ETV Bharat / state

રાજકોટ જિલ્લામાં ફૂડ વિભાગની કામગીરી, 2500 કિલોથી વધુ અખાદ્ય મીઠાઈનો કરાયો નાશ - FOOD DEPARTMENT

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2024, 3:23 PM IST

રાજકોટ જિલ્લામાં રોગચાળાને અટકાવવા ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાને ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. FOOD DEPARTMENT

રાજકોટ જિલ્લામાં ફૂડ વિભાગની કામગીરી
રાજકોટ જિલ્લામાં ફૂડ વિભાગની કામગીરી (Etv Bharat Gujarat)
રાજકોટ જિલ્લામાં ફૂડ વિભાગની કામગીરી (Etv Bharat Gujarat)

રાજકોટ: જિલ્લામાં રોગચાળાને અટકાવવા ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાને ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નાનામોવા નજીક 'પટેલ પેંડા' માંથી 2600 કિલો અખાદ્ય મીઠાઈ અને માવાનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.

ફૂડ વિભાગ દ્વારા 45 વેપારીઓનું ચેકિંગ કરાયું: ફૂડ વિભાગ દ્વારા ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 45 જેટલા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 17 વેપારીઓને લાયસન્સ બાબતે સૂચના આપી હતી અને પનીર, થાબડી, બરફી અને આઈસ્ક્રીમ સહિતના લેવાયા હતા. મનપાના આરોગ્ય અધિકારી રાઠોડ જણાવ્યું હતું કે, નાનામોવા ચોક ખાતે આવેલ પટેલ પેંડાવાળાને ફૂડ વિભાગ ચેકીગ કર્યું જે દરમિયાન અનેક પ્રકારની મીઠાઈ તથા ફરસાણનો ઉત્પાદન પેઢી દ્વારા કરવામાં આવતું હોવાનું જોવા મળ્યું હતું.

અંદાજિત 2600 કિગ્રા મીઠાઇનો નાશ કરાયો: તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ઉત્પાદનનો સંગ્રહ કરીને તેનું વેચાણ કરવામાં આવે છે. ત્યારે તેના કોલ્ડ સ્ટોરેજની તપાસ કરાતા પેઢી દ્વારા આવા પ્લાસ્ટિક પેકેટ બેગમાં જથ્થો તથા મીઠાઈનો મોટા પ્રમાણમાં જથ્થો સંગ્રહ કરેલો જોવા મળ્યો હતો. આ ઉપરાંત મીઠા, માવાના પેકેટ પર ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે વિગતો આપેલ ન હોવાનું અને મીઠાઇમાં ફંગસ થવા લાગ્યાનું જાણવા મળ્યું હતું. કોલ્ડ સ્ટોરેજ રૂમમાં સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મીઠાઈ મળીને અંદાજિત 2600 કિલોગ્રામ મીઠાઈનો જથ્થોનો આરોગ્ય શાખાની ટીમ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.

મીઠાઇની દુકાનોને નોટિસ ફટકારવામાં આવી: પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા સ્થળ પર હાઇજેનિક કન્ડિશન જાળવવા તેમજ પેકિંગ કરેલ ખાદ્યચીજો ઉપર કાયદા મુજબ વિગતો દર્શાવવા અને ઉત્પાદક તરીકે ફૂડ લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ કેસર શીખંડ અને સંગમ બરફીના નમૂના પણ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોઠારિયા રોડ ઉપર આવેલ સત્યમ પાર્કમાં રિયલ ડેરી ફાર્મમાંથી કેસર પૈડાના, નીલકંઠ સિનેમા પાસે સત્યમ ડેરી ફાર્મમાંથી થાબડીનું, હુડકો ક્વાર્ટર પાસે આવેલ નવનીત ડેરી ફાર્મેમાં બટરસ્કોચ બરફી તેમજ પનીરનું સેમ્પલ લેવામાં આવ્યા છે.

