તુમકુર(તેલાંગણા): માત્ર પાંચ મહિના પહેલા જ 20 વર્ષની છોકરી સાથે લગ્ન કરનાર વ્યક્તિએ પારિવારિક સમસ્યાઓના કારણે આત્મહત્યા કરી (Sankarappa committed suicide) લીધી હતી. આ ઘટના તુમકુરના કુનિગલ તાલુકાના અક્કીમારી પલ્યામાં બની હતી. મૃતકનું નામ શંકરપ્પા (45) છે. શંકરપ્પા તેમના ગામના આંગણામાં ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા. ઓક્ટોબર 2021માં શંકરપ્પાએ મેઘના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતાં.

આ પણ વાંચો: Uttar Pradesh Cabinet : પ્રધાનોને કેબિનેટ ખાતાઓનું વિતરણ, નાયબ મુખ્યપ્રધાન કેશવ મૌર્યને ગ્રામીણ વિકાસ
આ લગ્ન ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો: શંકરપ્પાએ 45 વર્ષથી લગ્ન કર્યા ન હતા. આ વાત જાણીને મેઘનાએ તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ વાત સ્વીકારીને શંકરપ્પાએ ગામના મંદિરમાં મેઘના સાથે લગ્ન કર્યા હતા, આ લગ્ન ખૂબ જ ચર્ચાનો વિષય (wedding viral on social media) બન્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મેઘનાએ અગાઉ કોઈ અન્ય સાથે લગ્ન કર્યા હતા. તેનો પતિ છેલ્લા બે વર્ષથી ગુમ છે અને પત્નીને મળવા આવ્યો નથી. આનાથી કંટાળીને મેઘનાએ શંકરપ્પા સાથે લગ્ન કર્યા.

આ પણ વાંચો: મહાકુંભ બાદ ખોલાયા તેલંગાણાના યાદાદ્રી મંદિરના દરવાજા, મુખ્યપ્રધાન KCRએ કરી પ્રથમ પૂજા
સાસુ અને વહુ વચ્ચે સતત ઝઘડો: જોકે, કેટલાય દિવસોથી સાસુ અને વહુ વચ્ચે સતત ઝઘડો ચાલતો હતો. મેઘનાએ શંકરપ્પાના નામે અઢી એકર જમીન વેચવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ, સાસુ આ વાત માટે સંમત ન હતી. આ કારણે જ શંકરપ્પાએ આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. હુલીયુર્દુર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન ડેથ નોટ લખી હતી, જેને પોલીસે કબજે કરી લીધી છે.