ETV Bharat / bharat

પંજાબ બાદ છત્તીસગઢ કોંગ્રેસમાં ભડકો, 15 થી વધુ ધારાસભ્યો દિલ્હી જવા રવાના

author img

By

Published : Sep 29, 2021, 10:43 PM IST

છત્તીસગઢ કોંગ્રેસના 15 ધારાસભ્યો દિલ્હી પ્રવાસે (Political Temperature in Chhattisgarh) છે. આ ધારાસભ્યોમાં બૃહસ્પતિ સિંહ(Brihaspati Singh) પણ છે. દિલ્હી પહોંચ્યા બાદ તમામ ધારાસભ્યો ખાનગી હોટલમાં રોકાયા છે. સિંહદેવે આ પ્રવાસને સામાન્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં લોકશાહી છે. દરેક વ્યક્તિ પોતાની વાત કહેવા ગયા છે. બીજી બાજુ, ધારાસભ્ય બૃહસ્પતિ સિંહે જણાવ્યું કે તેઓ અહીં રાજ્યના પ્રભારી અને રાહુલ ગાંધીને મળવા આવ્યા છે.

chhattisgarh congress 15 mla left for delhi
છત્તીસગઢ કોંગ્રેસના 15 થી વધુ ધારાસભ્યો દિલ્હી જવા રવાના
  • છત્તીસગઢ કોંગ્રેસના 15 ધારાસભ્યો અચાનક દિલ્હી જતા રાજકીય પરિવર્તન
  • દિલ્હી પહોંચ્યા બાદ તમામ ધારાસભ્યો ખાનગી હોટલમાં રોકાયા
  • તમામ ધારાસભ્યો છત્તીસગઢ કોંગ્રેસના પ્રભારી પીએલ પુનિયાને મળશે

રાયપુર, છત્તીસગઢ : રાજ્યમાં રાજકીય ગરમાવો (Political Temperature in Chhattisgarh) ફરી વધ્યો છે. કોંગ્રેસ સરકારના 15 થી વધુ ધારાસભ્યો દિલ્હી જવા રવાના થયા છે. દિલ્હી પહોંચ્યા બાદ તમામ ધારાસભ્યો ખાનગી હોટલમાં રોકાયા છે. સત્તા પરિવર્તન અને પરિવર્તનની અટકળો વચ્ચે કહેવામાં આવી રહ્યું છે કે, આ ધારાસભ્યો છત્તીસગઢ કોંગ્રેસના પ્રભારી પીએલ પુનિયા(Chhattisgarh Congress in-charge PL Punia)ને મળી શકે છે.

છત્તીસગઢના રાજકીય ખળભળાટની વાતો

ટીએસ સિંહદેવને મીડિયાએ દિલ્હી જઈ રહેલા ધારાસભ્યોને સવાલ કર્યો ત્યારે, તેમણે કહ્યું કે દરેકને ખબર છે કે છત્તીસગઢમાં શેનો ગરમાવો અને શું ચર્ચા છે. મીડિયામાં બધું આવી ગયું છે. સિંહદેવે (TS Singhdev) એમ પણ કહ્યું હતું કે, ધારાસભ્યના દિલ્હી જવાના કારણે છત્તીસગઢના રાજકીય ખળભળાટની વાતો સામે આવી છે, પરિવર્તનની વાતો ચાલી રહી છે, પરંતુ તે થશે કે નહીં તે જોવાનું રહેશે.

છત્તીસગઢમાં રાજકીય ઉથલપાથલ

જ્યારે સિંહદેવ (TS Singhdev) ને તેમના દિલ્હી જવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે, તેમણે આવી કોઈ શક્યતા નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં ખુલ્લું મંચ છે, આ લોકશાહી છે. કોંગ્રેસ હાઇકમાન્ડ દરેકને તક આપે છે. કહેવામાં આવી રહ્યું છે કે, કુલ 13થી 15 ધારાસભ્યો દિલ્હી ગયા છે. હવે જોવાનું રહેશે કે પંજાબ બાદ છત્તીસગઢમાં રાજકીય ઉથલપાથલ થઈ શકે છે કે નહીં.

છત્તીસગઢમાં પંજાબ જેવી સ્થિતિ નથી, નેતૃત્વ બદલવાનો કોઈ પ્રશ્ન નથી : બૃહસ્પતિ સિંહ

બૃહસ્પતિ સિંહે કહ્યું હતું કે, તેઓ 15 ધારાસભ્યો સાથે દિલ્હી આવ્યા છે. અમે અહીં રાહુલ ગાંધીને મળવાનો પ્રયત્ન કરીશું. અમે અહીં અમારા પ્રભારીને મળવા આવ્યા છીએ. અમે રાહુલ ગાંધીને વિનંતી કરીશું કે જો તેઓ છત્તીસગઢના પ્રવાસે આવી રહ્યા છે, તો પ્રવાસનો સમયગાળો થોડો વધારજો. જેથી તે તેના આશીર્વાદ મેળવી શકે. છત્તીસગઢમાં મુખ્યપ્રધાન બદલવાનો કોઈ પ્રશ્ન નથી. દરેક વ્યક્તિ સંતુષ્ટ છે. તેમણે કહ્યું કે, કોઈ એક વ્યક્તિને સંતોષવા માટે નિર્ણય લઈ શકાતો નથી.