મીઠાઇ અને આઇસ્ક્રીમના નમૂના લેબમાં મોકલાયા: આ ઉપરાંત અન્ય ડેરી ફાર્મ અથવા મીઠાઇની દુકાનોમાંથી ફૂડ શાખા દ્વારા વિવિધ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં પનીર તેમજ થાબડી, બરફી ઉપરાંત આઈસ્ક્રીમ સહિત 10 નમુના લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જે-તે વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:

  1. કચ્છમાં ભેદી તાવથી 16 લોકોના મોત, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પરિસ્થિતિની રૂબરૂ સમીક્ષા કરી - Kutch epidemic
  2. "101 નોટ આઉટ" આઝાદી પહેલાથી ઉજવાતા અમદાવાદના ગણેશોત્સવનો રસપ્રદ ઇતિહાસ - 101 YEAR OLD GANPATI AHMEDABAD

રાજકોટ જિલ્લામાં ફૂડ વિભાગની કામગીરી (Etv Bharat Gujarat)

રાજકોટ: જિલ્લામાં રોગચાળાને અટકાવવા ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાને ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નાનામોવા નજીક 'પટેલ પેંડા' માંથી 2600 કિલો અખાદ્ય મીઠાઈ અને માવાનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.

ફૂડ વિભાગ દ્વારા 45 વેપારીઓનું ચેકિંગ કરાયું: ફૂડ વિભાગ દ્વારા ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 45 જેટલા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 17 વેપારીઓને લાયસન્સ બાબતે સૂચના આપી હતી અને પનીર, થાબડી, બરફી અને આઈસ્ક્રીમ સહિતના લેવાયા હતા. મનપાના આરોગ્ય અધિકારી રાઠોડ જણાવ્યું હતું કે, નાનામોવા ચોક ખાતે આવેલ પટેલ પેંડાવાળાને ફૂડ વિભાગ ચેકીગ કર્યું જે દરમિયાન અનેક પ્રકારની મીઠાઈ તથા ફરસાણનો ઉત્પાદન પેઢી દ્વારા કરવામાં આવતું હોવાનું જોવા મળ્યું હતું.

અંદાજિત 2600 કિગ્રા મીઠાઇનો નાશ કરાયો: તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ઉત્પાદનનો સંગ્રહ કરીને તેનું વેચાણ કરવામાં આવે છે. ત્યારે તેના કોલ્ડ સ્ટોરેજની તપાસ કરાતા પેઢી દ્વારા આવા પ્લાસ્ટિક પેકેટ બેગમાં જથ્થો તથા મીઠાઈનો મોટા પ્રમાણમાં જથ્થો સંગ્રહ કરેલો જોવા મળ્યો હતો. આ ઉપરાંત મીઠા, માવાના પેકેટ પર ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે વિગતો આપેલ ન હોવાનું અને મીઠાઇમાં ફંગસ થવા લાગ્યાનું જાણવા મળ્યું હતું. કોલ્ડ સ્ટોરેજ રૂમમાં સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મીઠાઈ મળીને અંદાજિત 2600 કિલોગ્રામ મીઠાઈનો જથ્થોનો આરોગ્ય શાખાની ટીમ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.

મીઠાઇની દુકાનોને નોટિસ ફટકારવામાં આવી: પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા સ્થળ પર હાઇજેનિક કન્ડિશન જાળવવા તેમજ પેકિંગ કરેલ ખાદ્યચીજો ઉપર કાયદા મુજબ વિગતો દર્શાવવા અને ઉત્પાદક તરીકે ફૂડ લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ કેસર શીખંડ અને સંગમ બરફીના નમૂના પણ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોઠારિયા રોડ ઉપર આવેલ સત્યમ પાર્કમાં રિયલ ડેરી ફાર્મમાંથી કેસર પૈડાના, નીલકંઠ સિનેમા પાસે સત્યમ ડેરી ફાર્મમાંથી થાબડીનું, હુડકો ક્વાર્ટર પાસે આવેલ નવનીત ડેરી ફાર્મેમાં બટરસ્કોચ બરફી તેમજ પનીરનું સેમ્પલ લેવામાં આવ્યા છે.

મીઠાઇ અને આઇસ્ક્રીમના નમૂના લેબમાં મોકલાયા: આ ઉપરાંત અન્ય ડેરી ફાર્મ અથવા મીઠાઇની દુકાનોમાંથી ફૂડ શાખા દ્વારા વિવિધ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં પનીર તેમજ થાબડી, બરફી ઉપરાંત આઈસ્ક્રીમ સહિત 10 નમુના લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જે-તે વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:

  1. કચ્છમાં ભેદી તાવથી 16 લોકોના મોત, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પરિસ્થિતિની રૂબરૂ સમીક્ષા કરી - Kutch epidemic
  2. "101 નોટ આઉટ" આઝાદી પહેલાથી ઉજવાતા અમદાવાદના ગણેશોત્સવનો રસપ્રદ ઇતિહાસ - 101 YEAR OLD GANPATI AHMEDABAD
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.