ETV Bharat / state

કચ્છની ઐતિહાસિક ધરોહર વર્ણવતી 140 વર્ષ જૂની "માધાવાવ", જાણો કલાત્મક બાંધકામની શું છે વિશેષતા - historical heritage of Kutch

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 3, 2024, 6:10 PM IST

Updated : Aug 4, 2024, 4:37 PM IST

કચ્છમાં અનેક ઐતિહાસિક ધરોહર આવેલી છે અને દરેક ઐતિહાસિક સ્થાપત્ય સાથે રસપ્રદ કહાની જોડાયેલી છે. કચ્છમાં અંદાજિત 200 જેટલી વાવ આવેલી છે. તે પૈકીની એક વાવ ભુજના માધાપર ગામમાં આવેલી છે. જે 140 વર્ષ જૂની વાવ છે અને તેને માધાવાવ તરીકે ઓળખવામાં આવે છે. આ વાવનું બાંધકામ કલાત્મક છે. આ સેલોરની શું વિશેષતા છે તેની માહિતી જાણીશું..., Historical Architecture 140 year old Madhavav in kutch

140 વર્ષ જૂની માધાવાવ
140 વર્ષ જૂની માધાવાવ (ETV Bharat Gujarat)
140 વર્ષ જૂની માધાવાવની શું છે વિષશેતા (ETV Bharat Gujarat)

કચ્છ: ભુજ તાલુકાનું માધાપર ગામ કે જે ભુજના પરા તરીકે જ ગણાતું હોવાથી તથા દરબાર ખાલસા ગામ હોવાથી આ ગામના વિકાસ તરફ રાજય તરફથી ધ્યાન અપાતું રહ્યું હતું. તેથી અહીં પણ ઈ. સ. 1884માં કોરી 20,455 ના ખર્ચે રાજ્ય તરફથી સ્થાપત્યસભર કલાત્મક થાંભલાથી શોભતી શાળાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ શાળાના સામેના ભાગમાં મહારાવશ્રી ખેંગારજી ત્રીજાના સમયમાં તેમના દીવાન મણીભાઈ જશભાઈએ લોકોપયોગી એક સુશોભિત જળાશય- સેલોર વાવ મહારાવશ્રીના માતૃશ્રી નાનીબાના સ્મરણાર્થે સને 1884માં બંધાવી આપી હતી. ગામવાસીઓ અને વટેમાર્ગુઓને પીવાના પાણી માટે ઉપયોગમાં આવતી આ વાવ રાજાશાહી બાદ મરંમતના અભાવે બિનઉપયોગી થતાં તેમાં પાણી આવવાનું બંધ થઈ ગઈ ગયું હતું.

શિલ્પવાળું કલાત્મક સ્થાપત્ય
શિલ્પવાળું કલાત્મક સ્થાપત્ય (ETV Bharat Gujarat)

દેવનાગરી લિપિમાં લખાયેલો શિલાલેખ: આ સેલોરમાં ઉતરતાં પહેલા પડથારની ડાબી તરફ કલાત્મક ગોખમાં દેવનાગરી લિપિમાં લખાયેલો શિલાલેખ મુકાયેલો છે તેનું લખાણ આ પ્રમાણે છે : આ સેલોર વાવ કચ્છ દેશાધિપતિ મહારાજ ધિરાજ મિરજા મહારાઓશ્રી ખેંગારજી સવાઈ બહાદુર એમના માતૃશ્રી મહારાણીશ્રી નાનીબા સાહેબના પવિત્ર સ્મણર્થિ ગુજરાત પ્રાંતના પેટલાદ ગ્રામવાસી વડનગર નાગર બ્રાહ્મણ દીવાન બહાદૂર મણભાઈ જશભાઈ કચ્છના દીવાન તરફથી માનપૂર્વક અર્પણ કરવામાં આવી છે.

2005માં નવીનિકરણ કરાયું
2005માં નવીનિકરણ કરાયું (ETV Bharat Gujarat)

મણિભાઈ જશભાઈ દીવાનપદે: ઉલ્લેખનીય છે કે, મણિભાઈ જશભાઈ કચ્છમાં 1879 થી 1880 અને 1883 થી 1885 સુધી દીવાનપદે રહ્યા હતા. 1885 થી 1899 દરમિયાન તેઓએ વડોદરા રાજ્યનું દીવાનપદ સંભાળ્યું હતું. આણંદ જિલ્લાના પેટલાદના વતની એવા મણિભાઈ જશભાઈ ખૂબ વિદ્વાન, ધર્મનિષ્ઠ, ચારિત્ર્યવાન, કાબેલ રાજદ્વારી અને વિદ્યાપ્રેમી અમલદાર હતા. મહારાવ ખેંગારજી ત્રીજા તથા રાજયકુટુંબને મણિભાઈ પ્રત્યે ખૂબ માનની લાગણી હતી.

