ETV Bharat / state

Patan foundation day: 'પાટણની પ્રભુતા', પાટણના 1279માં સ્થાપના દિવસની રંગેચંગે ઉજવણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 3, 2024, 7:40 PM IST

Updated : Mar 5, 2024, 5:57 PM IST

દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણના સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વિક્રમ સવંત 802મા વનરાજ ચાવડાએ તેમના મિત્ર અણહિલ ભરવાડ અને ચાંપા વાણીયાની મદદથી પાટણ શહેરની સ્થાપના કરી હતી. આ પ્રસંગે પાટણના વીર પુરૂષો અને યાદ કરીને તેમને પુષ્પાંજલિ અર્પીત કરવામાં આવી હતી.

પાટણના 1279માં સ્થાપના દિવસની રંગેચંગે ઉજવણી
પાટણના 1279માં સ્થાપના દિવસની રંગેચંગે ઉજવણી
પાટણના 1279માં સ્થાપના દિવસની રંગેચંગે ઉજવણી

પાટણ: અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા દ્વારા મહાવદ સાતમને રવિવારના રોજ પાટણ નગરના 1279મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને આ પ્રસંગે વિરાંજલી સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્ટેટના રાજવીઓ ઉદ્યોગપતિઓ અને ધારાસભ્યોએ ઉપસ્થિત રહી પાટણના વીર રાજપૂતોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે નગરદેવી કાલિકા મંદિર ખાતેથી એક ભવ્ય નગર યાત્રા પણ નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો અને પાટણ નગરપાલિકાના કર્મચારીઓ સહિત નગરજનો જોડાયા હતા.

પાટણના 1279માં સ્થાપના દિવસની ઉજવણી
પાટણના 1279માં સ્થાપના દિવસની ઉજવણી

પાટણના સ્થાપના દિવસની ઉજવણી: સવંત 802મા વનરાજ ચાવડાએ તેમના મિત્ર અણહિલ ભરવાડ અને ચાંપા વાણીયાની મદદથી પાટણ શહેરની સ્થાપના કરી હતી. ઐતિહાસીક નગર પાટણના 1279મા સ્થાપના દિવસ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા પાટણના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત એમ.એન.હાઈસ્કૂલ ખાતે વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહજી જાડેજા, વાવ સ્ટેટના ગજેન્દ્રસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વીર વનરાજ ચાવડા,નાયકાદેવી, સિદ્ધરાજ જયસિંહ,વ્યગ્રદેવની પ્રતિમાઓને માલ્યાર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યું હતું. વિરાંજલી કાર્યક્રમમાં સુરેન્દ્રનગરની નયનાબા મહેન્દ્રસિંહ જાડેજા રાજપુત કન્યા છાત્રાલયની યુવતીઓએ તલવાર રાસ પ્રસ્તુત કરીને આમંત્રિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો એ રાજપૂત સમાજના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરવાનું કાર્ય કર્યું હતુ.

રાજપુત કન્યા છાત્રાલયની યુવતીઓએ પ્રસ્તુત કર્યો તલવાર રાસ
રાજપુત કન્યા છાત્રાલયની યુવતીઓએ પ્રસ્તુત કર્યો તલવાર રાસ

વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો: પાટણના નગરદેવી કાલિકામાતાજી મંદિર ખાતે માતાજીની આરતી ઉતારી ભવ્ય શોભાયાત્રાને કુકડધ્વજથી રાજવીઓ, પાલિકા પ્રમુખે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શોભાયાત્રામાં બે બગીઓમાં રાજવીઓ ,નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, બિરાજમાન થયા હતા.શોભાયાત્રામાં નગરસેવકો,વેપારીઓ, વિવિધ સમાજના અગ્રણીઓ , વિવિધ સંસ્થાના લોકો અને શહેરીજનો જોડાયા હતા.આ શોભાયાત્રામાં સિદી ધમાલ નૃત્ય અને આદિવાસી નૃત્ય, 15 ઘોડે સવાર .જેમાં નિશાન ડંકો, નગરપાલિકા ફાયર વિભાગ ના બુલેટ સવારો રાજપૂત સમાજના લોકો અને યુવાનો જોડાયા હતા.

શોભાયાત્રા દરમિયાના ધમાલ નૃત્યએ લોકોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું
શોભાયાત્રા દરમિયાના ધમાલ નૃત્યએ લોકોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું

શાનદાર શોભાયાત્રા: શોભાયાત્રા કાલિકા માતાજી મંદિર થી પ્રસ્થાન થઈ રતનપોળ, ત્રણદરવાજા,હિંગળાચાચર,થઈ બગવાડા ખાતે સંપન્ન થઈ હતી. શોભાયાત્રા નું માર્ગો પર વેપારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું . રાજપૂત સમાજ ના યુવાનો દ્વારા તલવાર બાજી કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તો શોભાયાત્રા ના માર્ગ ઉપર સિદ્ધિ ધમાલ નૃત્ય એ લોકોમાં વિશેષ આકર્ષણ જગાવ્યું હતું .શોભાયાત્રા બગવાડા પહોંચતા રાજા વનરાજ ચાવડા અને સિદ્ધરાજ જયસિંહ ની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું.ત્યાર બાદ બગવાડા ખાતે સભા યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પાટણ ની અસ્મિતા ઉજાગર કરવા બદલ પાટણ ના નગરજનો નો આભાર વ્યક્ત કર્યો હતો.

