ETV Bharat / state

મેઘરાજાએ રાજકોટ રમણભમણ કર્યું : જનજીવન પ્રભાવિત-શહેર જળબંબાકાર, 1299 લોકોનું સ્થળાંતર કરાયું - Rajkot Rainfall Update

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2024, 10:23 AM IST

રાજ્યભરમાં વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. રાજકોટ જિલ્લા અને શહેરમાં પણ સ્થિતિ ખરાબ છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજકોટ શહેરમાં 25 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ થયું છે.

મેઘરાજાએ રાજકોટ રમણભમણ કર્યું
મેઘરાજાએ રાજકોટ રમણભમણ કર્યું (ETV Bharat Gujarat)

રાજકોટ : શનિવાર રાતથી રાજકોટ શહેરમાં 25 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શનિવારે રાત્રે 2.30 વાગ્યાથી રવિવારે સવારે 12 વાગ્યા સુધીમાં 8 ઈંચ વરસાદ પડ્યો, સોમવારે દિવસભર સતત વરસાદ પડ્યો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મંગળવાર રાતથી વરસાદે જોર પકડ્યું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને વહીવટી તંત્ર બચાવ અને રાહત કામગીરીમાં લાગ્યું છે.

પરિવહનના તમામ માધ્યમ પ્રભાવિત (ETV Bharat Gujarat)

શહેરમાં જળબંબાકારની સ્થિતિ : હવામાન વિભાગે જાહેર કરેલ રેડ એલર્ટના પગલે રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રએ તૈયારી કરી લીધી છે. રાત્રિ દરમિયાન વરસાદનું જોર વધતાં સ્થળાંતર અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના જંગલેશ્વર, ભગવતીપરા, રામનાથપરા જેવા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને મહાનગરપાલિકાની શાળામાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફૂડ પેકેટ અને પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

1299 લોકોનું સ્થળાંતર : જિલ્લાની નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. વહેલી સવારે લાલુ દે વોંકલી પાસે એક દંપતી તણાયા હોવાના સમાચાર મળ્યા છે. વહીવટીતંત્રે બચાવ કામગીરી હાથ ધરી હતી. પરંતુ આધેડનું મોત થઈ ગયું, જ્યારે મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ભારે વરસાદના કારણે શહેરના 30થી વધુ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોથી લઈને પોશ વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. કુલ 1299 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

શહેર જળબંબાકાર, 1299 લોકોનું સ્થળાંતર કરાયું (ETV Bharat Gujarat)

આશ્રયસ્થાન તૈયાર : જંગલેશ્વર સહિતના નીચાણવાળા વિસ્તારમાં માઇક દ્વારા જાહેરાત કરી લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું હતું. જંગલેશ્વરના એકતા કોલોની 110 લોકોને શાળા નંબર 70માં ખસેડવામાં આવ્યા, અન્ય નીચાણવાળા વિસ્તારમાંથી 70 લોકોને ભગવતીપરા ખાતે આવેલ શાળા નંબર 43 માં ખસેડવામાં આવ્યા હતા. સાથે જ 79 લોકોને ભગવતીપરાની શાળા નંબર 63 અને લુહાર જ્ઞાતિની વાડી, શાળા નંબર 71, વોર્ડ નંબર 15 રેનબસેરા સહિતના સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. કુલ 1299 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

આશ્રયસ્થાન તૈયાર
આશ્રયસ્થાન તૈયાર (ETV Bharat Gujarat)

ઢોરવાડામાં પશુઓના મોત ? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ભરવાડ સમાજના આગેવાનોએ રાજકોટના ઢોરવાડામાં અતિવૃષ્ટિને કારણે 27 ગાયોના મોત થયાનો આક્ષેપ પણ કર્યો હતો. જોકે, મહાનગરપાલિકાના વેટરનરી ઓફિસરે વિપક્ષના તમામ આક્ષેપોને નકારી કાઢતાં કહ્યું હતું કે, ચાલુ વરસાદને કારણે બે દિવસમાં 11 પશુઓ રોગના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે, તેમાં એક પણ ગાય નથી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, પશુઓને દરરોજ બે વખત સંપૂર્ણ ઘાસ અને ઘાસચારો આપવામાં આવે છે.