વાવનું રિનોવેશન કરાયું
વાવનું રિનોવેશન કરાયું (ETV Bharat Gujarat)

2005માં જીર્ણોદ્ધાર: માધાપરની માધાવાવ રાજાશાહી વખતમાં બંધાયેલી છે. વર્ષ 2005 દરમિયાન આ વાવનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ઐતિહાસિક કલા-સ્થાપત્યના સ્મારકોની જાળવણી અને નવીનીકરણની કામગીરીને લીધે આ જગ્યા સુંદર બની છે. આ સેલોર પાસે નાનો બગીચો પણ બનાવાયો છે.

કચ્છની ઐતિહાસિક ધરોહર
કચ્છની ઐતિહાસિક ધરોહર (ETV Bharat Gujarat)

સેલોરની વિશેષતા: આ સેલોર 40 ફૂટ ઊંડી અને બેનમૂનેદાર કમાનો તથા છતેડી એટલે કે પ્રવેશ મંડપ સહિતના મોહક શિલ્પવાળું કલાત્મક સ્થાપત્ય ધરાવે છે. તેનો પ્રવેશ મંડપ શિલ્પ મંડિત છે અને રાત્રે તે લાઈટિંગથી ઝળાંહળાં થઈ ઊઠે છે. તેના છજા નીચે એક તરફ દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે, બીજી તરફ મહારાણીશ્રી નાનીબા અને ત્રીજી તરફ રાવ કોતરાયેલું છે. આ સેલોરમાં 51 જેટલા પગથિયા આવેલાં છે અને તે 8 ફૂટ લાંબા છે. 12 ફૂટનો વ્યાસ ધરાવતા કૂવા પર પાણી સીંચવાના ટોડા નજરે પડે છે. બહારના ભાગમાં હવાડો પણ બનાવાયો છે. હાલ આ સેલોરમાં પાણી નથી અને વપરાશ પણ નથી. અગાઉ કૂવા પાસે સ્તંભાકાર ચબૂતરા જેવું ઘાટીલા શિલ્પવાળું સ્થાપત્ય પણ હતું, જે હવે જોવા મળતું નથી. વાવના પ્રકારની દૃષ્ટિએ આ નંદા પ્રકારની વાવ છે.

કચ્છની ઐતિહાસિક માધાવાવ
કચ્છની ઐતિહાસિક માધાવાવ (ETV Bharat Gujarat)
140 વર્ષ જૂની વાવ
140 વર્ષ જૂની વાવ (ETV Bharat Gujarat)

સ્ટેપવેલ ટુરિઝમ: દેશના અન્ય રાજ્યમાં આવેલી સેલોર પાસે કેફે જેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.

  1. આજે ઈદના પર્વ નિમિત્તે જાણીએ ગુજરાતની એવી 10 ઐતિહાસિક મસ્જિદો વિશે, જે છે રાજ્યની આગવી ઓળખ - Rich historical mosques of Gujarat
  2. મધ્યપ્રદેશના માંડુને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ કરવા યુનેસ્કોને પ્રસ્તાવ મોકલાયો - Madhya Pradesh Mandu

140 વર્ષ જૂની માધાવાવની શું છે વિષશેતા (ETV Bharat Gujarat)

કચ્છ: ભુજ તાલુકાનું માધાપર ગામ કે જે ભુજના પરા તરીકે જ ગણાતું હોવાથી તથા દરબાર ખાલસા ગામ હોવાથી આ ગામના વિકાસ તરફ રાજય તરફથી ધ્યાન અપાતું રહ્યું હતું. તેથી અહીં પણ ઈ. સ. 1884માં કોરી 20,455 ના ખર્ચે રાજ્ય તરફથી સ્થાપત્યસભર કલાત્મક થાંભલાથી શોભતી શાળાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ શાળાના સામેના ભાગમાં મહારાવશ્રી ખેંગારજી ત્રીજાના સમયમાં તેમના દીવાન મણીભાઈ જશભાઈએ લોકોપયોગી એક સુશોભિત જળાશય- સેલોર વાવ મહારાવશ્રીના માતૃશ્રી નાનીબાના સ્મરણાર્થે સને 1884માં બંધાવી આપી હતી. ગામવાસીઓ અને વટેમાર્ગુઓને પીવાના પાણી માટે ઉપયોગમાં આવતી આ વાવ રાજાશાહી બાદ મરંમતના અભાવે બિનઉપયોગી થતાં તેમાં પાણી આવવાનું બંધ થઈ ગઈ ગયું હતું.

