ETV Bharat / bharat

યમુના એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત: 5 લોકોના મોત, 1 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

author img

By

Published : Nov 5, 2021, 12:11 PM IST

મથુરા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. શુક્રવારે સવારે યમુના એક્સપ્રેસ વે પર એક ઝડપી બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર 4 લોકો અને બસ ચાલકના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તે જ સમયે અન્ય 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. માહિતી મળતા પોલીસ પહોંચી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.

મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 5ના મોત થયા
મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 5ના મોત થયા

  • યમુના એક્સપ્રેસ વે પર એક માર્ગ અકસ્માત સર્જાયો
  • બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર
  • 4 લોકો અને બસ ચાલકના ઘટનાસ્થળે જ મોત થયા હતા

મથુરાઃ યુપીના મથુરા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. શુક્રવારે સવારે જિલ્લાના નૌઝીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર એક ઝડપી બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર 4 લોકો અને બસ ચાલકના મોત થયા હતા. તે જ સમયે, અન્ય 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.

યમુના એક્સપ્રેસ વે પર 5ના મોત

ખાનગી બસ UP 70 HD 5760 નોઈડાથી આગ્રા તરફ નૌજીલ પોલીસ સ્ટેશન વિસ્તાર યમુના એક્સપ્રેસ વે પર આવી રહી હતી. ત્યારે UP 14 AS 7766 કારની બસ સાથે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર એક મહિલા અને 3 પુરૂષોના મોત થયા હતા.ત્યારે પઠાણકોટ નિવાસી બસ ડ્રાઇવર બલવંત સિંહનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને તપાસ શરૂ કરી છે.

મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી

એસપી દેહત શ્રીશ ચંદે જણાવ્યું કે, શુક્રવારે સવારે લગભગ 4 વાગે યમુના એક્સપ્રેસ વે પર એક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા અને અન્ય એક લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. હાલ મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી.

આ પણ વાંચોઃ કેદારનાથમાં 400 કરોડના કાર્યોના ઉદ્ઘાટન બાદ બોલ્યા PM મોદી: ઈશ્વરની કૃપાથી થયો આ વિકાસ

આ પણ વાંચોઃ Horoscope for the Day 5 NOVEMBER : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

  • યમુના એક્સપ્રેસ વે પર એક માર્ગ અકસ્માત સર્જાયો
  • બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર
  • 4 લોકો અને બસ ચાલકના ઘટનાસ્થળે જ મોત થયા હતા

મથુરાઃ યુપીના મથુરા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. શુક્રવારે સવારે જિલ્લાના નૌઝીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર એક ઝડપી બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર 4 લોકો અને બસ ચાલકના મોત થયા હતા. તે જ સમયે, અન્ય 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.

યમુના એક્સપ્રેસ વે પર 5ના મોત

ખાનગી બસ UP 70 HD 5760 નોઈડાથી આગ્રા તરફ નૌજીલ પોલીસ સ્ટેશન વિસ્તાર યમુના એક્સપ્રેસ વે પર આવી રહી હતી. ત્યારે UP 14 AS 7766 કારની બસ સાથે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર એક મહિલા અને 3 પુરૂષોના મોત થયા હતા.ત્યારે પઠાણકોટ નિવાસી બસ ડ્રાઇવર બલવંત સિંહનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને તપાસ શરૂ કરી છે.

મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી

એસપી દેહત શ્રીશ ચંદે જણાવ્યું કે, શુક્રવારે સવારે લગભગ 4 વાગે યમુના એક્સપ્રેસ વે પર એક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા અને અન્ય એક લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. હાલ મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી.

આ પણ વાંચોઃ કેદારનાથમાં 400 કરોડના કાર્યોના ઉદ્ઘાટન બાદ બોલ્યા PM મોદી: ઈશ્વરની કૃપાથી થયો આ વિકાસ

આ પણ વાંચોઃ Horoscope for the Day 5 NOVEMBER : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.