આજે પણ શાળાઓમાં રજા : ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. વરસાદના કારણે શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ છે. દરમિયાન આજે પણ શાળાઓમાં રજા આપવામાં આવી હતી. શહેરમાં 100 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા, જેમાંથી 60 વૃક્ષો દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ સાંજ સુધીમાં વૃક્ષોએ અનેક વિસ્તારોમાં રસ્તાઓ બ્લોક કરી દીધા હતા.

શહેરમાં જળબંબાકારની સ્થિતિ
શહેરમાં જળબંબાકારની સ્થિતિ (ETV Bharat Gujarat)

તમામ અંડરબ્રિજ બંધ : રાજકોટ શહેરના મહિલા કોલેજ અંડરબ્રિજ, રેલનગર અંડરબ્રિજ, પોપટપરા નાળા, એસ્ટ્રો ચોક નાળા, લક્ષ્મીનગર અંડરબ્રિજમાં નાગરિકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે શહેરની જીવાદોરી સમાન આજી ડેમ સવારે 6 વાગ્યે ઓવરફ્લો થયો હતો. ન્યારી-1 ડેમમાં પણ પાણીનો પ્રવાહ આવવા લાગ્યો, જેના કારણે રૂલ લેવલ જાળવવા ન્યારી-1 ડેમના 9 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા હતા.

પરિવહનના તમામ માધ્યમ પ્રભાવિત : રાજકોટ-અમદાવાદ હાઇવે પર સ્થિત હિરાસર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારે વરસાદને કારણે એક ચાર્ટર પ્લેન રદ કરવામાં આવ્યું, જ્યારે મુંબઈ અને અમદાવાદની બે ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે ફસાઈ ગઈ હતી. આ ઉપરાંત વરસાદના કારણે એસટી બસ સેવાને પણ અસર થઈ હતી. રાજકોટ એસટી ડિવિઝન હેઠળના રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ ગામોમાં જતી એસટી બસો રદ કરવામાં આવી હતી. નદી-નાળા છલકાઈ જતાં અંતરિયાળ વિસ્તારમાં જતી બસના મુસાફરો માટે જોખમ ઊભું થયું હતું.

શહેરમાં જળબંબાકારની સ્થિતિ
શહેરમાં જળબંબાકારની સ્થિતિ (ETV Bharat Gujarat)

ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી અને ઘણી ટ્રેનોના રૂટ ટૂંકા કરવામાં આવ્યા છે. રાજકોટ DRM અશ્વિની કુમારે જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઘણા ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી અને ઘણી ટ્રેનોના રૂટ ટૂંકા કરવામાં આવ્યા છે. જે વિસ્તારમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે ત્યાં રેલવે કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

  1. ગુજરાતમાં સિઝનનો 99 ટકા વરસાદ, જાણો સૌથી વધુ વરસાદ ક્યાં ખાબક્યો ?
  2. સામખીયાળીથી માળીયા નેશનલ હાઈવે બંધ, જાણો મોરબી જિલ્લાની સ્થિતિ

રાજકોટ : શનિવાર રાતથી રાજકોટ શહેરમાં 25 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શનિવારે રાત્રે 2.30 વાગ્યાથી રવિવારે સવારે 12 વાગ્યા સુધીમાં 8 ઈંચ વરસાદ પડ્યો, સોમવારે દિવસભર સતત વરસાદ પડ્યો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મંગળવાર રાતથી વરસાદે જોર પકડ્યું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને વહીવટી તંત્ર બચાવ અને રાહત કામગીરીમાં લાગ્યું છે.

પરિવહનના તમામ માધ્યમ પ્રભાવિત (ETV Bharat Gujarat)

શહેરમાં જળબંબાકારની સ્થિતિ : હવામાન વિભાગે જાહેર કરેલ રેડ એલર્ટના પગલે રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રએ તૈયારી કરી લીધી છે. રાત્રિ દરમિયાન વરસાદનું જોર વધતાં સ્થળાંતર અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના જંગલેશ્વર, ભગવતીપરા, રામનાથપરા જેવા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને મહાનગરપાલિકાની શાળામાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફૂડ પેકેટ અને પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