મુખ્યપ્રધાન હાઇકમાન્ડ નક્કી કરે છે

બૃહસ્પતિસિંહે કહ્યું કે, સિંહદેવ રાજવી પરિવારમાંથી આવે છે. તે હંમેશા સરકારને સહકાર આપે છે. દરેકનો ઈરાદો એ છે કે તે મુખ્યપ્રધાન બને, પરંતુ તે હાઇકમાન્ડ દ્વારા નક્કી કરવામાં આવે છે. છત્તીસગઢમાં મુખ્યપ્રધાન બઘેલ અને સિંહદેવની જોડી જય-વીરુની જોડીની જેમ હિટ છે. સરગુજા મહારાજ ગ્વાલિયર મહારાજની જેમ નહિ કરે. ભૂપેશ બઘેલ સરકાર 5 વર્ષ સુધી ચાલશે.

આ પણ વાંચો:

  • છત્તીસગઢ કોંગ્રેસના 15 ધારાસભ્યો અચાનક દિલ્હી જતા રાજકીય પરિવર્તન
  • દિલ્હી પહોંચ્યા બાદ તમામ ધારાસભ્યો ખાનગી હોટલમાં રોકાયા
  • તમામ ધારાસભ્યો છત્તીસગઢ કોંગ્રેસના પ્રભારી પીએલ પુનિયાને મળશે

રાયપુર, છત્તીસગઢ : રાજ્યમાં રાજકીય ગરમાવો (Political Temperature in Chhattisgarh) ફરી વધ્યો છે. કોંગ્રેસ સરકારના 15 થી વધુ ધારાસભ્યો દિલ્હી જવા રવાના થયા છે. દિલ્હી પહોંચ્યા બાદ તમામ ધારાસભ્યો ખાનગી હોટલમાં રોકાયા છે. સત્તા પરિવર્તન અને પરિવર્તનની અટકળો વચ્ચે કહેવામાં આવી રહ્યું છે કે, આ ધારાસભ્યો છત્તીસગઢ કોંગ્રેસના પ્રભારી પીએલ પુનિયા(Chhattisgarh Congress in-charge PL Punia)ને મળી શકે છે.

છત્તીસગઢના રાજકીય ખળભળાટની વાતો

ટીએસ સિંહદેવને મીડિયાએ દિલ્હી જઈ રહેલા ધારાસભ્યોને સવાલ કર્યો ત્યારે, તેમણે કહ્યું કે દરેકને ખબર છે કે છત્તીસગઢમાં શેનો ગરમાવો અને શું ચર્ચા છે. મીડિયામાં બધું આવી ગયું છે. સિંહદેવે (TS Singhdev) એમ પણ કહ્યું હતું કે, ધારાસભ્યના દિલ્હી જવાના કારણે છત્તીસગઢના રાજકીય ખળભળાટની વાતો સામે આવી છે, પરિવર્તનની વાતો ચાલી રહી છે, પરંતુ તે થશે કે નહીં તે જોવાનું રહેશે.

છત્તીસગઢમાં રાજકીય ઉથલપાથલ

જ્યારે સિંહદેવ (TS Singhdev) ને તેમના દિલ્હી જવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે, તેમણે આવી કોઈ શક્યતા નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં ખુલ્લું મંચ છે, આ લોકશાહી છે. કોંગ્રેસ હાઇકમાન્ડ દરેકને તક આપે છે. કહેવામાં આવી રહ્યું છે કે, કુલ 13થી 15 ધારાસભ્યો દિલ્હી ગયા છે. હવે જોવાનું રહેશે કે પંજાબ બાદ છત્તીસગઢમાં રાજકીય ઉથલપાથલ થઈ શકે છે કે નહીં.

છત્તીસગઢમાં પંજાબ જેવી સ્થિતિ નથી, નેતૃત્વ બદલવાનો કોઈ પ્રશ્ન નથી : બૃહસ્પતિ સિંહ

બૃહસ્પતિ સિંહે કહ્યું હતું કે, તેઓ 15 ધારાસભ્યો સાથે દિલ્હી આવ્યા છે. અમે અહીં રાહુલ ગાંધીને મળવાનો પ્રયત્ન કરીશું. અમે અહીં અમારા પ્રભારીને મળવા આવ્યા છીએ. અમે રાહુલ ગાંધીને વિનંતી કરીશું કે જો તેઓ છત્તીસગઢના પ્રવાસે આવી રહ્યા છે, તો પ્રવાસનો સમયગાળો થોડો વધારજો. જેથી તે તેના આશીર્વાદ મેળવી શકે. છત્તીસગઢમાં મુખ્યપ્રધાન બદલવાનો કોઈ પ્રશ્ન નથી. દરેક વ્યક્તિ સંતુષ્ટ છે. તેમણે કહ્યું કે, કોઈ એક વ્યક્તિને સંતોષવા માટે નિર્ણય લઈ શકાતો નથી.

મુખ્યપ્રધાન હાઇકમાન્ડ નક્કી કરે છે

બૃહસ્પતિસિંહે કહ્યું કે, સિંહદેવ રાજવી પરિવારમાંથી આવે છે. તે હંમેશા સરકારને સહકાર આપે છે. દરેકનો ઈરાદો એ છે કે તે મુખ્યપ્રધાન બને, પરંતુ તે હાઇકમાન્ડ દ્વારા નક્કી કરવામાં આવે છે. છત્તીસગઢમાં મુખ્યપ્રધાન બઘેલ અને સિંહદેવની જોડી જય-વીરુની જોડીની જેમ હિટ છે. સરગુજા મહારાજ ગ્વાલિયર મહારાજની જેમ નહિ કરે. ભૂપેશ બઘેલ સરકાર 5 વર્ષ સુધી ચાલશે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.