પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, પરિવારોમાં દિવાળી જેવો માહોલ - GRANT INDIAN CITIZENSHIP

By ETV Bharat Gujarati Team

Published : Aug 18, 2024, 6:05 PM IST

thumbnail
પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા (ETV Bharat Gujarat)

અમદાવાદ: અમદાવાદ ખાતે આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક વિશેષ સમારોહ યોજાયો છે. વર્ષોના સંઘર્ષ અને યાતનાઓ બાદ આજે પાકિસ્તાનથી ભારત આવેલા 188 જેટલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે એનાયત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનથી આવેલા આ હિન્દુ પરિવારો માટે આજે બીજી દિવાળી જેવા માહોલ હતો. CAA અંતર્ગત આ શરણાર્થીને ભારતીય નાગરિકતા મળતા તેમને ભારત સરકારના તમામ સરકારી યોજનાઓના લાભ મળશે. તેમના બાળકોને શાળા કોલેજમાં એડમિશન માટે પડતી તકલીફો દૂર થશે. તેઓ ભારતીય નાગરિકો સાથે લગ્ન કરી શકશે અને સંપત્તિ સહિતના તમામ હકો પણ મેળવી શકશે. તો ચાલો જાણીએ નાગરિકતા મેળવનાર શરણાર્થીઓમાં કેવો માહોલ છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.