ETV Bharat / bharat

2 Panther Death : દેવગઢમાં વીજ કરંટથી બે માદા દીપડાના થયા મોત

રાજસ્થાનના દેવગઢમાં વીજ કરંટથી બે માદા દીપડાના મોત થયા છે. રવિવારે મોડી રાત્રે તૂટેલા ઈલેક્ટ્રીક વાયરની અડફેટે આવી જતાં માદા દીપડાનું મોત થયા હતા. બંનેના પોસ્ટમોર્ટમ કરી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

author img

By

Published : Mar 20, 2023, 9:03 PM IST

2 FEMALE PANTHERS ELECTROCUTED TO DEATH IN RAJSAMAND
2 FEMALE PANTHERS ELECTROCUTED TO DEATH IN RAJSAMAND

દેવગઢ (રાજસ્થાન): રાજસ્થાનના દેવગઢમાં તૂટેલા ઈલેક્ટ્રીક વાયરની અડફેટે આવી જતાં બે માદા દીપડા મોતને ભેટ્યાં હતા. રવિવારે મોડી રાત્રે આ વિસ્તારમાં વરસાદ બાદ જોરદાર પવન ફૂંકાયો હતો. જેના કારણે 11 KV વીજલાઈન તૂટી ગઈ હતી. જેના કારણે બે માદા દીપડાના દર્દનાક મોત થયા હતા. લાઇન તૂટ્યા બાદ તીક્ષ્ણ તણખા પડતા આસપાસના ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં દીપડો મૃત હાલતમાં જોવા મળ્યો હતો.

કરંટ લાગતાં બે માદા દીપડાના મોત: ગોપીલાલ ભીલના ઘર પાસે રવિવારે રાત્રે બંને દીપડાના મોત થયા હતા. ભીલે આ અંગે કુંડવાના સરપંચ કાલુરામ ગુર્જર અને સામાજિક કાર્યકર કરણ શર્મા બુજડાને જાણ કરી હતી. જેમણે દેવગઢ વન વિભાગના રેન્જરને બે દીપડાના મોત અંગે જાણ કરી હતી. એપોલો માઇન્સ પાસે ભારે પવનને કારણે 11 KV પાવર લાઇન તૂટી ગઈ છે અને વાયરના સંપર્કમાં આવવાને કારણે અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અહીં મોડી રાત્રે નજીકના કૂવામાં પાણી પીવા અથવા શિકાર કરવા આવ્યા હશે.

આ પણ વાંચો: જૂનાગઢમાં ગૌશાળામાં ગાયનો શિકાર કરવા જતા વીજ કરંટ લાગતાં દીપડાનું થયું મોત

શોર્ટ સર્કિટ બાદ તૂટ્યો વાયર: વરસાદ બાદ જોરદાર પવનના કારણે વીજ વાયરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે 11 KVનો વાયર તૂટીને તેના પર પડ્યો હશે. જેના કારણે બંનેના મોત થયા હતા. એકની ઉંમર 6 અને બીજાની 2 વર્ષની આસપાસ છે. બંને મૃતદેહોને પોતાના કબજામાં લઈ વન વિભાગની કચેરી દેવગઢ ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં મેડિકલ ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: વિસાવદરનાં કાલસારી ગામમાં વીજ કરંટ લાગતા સિંહણનું મોત

ખાણો વિશે ગ્રામવાસીઓએ શું કહ્યું: ગ્રામજનોએ જણાવ્યું કે આ વિસ્તારમાં મોટી માત્રામાં ગ્રેનાઈટ પત્થરોની ખાણો છે. ખાણ માલિકો વસ્તીવાળા વિસ્તારની નજીક જમીન લે છે અને નકામા પથ્થરો ફેંકે છે. દીપડાઓનો પરિવાર આ પથ્થરોની વચ્ચે જઈને સંતાઈ જાય છે. સાંજ પડતાં જ તે ખોરાકની શોધમાં નીકળી પડે છે. આ અંગે ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

દેવગઢ (રાજસ્થાન): રાજસ્થાનના દેવગઢમાં તૂટેલા ઈલેક્ટ્રીક વાયરની અડફેટે આવી જતાં બે માદા દીપડા મોતને ભેટ્યાં હતા. રવિવારે મોડી રાત્રે આ વિસ્તારમાં વરસાદ બાદ જોરદાર પવન ફૂંકાયો હતો. જેના કારણે 11 KV વીજલાઈન તૂટી ગઈ હતી. જેના કારણે બે માદા દીપડાના દર્દનાક મોત થયા હતા. લાઇન તૂટ્યા બાદ તીક્ષ્ણ તણખા પડતા આસપાસના ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં દીપડો મૃત હાલતમાં જોવા મળ્યો હતો.

કરંટ લાગતાં બે માદા દીપડાના મોત: ગોપીલાલ ભીલના ઘર પાસે રવિવારે રાત્રે બંને દીપડાના મોત થયા હતા. ભીલે આ અંગે કુંડવાના સરપંચ કાલુરામ ગુર્જર અને સામાજિક કાર્યકર કરણ શર્મા બુજડાને જાણ કરી હતી. જેમણે દેવગઢ વન વિભાગના રેન્જરને બે દીપડાના મોત અંગે જાણ કરી હતી. એપોલો માઇન્સ પાસે ભારે પવનને કારણે 11 KV પાવર લાઇન તૂટી ગઈ છે અને વાયરના સંપર્કમાં આવવાને કારણે અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અહીં મોડી રાત્રે નજીકના કૂવામાં પાણી પીવા અથવા શિકાર કરવા આવ્યા હશે.

આ પણ વાંચો: જૂનાગઢમાં ગૌશાળામાં ગાયનો શિકાર કરવા જતા વીજ કરંટ લાગતાં દીપડાનું થયું મોત

શોર્ટ સર્કિટ બાદ તૂટ્યો વાયર: વરસાદ બાદ જોરદાર પવનના કારણે વીજ વાયરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે 11 KVનો વાયર તૂટીને તેના પર પડ્યો હશે. જેના કારણે બંનેના મોત થયા હતા. એકની ઉંમર 6 અને બીજાની 2 વર્ષની આસપાસ છે. બંને મૃતદેહોને પોતાના કબજામાં લઈ વન વિભાગની કચેરી દેવગઢ ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં મેડિકલ ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: વિસાવદરનાં કાલસારી ગામમાં વીજ કરંટ લાગતા સિંહણનું મોત

ખાણો વિશે ગ્રામવાસીઓએ શું કહ્યું: ગ્રામજનોએ જણાવ્યું કે આ વિસ્તારમાં મોટી માત્રામાં ગ્રેનાઈટ પત્થરોની ખાણો છે. ખાણ માલિકો વસ્તીવાળા વિસ્તારની નજીક જમીન લે છે અને નકામા પથ્થરો ફેંકે છે. દીપડાઓનો પરિવાર આ પથ્થરોની વચ્ચે જઈને સંતાઈ જાય છે. સાંજ પડતાં જ તે ખોરાકની શોધમાં નીકળી પડે છે. આ અંગે ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.