ETV Bharat / state

ઉમરપાડાના કબ્રસ્તાન માંથી બે યુવાનોના મૃતદેહ મળ્યા, તાજી ખોદાયેલી કબર દેખાતા અનેક શંકા-કુશંકા - Surat Cemetery Corpse Case

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 11, 2024, 9:24 AM IST

સુરત જિલ્લાના ઉમરપાડા કબ્રસ્તાનમાંથી બે મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગયો છે. અહીં જાણવા જેવી બાબત એ છે કે, આ બંને મૃતદેહના ગાળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે. પોલીસ આરોપીની શોધ કરી રહી છે, તો શું છે સંપૂર્ણ મામલો જાણો આ અહેવાલમાં. Surat Cemetery Corpse Case

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગામે કબ્રસ્તાનમાંથી બે લાશ મળી આવી
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગામે કબ્રસ્તાનમાંથી બે લાશ મળી આવી (Etv Bharat Gujarat)

સુરત: કબ્રસ્તાનમાંથી મળી આવ્યો મૃતદેહ! આ સાંભળવામાં સામાન્ય લાગે કારણ કે કબ્રસ્તાનમાં મૃતદેહ જ હોય ને ? પરંતુ ઉમરપાડા તાલુકાના ઊચવાણ ગામના કબ્રસ્તાનમાંથી ગળાના ભાગે ઈજાઓ થયેલ હાલતમાં બે મૃતદેહ મળી આવ્યા છે. નોંધનીય બાબત એ છે કે, તાજી ખોદાયેલી કબરમાંથી આ મૃતદેહ મળ્યા છે જે કોઈ ગંભીર ગુનો થયાની સંભાવના દર્શાવે છે. પોલીસે આ બંને મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલ્યા છે.

બંને યુવાનની હત્યા કરી કોઈ કબ્રસ્તાનમાં મૃતદેહ દાટી ગયું હોવાનું અનુમાન
બંને યુવાનની હત્યા કરી કોઈ કબ્રસ્તાનમાં મૃતદેહ દાટી ગયું હોવાનું અનુમાન (Etv Bharat Gujarat)

કબ્રસ્તાનમાં તાજી ખોદાયેલ કબર: સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે આવેલ કબ્રસ્તાનમાં લીસોટા પડેલા તેમજ તાજી ખોદાયેલ કબર પર સ્થાનિકોની નજર જતાં તેમને કઈ અજગતું લાગ્યું. શંકાસ્પદ પરિસ્થિતિ લગતા તેઓએ આ મુદ્દે તુરંત જ ઉમરપાડા પોલીસને જાણ કરી હતી. વિગતો મળતા સુરત ગ્રામ્ય DYSP બી.કે વનાર, ઉમરપાડા પોલીસ મથકના પીએસઆઈ અર્જુન સાબડ અને તેમના સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. તેમણે તાજી ખોડાયેલી કબર ઉપરથી માટી કાઢવાનું શરૂ કર્યું. ખોદકામ કરતાં આ કબરની અંદરથી બે મૃતદેહ મળી આવ્યા હતા.

બંને લાશના ગાળાના ભાગે ઇજાના નિશાન, પોલીસ લાગી તપાસમાં
બંને લાશના ગાળાના ભાગે ઇજાના નિશાન, પોલીસ લાગી તપાસમાં (Etv Bharat Gujarat)

બંનેના શરીર પર ઇજાના નિશાન: વધુ માહિતી મળતા જાણવા મળ્યું કે, આ બંને અજાણ્યા યુવાનોના મૃતદેહોને ત્રણ ફૂટ જેટલો ખાડો ખોદી દાટી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ મૃતદેહોને બહાર કાઢી પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી ત્યારે બંનેના શરીર પર ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા. જેને લઇને હાલ વધુ વિગતો જાણાવ માટે FSL ટીમની પણ મદદ લેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, બંને યુવાનની હત્યા કરી કોઈ અહીંયા મૃતદેહ દાટી ગયું છે, તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. મૃતક યુવાનો કોણ છે? કોણે તેમની હત્યા કરી? એ જાણવા પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.