  1. Bhavnagar: પાણી છે, ટાંકી છે, નળ છે, યોજના સફળ છે, છતાં આજે નળમાં પાણી નથી...
  2. CS Exam : મહેક સેજવાની 19 વર્ષે બની સીએસ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ માટે એપ્લાય કર્યું

પાટણના 1279માં સ્થાપના દિવસની રંગેચંગે ઉજવણી

પાટણ: અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા દ્વારા મહાવદ સાતમને રવિવારના રોજ પાટણ નગરના 1279મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને આ પ્રસંગે વિરાંજલી સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્ટેટના રાજવીઓ ઉદ્યોગપતિઓ અને ધારાસભ્યોએ ઉપસ્થિત રહી પાટણના વીર રાજપૂતોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે નગરદેવી કાલિકા મંદિર ખાતેથી એક ભવ્ય નગર યાત્રા પણ નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો અને પાટણ નગરપાલિકાના કર્મચારીઓ સહિત નગરજનો જોડાયા હતા.

પાટણના 1279માં સ્થાપના દિવસની ઉજવણી
પાટણના 1279માં સ્થાપના દિવસની ઉજવણી

પાટણના સ્થાપના દિવસની ઉજવણી: સવંત 802મા વનરાજ ચાવડાએ તેમના મિત્ર અણહિલ ભરવાડ અને ચાંપા વાણીયાની મદદથી પાટણ શહેરની સ્થાપના કરી હતી. ઐતિહાસીક નગર પાટણના 1279મા સ્થાપના દિવસ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા પાટણના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત એમ.એન.હાઈસ્કૂલ ખાતે વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહજી જાડેજા, વાવ સ્ટેટના ગજેન્દ્રસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વીર વનરાજ ચાવડા,નાયકાદેવી, સિદ્ધરાજ જયસિંહ,વ્યગ્રદેવની પ્રતિમાઓને માલ્યાર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યું હતું. વિરાંજલી કાર્યક્રમમાં સુરેન્દ્રનગરની નયનાબા મહેન્દ્રસિંહ જાડેજા રાજપુત કન્યા છાત્રાલયની યુવતીઓએ તલવાર રાસ પ્રસ્તુત કરીને આમંત્રિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો એ રાજપૂત સમાજના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરવાનું કાર્ય કર્યું હતુ.

રાજપુત કન્યા છાત્રાલયની યુવતીઓએ પ્રસ્તુત કર્યો તલવાર રાસ
રાજપુત કન્યા છાત્રાલયની યુવતીઓએ પ્રસ્તુત કર્યો તલવાર રાસ

વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો: પાટણના નગરદેવી કાલિકામાતાજી મંદિર ખાતે માતાજીની આરતી ઉતારી ભવ્ય શોભાયાત્રાને કુકડધ્વજથી રાજવીઓ, પાલિકા પ્રમુખે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શોભાયાત્રામાં બે બગીઓમાં રાજવીઓ ,નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, બિરાજમાન થયા હતા.શોભાયાત્રામાં નગરસેવકો,વેપારીઓ, વિવિધ સમાજના અગ્રણીઓ , વિવિધ સંસ્થાના લોકો અને શહેરીજનો જોડાયા હતા.આ શોભાયાત્રામાં સિદી ધમાલ નૃત્ય અને આદિવાસી નૃત્ય, 15 ઘોડે સવાર .જેમાં નિશાન ડંકો, નગરપાલિકા ફાયર વિભાગ ના બુલેટ સવારો રાજપૂત સમાજના લોકો અને યુવાનો જોડાયા હતા.

શોભાયાત્રા દરમિયાના ધમાલ નૃત્યએ લોકોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું
શોભાયાત્રા દરમિયાના ધમાલ નૃત્યએ લોકોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું

શાનદાર શોભાયાત્રા: શોભાયાત્રા કાલિકા માતાજી મંદિર થી પ્રસ્થાન થઈ રતનપોળ, ત્રણદરવાજા,હિંગળાચાચર,થઈ બગવાડા ખાતે સંપન્ન થઈ હતી. શોભાયાત્રા નું માર્ગો પર વેપારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું . રાજપૂત સમાજ ના યુવાનો દ્વારા તલવાર બાજી કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તો શોભાયાત્રા ના માર્ગ ઉપર સિદ્ધિ ધમાલ નૃત્ય એ લોકોમાં વિશેષ આકર્ષણ જગાવ્યું હતું .શોભાયાત્રા બગવાડા પહોંચતા રાજા વનરાજ ચાવડા અને સિદ્ધરાજ જયસિંહ ની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું.ત્યાર બાદ બગવાડા ખાતે સભા યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પાટણ ની અસ્મિતા ઉજાગર કરવા બદલ પાટણ ના નગરજનો નો આભાર વ્યક્ત કર્યો હતો.

  1. Bhavnagar: પાણી છે, ટાંકી છે, નળ છે, યોજના સફળ છે, છતાં આજે નળમાં પાણી નથી...
  2. CS Exam : મહેક સેજવાની 19 વર્ષે બની સીએસ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ માટે એપ્લાય કર્યું
Last Updated : Mar 5, 2024, 5:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.