- પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંઘ સિદ્ધુ (Navjot Singh Sidhu) પહોંચ્યા દિલ્હી
- દિલ્હીમાં સિદ્ધુએ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી (Congress general secretary Priyanka Gandhi) સાથે કરી મુલાકાત
- પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદ (Internal controversy in Punjab Congress) વચ્ચે સિદ્ધુની આ મુલાકાત મહત્વની
નવી દિલ્હીઃ પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંઘ સિદ્ધુ (Navjot Singh Sidhu)એ દિલ્હીમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી (Congress general secretary Priyanka Gandhi) સાથે મુલાકાત કરી હતી. પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદ (Internal controversy in Punjab Congress) વચ્ચે સિદ્ધુની આ મુલાકાત મહત્વની ગણાઈ રહી છે. જોકે, બંને નેતાઓ વચ્ચે ચાલેલી આ મુલાકાત ખૂબ લાંબી ચાલી હતી. આ સાથે જ નવજોત સિંઘ સિદ્ધુ (Navjot Singh Sidhu)એ પોતાના ટ્વિટર એકાઉન્ટ (Twitter account) પર તેમની મુલાકાતનો એક ફોટો પણ શેર કર્યો હતો.
આ પણ વાંચો- પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ, મુખ્યપ્રધાન પછી હવે સિદ્ધુના પણ લાગ્યા પોસ્ટર્સ
પ્રિયંકા ગાંધીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે પણ કરી મુલાકાત
તો આ તરફ નવજોત સિંઘ સિદ્ધુ (Navjot Singh Sidhu) સાથે મુલાકાત કર્યા બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી (Congress general secretary Priyanka Gandhi) કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી (Congress President Sonia Gandhi)ના આવાસ પર પહોંચ્યાં હતાં. પ્રિયંકા ગાંધીએ આજે સવારે રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે પણ મુલાકાત કરી હતી.
આ પણ વાંચો- સીએમ અમરિન્દરસિંહ પેનલને મળી પંજાબ પાછાં ફર્યાં, કોંગ્રેસ હાઈકમાન્ડને ન મળ્યાં
પંજાબમાં આંતરિક વિવાદ દૂર કરવા કોંગ્રેસે ત્રણ સભ્યોની ટીમ બનાવી
આપને જણાવી દઈએ કે, પંજાબમાં સત્તાધારી પક્ષ કોંગ્રેસમાં ઘણા લાંબા સમયથી આંતરિક વિવાદ (Internal controversy in Punjab Congress) ચાલી રહ્યો છે. જ્યારે રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી (Assembly elections) યોજાશે, જેને ધ્યાનમાં રાખી કોંગ્રેસના હાઈકમાન્ડે રાજ્ય એકમમાં આંતરિક વિવાદ દૂર કરવા માટે ત્રણ સભ્યોની કમિટી બનાવી છે. આ કમિટીએ રાજ્યના નારાજ ધારાસભ્યો અને નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ પોતાનો રિપોર્ટ સોનિયા ગાંધીને સોંપ્યો હતો.