દેહરાદૂન (ઉત્તરાખંડ): ઉત્તરાખંડ એક સુંદર પહાડી રાજ્ય છે. અહીંની ઘાટીઓ દેશ અને દુનિયાના પ્રવાસીઓને ખુબ આકર્ષે છે. આ જ કારણ છે કે અહીંના સુંદર નજારાને જોવા માટે પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. ખાસ કરીને બરફની ચાદરથી ઢંકાયેલ હિમાલયને નજીકથી નિહાળવો તો ખાસ હોય જ છે, પરંતુ હિમાલયના દર્શન આપ જાયરોકૉપ્ટર દ્વારા આકાશ માંથી કરો તો તે અનુભવ આપ જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકો. હવે જાયરોકૉપ્ટર દ્વારા સહેલાણીઓ એર સફારી કરી શકશે જેની ટ્રાઈલ પણ થઈ ચુકી છે.
-
Uttarakhand Tourism gets India’s first Gyrocopter. The much awaited Himalaya Darshan through Gyrocopter will soon be launched with state of the art Gyrocopters’ trials beginning at Haridwar on 16.12.2023. This will be India’s first such service!
— Uttarakhand Tourism (@UTDBofficial) December 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
#Uttarakhandtourism #Gyrocopter pic.twitter.com/ngYfNFK0K3
">Uttarakhand Tourism gets India’s first Gyrocopter. The much awaited Himalaya Darshan through Gyrocopter will soon be launched with state of the art Gyrocopters’ trials beginning at Haridwar on 16.12.2023. This will be India’s first such service!
— Uttarakhand Tourism (@UTDBofficial) December 17, 2023
#Uttarakhandtourism #Gyrocopter pic.twitter.com/ngYfNFK0K3Uttarakhand Tourism gets India’s first Gyrocopter. The much awaited Himalaya Darshan through Gyrocopter will soon be launched with state of the art Gyrocopters’ trials beginning at Haridwar on 16.12.2023. This will be India’s first such service!
— Uttarakhand Tourism (@UTDBofficial) December 17, 2023
#Uttarakhandtourism #Gyrocopter pic.twitter.com/ngYfNFK0K3
જાયરોકૉપ્ટર એક સફારીની ટ્રાયલ: ઉત્તરાખંડના હરિદ્વારમાં ભારતની પ્રથમ જાયરોકૉપ્ટર એક સફારીની ટ્રાયલ થઈ ચુકી છે. ઉત્તરાખંડ પર્યટન વિકાસ પરિષદ અને સરકારનો દાવો છે કે, જાયરોકૉપ્ટરની શરૂઆત ભારતમાં પ્રથમ વખત કરવામાં આવી રહી છે, જેના માધ્યમતી હિમાલયના દર્શન કરાવવામાં આવશે. તેનાથી સાહસિક પર્યટનને વેગ મળશે. મહત્વપૂર્ણ છે કે, ગત 3 ઓક્ટોબર 2022માં ઉત્તરાખંડમાં હેલીકોપ્ટરથી હિમાલય દર્શન સેવા યોજના શરૂ કરવામાં આવી હતી. જેનો શુભારંભ મસૂરીના જૉર્ડ એવરેસ્ટથી પર્યટન મંત્રી સતપાલ મહારાજે કર્યુ હતું. તેનો હેતુ પર્યટકોને હેલીકોપ્ટર દ્વારા હિમાલયના ઉંચા-ઉંચા શિકરો અને મનમોહક નજારાના દીદાર કરાવવાના હતાં.
જર્મનીથી ખરીદાયું છે જાયરોકોપ્ટર: શ્રેણીમાં હવે જાયરોકોપ્ટર દ્વારા હિમાલય અવકાશી દર્શન કરાવવાની યોજના છે. જેની ટ્રાયલ ગત 16મી ડિસેમ્બરે હરિદ્વારમાં કરવામાં આવી હતી, જે સફળ પણ રહી હતી. ઉત્તરાખંડ પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાલયન એર સફારી ટૂંક સમયમાં જ જાયરોકોપ્ટર દ્વારા શરૂ કરવામાં આવશે. જાયરોકૉપ્ટરના સંચાલનને લઈને નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયથી મંજુરી મળી ગઈ છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ જાયરોકોપ્ટર જર્મનીથી લાવવામાં આવ્યું છે. આવનારા સમયમાં તેઓ પ્રવાસીઓને ઉત્તરાખંડના અસ્પૃશ્ય સ્થળોની હવાઈ પ્રવાસ કરાવશે.
હરિદ્વારમાં જાયોકોપ્ટરના ટ્રાયલ દરમિયાન ડીએમ ધીરજ સિંહ ગર્બ્યાલે પોતે ઉડાન ભરી હતી. ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ બોર્ડના અપર મુખ્ય કાર્યકારી અધિકારી કર્નલ અશ્વિની પુંડિરનું કહેવું છે કે 'હિમાલયી એર સફારી'ની ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ જાયરોકોપ્ટર જર્મની પાસેથી ખરીદવામાં આવ્યું છે. જાયરોકોપ્ટરનું સંચાલન કરનારા પાઇલોટ્સે જર્મન પાઇલટ્સ પાસેથી તાલીમ લીધી છે. જાયરોકોપ્ટર માટે ખાસ એરસ્ટ્રીપ્સ વિકસાવવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. જો બધું બરાબર રહેશે તો એડવેન્ચર ટુરિઝમની દૃષ્ટિએ તે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.