ETV Bharat / state

જુઓ: શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં ઊમટ્યું માનવ મહેરામણ - Second day of Shravana Monday

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 12, 2024, 6:13 PM IST

આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં દેશમાંથી શિવ ભક્તો સોમનાથ પહોંચ્યા હતા. આજે સવારે મહાદેવને વિવિધ શણગાર સાથે એકમાત્ર નીકળતી પાલખી યાત્રાના દર્શન કરીને પણ શિવભક્તોએ પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારની આસ્થા સાથે ઉજવણી કરી હતી. Second day of Shravana Monday

સોમનાથ મહાદેવ મંદિરમાં ઊમટ્યું શિવ ભક્તોનું ઘોડાપૂર
સોમનાથ મહાદેવ મંદિરમાં ઊમટ્યું શિવ ભક્તોનું ઘોડાપૂર (Etv Bharat Guarat)
જય જય સોમનાથ અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિ ગુંજી ઉઠી (Etv Bharat Guarat)

જુનાગઢ: આજે પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો સમગ્ર દેશમાંથી સોમનાથ પહોંચ્યા હતા. વહેલી સવારે 4:30 કલાકે મંદિરના કપાટ ખુલતા જય જય સોમનાથ અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિ ગુંજી ઉઠી હતી.

દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં દેશમાંથી શિવ ભક્તો સોમનાથ પહોંચ્યા
દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં દેશમાંથી શિવ ભક્તો સોમનાથ પહોંચ્યા (Etv Bharat Guarat)

સોમવારની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી: ભગવાન મહાદેવને સોમવાર અતિ પ્રિય હોય છે, જેને કારણે સોમવારના દિવસે મહાદેવના દર્શન કરવા માટે શિવભક્તો વિશેષ આવતા હોય છે. ત્યારે આજે હજારોની સંખ્યામાં શિવ ભક્તોએ વહેલી સવારે સોમેશ્વર મહાદેવના દર્શન કરીને પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી હતી.

સોમનાથ મહાદેવ મંદિરમાં ઊમટ્યું શિવ ભક્તોનું ઘોડાપૂર
સોમનાથ મહાદેવ મંદિરમાં ઊમટ્યું શિવ ભક્તોનું ઘોડાપૂર (Etv Bharat Guarat)

સવારે પાલખી યાત્રાના થયા દર્શન: દેશના બાર જ્યોતિર્લિંગ પૈકી એકમાત્ર સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાના સોમવારે અને મહા શિવરાત્રીના દિવસે સોમેશ્વર મહાદેવની પાલખી યાત્રાનું આયોજન પણ કરવામાં આવે છે. જેના ખાસ દર્શન કરવા માટે દેશમાંથી શિવ ભક્તો સોમવારની રાહ જોતા સોમનાથ પહોંચે છે. વહેલી સવારે મંદિર પરિસરમાં મહાદેવની મુખાકૃતિ સાથેની પાલખી યાત્રાનુ વિધિવત પૂજન અર્ચન કર્યા બાદ પાલખીયાત્રા મંદિરના પંડિતો દ્વારા મંદિર પરિસરના પ્રાંગણમાં લાવવામાં આવે છે. અહીં મહાદેવના દર્શન કરવા માટે આવેલા શિવ ભક્તો યાત્રામાં જોડાય છે. પાલખીયાત્રા મંદિર પરિસરને ફરતે પરિભ્રમણ કરીને પરત નિજ મંદિરમાં પરત ફરે છે. આ યાત્રાના દર્શન પણ શ્રાવણ મહિનામાં શિવ ભક્તો માટે ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. જેથી શ્રાવણ મહિનાના સોમવારે ખાસ પાલખી યાત્રાના દર્શન કરવા માટે પણ શિવભક્તો સોમનાથ આવતા હોય છે

  1. કચ્છનાં કેરા ગામમાં સ્થિત 10 મી સદીનું લાખેશ્વર મહાદેવ મંદિર, જાણો 1200 વર્ષ જૂનો ઇતિહાસ - Kutch Lakheshwar Mahadev temple
  2. ભાવનગરની સ્થાપના પહેલાનું શિવાલય: દરિયો મહાદેવના શરણે પગ પખાળતો તેવી લોકવાયકા, જુઓ Video - Shravan Month 2024

જય જય સોમનાથ અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિ ગુંજી ઉઠી (Etv Bharat Guarat)

જુનાગઢ: આજે પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો સમગ્ર દેશમાંથી સોમનાથ પહોંચ્યા હતા. વહેલી સવારે 4:30 કલાકે મંદિરના કપાટ ખુલતા જય જય સોમનાથ અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિ ગુંજી ઉઠી હતી.

દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં દેશમાંથી શિવ ભક્તો સોમનાથ પહોંચ્યા
દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં દેશમાંથી શિવ ભક્તો સોમનાથ પહોંચ્યા (Etv Bharat Guarat)

સોમવારની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી: ભગવાન મહાદેવને સોમવાર અતિ પ્રિય હોય છે, જેને કારણે સોમવારના દિવસે મહાદેવના દર્શન કરવા માટે શિવભક્તો વિશેષ આવતા હોય છે. ત્યારે આજે હજારોની સંખ્યામાં શિવ ભક્તોએ વહેલી સવારે સોમેશ્વર મહાદેવના દર્શન કરીને પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી હતી.

સોમનાથ મહાદેવ મંદિરમાં ઊમટ્યું શિવ ભક્તોનું ઘોડાપૂર
સોમનાથ મહાદેવ મંદિરમાં ઊમટ્યું શિવ ભક્તોનું ઘોડાપૂર (Etv Bharat Guarat)

સવારે પાલખી યાત્રાના થયા દર્શન: દેશના બાર જ્યોતિર્લિંગ પૈકી એકમાત્ર સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાના સોમવારે અને મહા શિવરાત્રીના દિવસે સોમેશ્વર મહાદેવની પાલખી યાત્રાનું આયોજન પણ કરવામાં આવે છે. જેના ખાસ દર્શન કરવા માટે દેશમાંથી શિવ ભક્તો સોમવારની રાહ જોતા સોમનાથ પહોંચે છે. વહેલી સવારે મંદિર પરિસરમાં મહાદેવની મુખાકૃતિ સાથેની પાલખી યાત્રાનુ વિધિવત પૂજન અર્ચન કર્યા બાદ પાલખીયાત્રા મંદિરના પંડિતો દ્વારા મંદિર પરિસરના પ્રાંગણમાં લાવવામાં આવે છે. અહીં મહાદેવના દર્શન કરવા માટે આવેલા શિવ ભક્તો યાત્રામાં જોડાય છે. પાલખીયાત્રા મંદિર પરિસરને ફરતે પરિભ્રમણ કરીને પરત નિજ મંદિરમાં પરત ફરે છે. આ યાત્રાના દર્શન પણ શ્રાવણ મહિનામાં શિવ ભક્તો માટે ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. જેથી શ્રાવણ મહિનાના સોમવારે ખાસ પાલખી યાત્રાના દર્શન કરવા માટે પણ શિવભક્તો સોમનાથ આવતા હોય છે

  1. કચ્છનાં કેરા ગામમાં સ્થિત 10 મી સદીનું લાખેશ્વર મહાદેવ મંદિર, જાણો 1200 વર્ષ જૂનો ઇતિહાસ - Kutch Lakheshwar Mahadev temple
  2. ભાવનગરની સ્થાપના પહેલાનું શિવાલય: દરિયો મહાદેવના શરણે પગ પખાળતો તેવી લોકવાયકા, જુઓ Video - Shravan Month 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.