ETV Bharat / state

નવસારીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, આદિવાસી યુવાનોની હત્યા મુદ્દે MLA અનંત થયા આક્રમક - World Tribal Day 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 9, 2024, 10:18 PM IST

આદિવાસી બહુલ ધરાવતા વાંસદામાં પરંપરાગત પરિધાન, વાજિંત્રો અને નૃત્ય સાથે આદિવાસી સમાજના લોકોએ કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ભવ્ય રેલી કાઢી રંગેચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી.

નવસારીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
નવસારીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી (ETV Bharat Reporter)
નવસારીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી (ETV Bharat Reporter)

નવસારી : યુનો દ્વારા આદિવાસીઓની સંસ્કૃતિ અને અસ્મિતાના જતન માટે વર્ષ 1994માં 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો હતો, જેને આજે 29 વર્ષ પૂર્ણ થયા છે. આદિવાસીઓમાં આવેલી જાગૃતિને કારણે ગત થોડા વર્ષોમાં નવસારી જિલ્લામાં આદિવાસી સંગઠનો સાથે આગેવાનો ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આદિવાસી યુવાનોની હત્યા મુદ્દે MLA અનંત થયા આક્રમક (ETV Bharat Reporter)

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી : આજે પણ આદિવાસી સંસ્કૃતિની અસ્મિતા, સંસ્કૃતિના સંવર્ધનના જતનાના સંદેશ સાથે નવસારીના વાંસદામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહીં કુકણા સમાજ ભવન ખાતેથી આદિવાસી પરંપરાગત વેશભૂષામાં સજ્જ સાંસ્કૃતિક વાજિંત્રોના નાદ અને તાલે નૃત્ય કરતા કરતા ભવ્ય રેલી કાઢી હતી.

પરંપરાગત રેલીનું આયોજન : કોંગી ધારાસભ્ય અનંત પટેલ, આદિવાસી સમાજના નેતાઓની આગેવાનીમાં ઉત્સાહ અને ઉમંગ સાથે આદિવાસી સમાજના સેંકડો લોકો વાંસદાના રાજમાર્ગો પરથી નાચતા-કૂદતા ગાંધી મેદાનમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આદિવાસીઓ ઉપર થતા અત્યાચારને લઈને ધારાસભ્ય અનંત પટેલે નારાજગી દર્શાવી હતી.

આદિવાસી અગ્રણીઓનું સન્માન : આદિવાસી બહુલ નવસારી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે મોટી સંખ્યામાં નવસારી અને ડાંગ જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આદિવાસી અગ્રણીઓ-વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેરગામ ખાતે આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.

અનંત પટેલનો આક્રામક અંદાજ : વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સાથે જ તાજેતરમાં કેવડીયા ખાતે બે આદિવાસી યુવાનોની હત્યા સંદર્ભે નારાજગી વ્યક્ત કરી હતી. સરકાર આદિવાસીઓનું સાંભળતી ન હોવાના આક્ષેપો કરતા ધારાસભ્ય અનંત પટેલે જળ, જંગલ અને જમીન બચાવવા માટે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના કોઈપણ પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં નહીં થવા દેવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

  1. ધરમપુરમાં વિશ્વ આદિવાસી દિવસની પરંપરાગત ઉજવણી
  2. લીમખેડા ખાતે 'વિશ્વ આદિવાસી દિવસ'ની ઉજવણી કરાઇ

નવસારીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી (ETV Bharat Reporter)

નવસારી : યુનો દ્વારા આદિવાસીઓની સંસ્કૃતિ અને અસ્મિતાના જતન માટે વર્ષ 1994માં 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો હતો, જેને આજે 29 વર્ષ પૂર્ણ થયા છે. આદિવાસીઓમાં આવેલી જાગૃતિને કારણે ગત થોડા વર્ષોમાં નવસારી જિલ્લામાં આદિવાસી સંગઠનો સાથે આગેવાનો ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આદિવાસી યુવાનોની હત્યા મુદ્દે MLA અનંત થયા આક્રમક (ETV Bharat Reporter)

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી : આજે પણ આદિવાસી સંસ્કૃતિની અસ્મિતા, સંસ્કૃતિના સંવર્ધનના જતનાના સંદેશ સાથે નવસારીના વાંસદામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહીં કુકણા સમાજ ભવન ખાતેથી આદિવાસી પરંપરાગત વેશભૂષામાં સજ્જ સાંસ્કૃતિક વાજિંત્રોના નાદ અને તાલે નૃત્ય કરતા કરતા ભવ્ય રેલી કાઢી હતી.

પરંપરાગત રેલીનું આયોજન : કોંગી ધારાસભ્ય અનંત પટેલ, આદિવાસી સમાજના નેતાઓની આગેવાનીમાં ઉત્સાહ અને ઉમંગ સાથે આદિવાસી સમાજના સેંકડો લોકો વાંસદાના રાજમાર્ગો પરથી નાચતા-કૂદતા ગાંધી મેદાનમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આદિવાસીઓ ઉપર થતા અત્યાચારને લઈને ધારાસભ્ય અનંત પટેલે નારાજગી દર્શાવી હતી.

આદિવાસી અગ્રણીઓનું સન્માન : આદિવાસી બહુલ નવસારી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે મોટી સંખ્યામાં નવસારી અને ડાંગ જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આદિવાસી અગ્રણીઓ-વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેરગામ ખાતે આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.

અનંત પટેલનો આક્રામક અંદાજ : વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સાથે જ તાજેતરમાં કેવડીયા ખાતે બે આદિવાસી યુવાનોની હત્યા સંદર્ભે નારાજગી વ્યક્ત કરી હતી. સરકાર આદિવાસીઓનું સાંભળતી ન હોવાના આક્ષેપો કરતા ધારાસભ્ય અનંત પટેલે જળ, જંગલ અને જમીન બચાવવા માટે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના કોઈપણ પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં નહીં થવા દેવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

  1. ધરમપુરમાં વિશ્વ આદિવાસી દિવસની પરંપરાગત ઉજવણી
  2. લીમખેડા ખાતે 'વિશ્વ આદિવાસી દિવસ'ની ઉજવણી કરાઇ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.