ETV Bharat / state

આજે ભાઈબીજનો તહેવાર યમરાજા અને યમુનાજીના સમયથી શરૂ થઈ, જાણો આ પરંપરાનુ શું છે વિશેષ મહત્વ - BHAI DOOJ 2024

ભાઈબીજને ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનો તહેવાર માનવામાં આવે છે. તો ચાલો જાણીએ આ પર્વની શરુઆત કઈ રીતે થઈ.

ભાઈબીજ
ભાઈબીજ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 3, 2024, 10:44 AM IST

જૂનાગઢ: આજે ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભાઈબીજના તહેવારની પરંપરા યમરાજા અને તેમના બહેન યમુનાજી સાથે જોડાયેલી છે. આજના દિવસે યમરાજાને ઘરે બોલાવીને યમુનાજીએ ભોજન પ્રસાદ અર્પણ કર્યું હતું, ત્યારથી સનાતન ધર્મની આ પરંપરા આજે પણ જોવા મળે છે. આધુનિક યુગમાં આ પરંપરા આજે થોડી ભોજનને લઈને બદલાઈ છે, પરંતુ તેનો ભાવ અને પ્રથા આજે પણ અકબંધ જોવા મળે છે.

આજે ભાઈ બીજનો તહેવાર પરંપરિક મહત્વ આજે પણ અકબંધ

આજે ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. સનાતન ધર્મની આ સૌકાઓ પૂર્વેની પરંપરા આજે આધુનિક યુગમાં પણ અકબંધ જોવા મળે છે. ભોજનને લઈને તેમાં સમયને અનુરૂપ ફેરફાર જોવા મળે છે, પરંતુ જે રીતે વિક્રમ સવંતના નવા વર્ષના બીજા દિવસે બહેનના ઘરે ભાઈ ભોજન કરવા માટે આવે છે. આ ધાર્મિક પરંપરા જે આજથી અનેક સદીઓ પૂર્વે યમુનાજી અને તેના ભાઈ યમરાજાના ભોજન કરવાથી શરૂ થઈ હતી. જે આજે આધુનિક યુગમાં પણ જોવા મળે છે. આજના દિવસે બહેનના ઘરે ભાઈ ભોજન કરીને ભાઈબીજના તહેવારની ઉજવણી કરે છે.

આજે ભાઈબીજનો તહેવાર (Etv Bharat)

આજના દિવસે કઢી અને ખીચડીના ભોજનનું મહત્વ

આજથી હજારો વર્ષ પૂર્વે યમુનાજીએ તેમના ભાઈ યમરાજાને ભાઈબીજના દિવસે કઢી અને ખીચડી નું ભોજન બનાવીને તેને પ્રેમપૂર્વક અર્પણ કર્યું હતું. આ પરંપરા અનુસાર પણ યમરાજાને પ્રિય કઢી અને ખીચડી માનવામાં આવે છે. જેથી યમુનાજીએ તેમના ભાઈ યમરાજને પ્રિય ભોજન બનાવીને સ્વયં તેમના હાથે બનાવીને ભાઈબીજના દિવસે પીરસ્યું હતું. આજના દિવસે કઢી અને ખીચડી આપવાની પરંપરા ખૂબ ઓછા ઘરોમાં જોવા મળે છે. આજના દિવસે 56 ભોગ એટલે કે 32 મીષ્ઠાન બનાવીને બહેન તેમની શક્તિ અનુસાર તેમના ભાઈ માટે ભોજન બનાવે છે, પરંતુ આ પરંપરા કેજે આજથી સદીઓ પૂર્વે શરૂ થઈ હતી તે આજે પણ જોવા મળે છે.

આ પણ વાંચો:

  1. ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક એટલે ભાઈ બીજ, જાણો આજે ભાઈને તિલક લગાવવાના શુભ સમય વિશે

જૂનાગઢ: આજે ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભાઈબીજના તહેવારની પરંપરા યમરાજા અને તેમના બહેન યમુનાજી સાથે જોડાયેલી છે. આજના દિવસે યમરાજાને ઘરે બોલાવીને યમુનાજીએ ભોજન પ્રસાદ અર્પણ કર્યું હતું, ત્યારથી સનાતન ધર્મની આ પરંપરા આજે પણ જોવા મળે છે. આધુનિક યુગમાં આ પરંપરા આજે થોડી ભોજનને લઈને બદલાઈ છે, પરંતુ તેનો ભાવ અને પ્રથા આજે પણ અકબંધ જોવા મળે છે.

આજે ભાઈ બીજનો તહેવાર પરંપરિક મહત્વ આજે પણ અકબંધ

આજે ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. સનાતન ધર્મની આ સૌકાઓ પૂર્વેની પરંપરા આજે આધુનિક યુગમાં પણ અકબંધ જોવા મળે છે. ભોજનને લઈને તેમાં સમયને અનુરૂપ ફેરફાર જોવા મળે છે, પરંતુ જે રીતે વિક્રમ સવંતના નવા વર્ષના બીજા દિવસે બહેનના ઘરે ભાઈ ભોજન કરવા માટે આવે છે. આ ધાર્મિક પરંપરા જે આજથી અનેક સદીઓ પૂર્વે યમુનાજી અને તેના ભાઈ યમરાજાના ભોજન કરવાથી શરૂ થઈ હતી. જે આજે આધુનિક યુગમાં પણ જોવા મળે છે. આજના દિવસે બહેનના ઘરે ભાઈ ભોજન કરીને ભાઈબીજના તહેવારની ઉજવણી કરે છે.

આજે ભાઈબીજનો તહેવાર (Etv Bharat)

આજના દિવસે કઢી અને ખીચડીના ભોજનનું મહત્વ

આજથી હજારો વર્ષ પૂર્વે યમુનાજીએ તેમના ભાઈ યમરાજાને ભાઈબીજના દિવસે કઢી અને ખીચડી નું ભોજન બનાવીને તેને પ્રેમપૂર્વક અર્પણ કર્યું હતું. આ પરંપરા અનુસાર પણ યમરાજાને પ્રિય કઢી અને ખીચડી માનવામાં આવે છે. જેથી યમુનાજીએ તેમના ભાઈ યમરાજને પ્રિય ભોજન બનાવીને સ્વયં તેમના હાથે બનાવીને ભાઈબીજના દિવસે પીરસ્યું હતું. આજના દિવસે કઢી અને ખીચડી આપવાની પરંપરા ખૂબ ઓછા ઘરોમાં જોવા મળે છે. આજના દિવસે 56 ભોગ એટલે કે 32 મીષ્ઠાન બનાવીને બહેન તેમની શક્તિ અનુસાર તેમના ભાઈ માટે ભોજન બનાવે છે, પરંતુ આ પરંપરા કેજે આજથી સદીઓ પૂર્વે શરૂ થઈ હતી તે આજે પણ જોવા મળે છે.

આ પણ વાંચો:

  1. ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક એટલે ભાઈ બીજ, જાણો આજે ભાઈને તિલક લગાવવાના શુભ સમય વિશે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.