રમક પ્રદર્શન માટે પટણા પોલીસે વિપક્ષી નેતા તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ સહિત 3 હજાર આરજેડી નેતાઓ સામે ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચોઃ ત્રિપુરા : ડ્રગ્ય માફિયાના ઘરે છાપામારી, એકની ધરપકડ

સરકારી સંપત્તિને નુકસાન પહોચાડવા વિરુધ્ધ એફઆઇઆર

મંગળવારે તેજસ્વી યાદવની આગેવાની હેઠળ આરજેડીના કાર્યકરો બેરોજગારી, વધતી મોંઘવારી અને કાયદાની વ્યવસ્થાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતર્યા હતા. આ લોકો વિધાનસભાને ઘેરી લેવાની દિશામાં આગળ વધી રહ્યા હતા કે પોલીસે તેમને ડાકબંગલા ચાર રસ્તા પર અટકાવ્યા. આ પછી પોલીસ અને આરજેડી કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો, તો આરજેડી કાર્યકરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પછી પોલીસના લાઠીચાર્જમાં ઘણા આરજેડી કાર્યકરો પણ ઘાયલ થયા હતા. આ લોકો સામે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે

આ પણ વાંચોઃ મકરપુરા GIDCની કંપનીમાં 4 બોગસ પત્રકારોએ ખંડણી માગી, પોલીસ ફરિયાદ નોંધાઇ

3000 લોકો વિરુધ્ધ એફઆરઆઇ દાખલ થઇ
આરજેડીના પ્રદર્શન દરમિયાન પોલીસ પર પથ્થરમારો અને હુમલો અંગે પોલીસ પ્રશાસને કડક વલણ અપનાવ્યું હતું. પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશન અને કોતવાલી પોલીસ સ્ટેશનમાં વિપક્ષી નેતા તેજશ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ, રતન યાદવ, જગદાનંદ સિંઘ, રીતુ સહિત 15 નામાંકિત અને 3000 અજ્ઞાત આરજેડી કાર્યકરો સામે એફઆઈઆર નોંધાઈ હતી. બંને પોલીસ મથકોમાં સંબંધિત વિસ્તારના મેજિસ્ટ્રેટ દ્વારા એફઆઈઆર નોંધાઈ છે.

પટણામાં તેજસ્વી અને ઘણા નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઇ
પટણામાં તેજસ્વી અને ઘણા નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઇ

અધિકારીઓ સાથે મિડિયાકર્મીઓ પણ ઘાયલ થયા હતા
પ્રદર્શનમાં પથ્થરમારો દરમિયાન એક ડીએસપી, 3 મેજિસ્ટ્રેટ, કોતવાલીના પોલીસ સ્ટેશન પ્રભારી સુનિલકુમાર સિંહ અને 18 થી વધુ પોલીસ જવાન ઘાયલ થયા હતા. જેમને પ્રાથમિક સારવાર મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.