શિલ્પવાળું કલાત્મક સ્થાપત્ય
શિલ્પવાળું કલાત્મક સ્થાપત્ય (ETV Bharat Gujarat)

દેવનાગરી લિપિમાં લખાયેલો શિલાલેખ: આ સેલોરમાં ઉતરતાં પહેલા પડથારની ડાબી તરફ કલાત્મક ગોખમાં દેવનાગરી લિપિમાં લખાયેલો શિલાલેખ મુકાયેલો છે તેનું લખાણ આ પ્રમાણે છે : આ સેલોર વાવ કચ્છ દેશાધિપતિ મહારાજ ધિરાજ મિરજા મહારાઓશ્રી ખેંગારજી સવાઈ બહાદુર એમના માતૃશ્રી મહારાણીશ્રી નાનીબા સાહેબના પવિત્ર સ્મણર્થિ ગુજરાત પ્રાંતના પેટલાદ ગ્રામવાસી વડનગર નાગર બ્રાહ્મણ દીવાન બહાદૂર મણભાઈ જશભાઈ કચ્છના દીવાન તરફથી માનપૂર્વક અર્પણ કરવામાં આવી છે.

2005માં નવીનિકરણ કરાયું
2005માં નવીનિકરણ કરાયું (ETV Bharat Gujarat)

મણિભાઈ જશભાઈ દીવાનપદે: ઉલ્લેખનીય છે કે, મણિભાઈ જશભાઈ કચ્છમાં 1879 થી 1880 અને 1883 થી 1885 સુધી દીવાનપદે રહ્યા હતા. 1885 થી 1899 દરમિયાન તેઓએ વડોદરા રાજ્યનું દીવાનપદ સંભાળ્યું હતું. આણંદ જિલ્લાના પેટલાદના વતની એવા મણિભાઈ જશભાઈ ખૂબ વિદ્વાન, ધર્મનિષ્ઠ, ચારિત્ર્યવાન, કાબેલ રાજદ્વારી અને વિદ્યાપ્રેમી અમલદાર હતા. મહારાવ ખેંગારજી ત્રીજા તથા રાજયકુટુંબને મણિભાઈ પ્રત્યે ખૂબ માનની લાગણી હતી.

વાવનું રિનોવેશન કરાયું
વાવનું રિનોવેશન કરાયું (ETV Bharat Gujarat)

2005માં જીર્ણોદ્ધાર: માધાપરની માધાવાવ રાજાશાહી વખતમાં બંધાયેલી છે. વર્ષ 2005 દરમિયાન આ વાવનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ઐતિહાસિક કલા-સ્થાપત્યના સ્મારકોની જાળવણી અને નવીનીકરણની કામગીરીને લીધે આ જગ્યા સુંદર બની છે. આ સેલોર પાસે નાનો બગીચો પણ બનાવાયો છે.

કચ્છની ઐતિહાસિક ધરોહર
કચ્છની ઐતિહાસિક ધરોહર (ETV Bharat Gujarat)

સેલોરની વિશેષતા: આ સેલોર 40 ફૂટ ઊંડી અને બેનમૂનેદાર કમાનો તથા છતેડી એટલે કે પ્રવેશ મંડપ સહિતના મોહક શિલ્પવાળું કલાત્મક સ્થાપત્ય ધરાવે છે. તેનો પ્રવેશ મંડપ શિલ્પ મંડિત છે અને રાત્રે તે લાઈટિંગથી ઝળાંહળાં થઈ ઊઠે છે. તેના છજા નીચે એક તરફ દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે, બીજી તરફ મહારાણીશ્રી નાનીબા અને ત્રીજી તરફ રાવ કોતરાયેલું છે. આ સેલોરમાં 51 જેટલા પગથિયા આવેલાં છે અને તે 8 ફૂટ લાંબા છે. 12 ફૂટનો વ્યાસ ધરાવતા કૂવા પર પાણી સીંચવાના ટોડા નજરે પડે છે. બહારના ભાગમાં હવાડો પણ બનાવાયો છે. હાલ આ સેલોરમાં પાણી નથી અને વપરાશ પણ નથી. અગાઉ કૂવા પાસે સ્તંભાકાર ચબૂતરા જેવું ઘાટીલા શિલ્પવાળું સ્થાપત્ય પણ હતું, જે હવે જોવા મળતું નથી. વાવના પ્રકારની દૃષ્ટિએ આ નંદા પ્રકારની વાવ છે.

કચ્છની ઐતિહાસિક માધાવાવ
કચ્છની ઐતિહાસિક માધાવાવ (ETV Bharat Gujarat)
140 વર્ષ જૂની વાવ
140 વર્ષ જૂની વાવ (ETV Bharat Gujarat)

સ્ટેપવેલ ટુરિઝમ: દેશના અન્ય રાજ્યમાં આવેલી સેલોર પાસે કેફે જેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.

  1. આજે ઈદના પર્વ નિમિત્તે જાણીએ ગુજરાતની એવી 10 ઐતિહાસિક મસ્જિદો વિશે, જે છે રાજ્યની આગવી ઓળખ - Rich historical mosques of Gujarat
  2. મધ્યપ્રદેશના માંડુને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ કરવા યુનેસ્કોને પ્રસ્તાવ મોકલાયો - Madhya Pradesh Mandu
Last Updated : Aug 4, 2024, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.