  1. 'ઘરની અંદરથી 45 કિલો સોનું નીકળશે' કહી ઢોંગીએ પરિવારની મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ, 1 લાખ રૂપિયા પણ પડાવ્યા - rajkot fraud case
  2. ન્હાવા જતા મળ્યું મોત, પ્રતિબંધ હોવા છતા મહી નદીમાં ન્હાવા ગયેલા વડોદરાના બે લોકોએ જીવ ગુમાવ્યો - Vadodara accident

સુરત: કબ્રસ્તાનમાંથી મળી આવ્યો મૃતદેહ! આ સાંભળવામાં સામાન્ય લાગે કારણ કે કબ્રસ્તાનમાં મૃતદેહ જ હોય ને ? પરંતુ ઉમરપાડા તાલુકાના ઊચવાણ ગામના કબ્રસ્તાનમાંથી ગળાના ભાગે ઈજાઓ થયેલ હાલતમાં બે મૃતદેહ મળી આવ્યા છે. નોંધનીય બાબત એ છે કે, તાજી ખોદાયેલી કબરમાંથી આ મૃતદેહ મળ્યા છે જે કોઈ ગંભીર ગુનો થયાની સંભાવના દર્શાવે છે. પોલીસે આ બંને મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલ્યા છે.

બંને યુવાનની હત્યા કરી કોઈ કબ્રસ્તાનમાં મૃતદેહ દાટી ગયું હોવાનું અનુમાન
બંને યુવાનની હત્યા કરી કોઈ કબ્રસ્તાનમાં મૃતદેહ દાટી ગયું હોવાનું અનુમાન (Etv Bharat Gujarat)

કબ્રસ્તાનમાં તાજી ખોદાયેલ કબર: સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે આવેલ કબ્રસ્તાનમાં લીસોટા પડેલા તેમજ તાજી ખોદાયેલ કબર પર સ્થાનિકોની નજર જતાં તેમને કઈ અજગતું લાગ્યું. શંકાસ્પદ પરિસ્થિતિ લગતા તેઓએ આ મુદ્દે તુરંત જ ઉમરપાડા પોલીસને જાણ કરી હતી. વિગતો મળતા સુરત ગ્રામ્ય DYSP બી.કે વનાર, ઉમરપાડા પોલીસ મથકના પીએસઆઈ અર્જુન સાબડ અને તેમના સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. તેમણે તાજી ખોડાયેલી કબર ઉપરથી માટી કાઢવાનું શરૂ કર્યું. ખોદકામ કરતાં આ કબરની અંદરથી બે મૃતદેહ મળી આવ્યા હતા.

બંને લાશના ગાળાના ભાગે ઇજાના નિશાન, પોલીસ લાગી તપાસમાં
બંને લાશના ગાળાના ભાગે ઇજાના નિશાન, પોલીસ લાગી તપાસમાં (Etv Bharat Gujarat)

બંનેના શરીર પર ઇજાના નિશાન: વધુ માહિતી મળતા જાણવા મળ્યું કે, આ બંને અજાણ્યા યુવાનોના મૃતદેહોને ત્રણ ફૂટ જેટલો ખાડો ખોદી દાટી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ મૃતદેહોને બહાર કાઢી પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી ત્યારે બંનેના શરીર પર ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા. જેને લઇને હાલ વધુ વિગતો જાણાવ માટે FSL ટીમની પણ મદદ લેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, બંને યુવાનની હત્યા કરી કોઈ અહીંયા મૃતદેહ દાટી ગયું છે, તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. મૃતક યુવાનો કોણ છે? કોણે તેમની હત્યા કરી? એ જાણવા પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.

  1. 'ઘરની અંદરથી 45 કિલો સોનું નીકળશે' કહી ઢોંગીએ પરિવારની મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ, 1 લાખ રૂપિયા પણ પડાવ્યા - rajkot fraud case
  2. ન્હાવા જતા મળ્યું મોત, પ્રતિબંધ હોવા છતા મહી નદીમાં ન્હાવા ગયેલા વડોદરાના બે લોકોએ જીવ ગુમાવ્યો - Vadodara accident
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.