1299 લોકોનું સ્થળાંતર : જિલ્લાની નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. વહેલી સવારે લાલુ દે વોંકલી પાસે એક દંપતી તણાયા હોવાના સમાચાર મળ્યા છે. વહીવટીતંત્રે બચાવ કામગીરી હાથ ધરી હતી. પરંતુ આધેડનું મોત થઈ ગયું, જ્યારે મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ભારે વરસાદના કારણે શહેરના 30થી વધુ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોથી લઈને પોશ વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. કુલ 1299 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

શહેર જળબંબાકાર, 1299 લોકોનું સ્થળાંતર કરાયું (ETV Bharat Gujarat)

આશ્રયસ્થાન તૈયાર : જંગલેશ્વર સહિતના નીચાણવાળા વિસ્તારમાં માઇક દ્વારા જાહેરાત કરી લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું હતું. જંગલેશ્વરના એકતા કોલોની 110 લોકોને શાળા નંબર 70માં ખસેડવામાં આવ્યા, અન્ય નીચાણવાળા વિસ્તારમાંથી 70 લોકોને ભગવતીપરા ખાતે આવેલ શાળા નંબર 43 માં ખસેડવામાં આવ્યા હતા. સાથે જ 79 લોકોને ભગવતીપરાની શાળા નંબર 63 અને લુહાર જ્ઞાતિની વાડી, શાળા નંબર 71, વોર્ડ નંબર 15 રેનબસેરા સહિતના સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. કુલ 1299 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

આશ્રયસ્થાન તૈયાર
આશ્રયસ્થાન તૈયાર (ETV Bharat Gujarat)

ઢોરવાડામાં પશુઓના મોત ? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ભરવાડ સમાજના આગેવાનોએ રાજકોટના ઢોરવાડામાં અતિવૃષ્ટિને કારણે 27 ગાયોના મોત થયાનો આક્ષેપ પણ કર્યો હતો. જોકે, મહાનગરપાલિકાના વેટરનરી ઓફિસરે વિપક્ષના તમામ આક્ષેપોને નકારી કાઢતાં કહ્યું હતું કે, ચાલુ વરસાદને કારણે બે દિવસમાં 11 પશુઓ રોગના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે, તેમાં એક પણ ગાય નથી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, પશુઓને દરરોજ બે વખત સંપૂર્ણ ઘાસ અને ઘાસચારો આપવામાં આવે છે.

આજે પણ શાળાઓમાં રજા : ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. વરસાદના કારણે શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ છે. દરમિયાન આજે પણ શાળાઓમાં રજા આપવામાં આવી હતી. શહેરમાં 100 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા, જેમાંથી 60 વૃક્ષો દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ સાંજ સુધીમાં વૃક્ષોએ અનેક વિસ્તારોમાં રસ્તાઓ બ્લોક કરી દીધા હતા.

શહેરમાં જળબંબાકારની સ્થિતિ
શહેરમાં જળબંબાકારની સ્થિતિ (ETV Bharat Gujarat)

તમામ અંડરબ્રિજ બંધ : રાજકોટ શહેરના મહિલા કોલેજ અંડરબ્રિજ, રેલનગર અંડરબ્રિજ, પોપટપરા નાળા, એસ્ટ્રો ચોક નાળા, લક્ષ્મીનગર અંડરબ્રિજમાં નાગરિકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે શહેરની જીવાદોરી સમાન આજી ડેમ સવારે 6 વાગ્યે ઓવરફ્લો થયો હતો. ન્યારી-1 ડેમમાં પણ પાણીનો પ્રવાહ આવવા લાગ્યો, જેના કારણે રૂલ લેવલ જાળવવા ન્યારી-1 ડેમના 9 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા હતા.

પરિવહનના તમામ માધ્યમ પ્રભાવિત : રાજકોટ-અમદાવાદ હાઇવે પર સ્થિત હિરાસર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારે વરસાદને કારણે એક ચાર્ટર પ્લેન રદ કરવામાં આવ્યું, જ્યારે મુંબઈ અને અમદાવાદની બે ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે ફસાઈ ગઈ હતી. આ ઉપરાંત વરસાદના કારણે એસટી બસ સેવાને પણ અસર થઈ હતી. રાજકોટ એસટી ડિવિઝન હેઠળના રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ ગામોમાં જતી એસટી બસો રદ કરવામાં આવી હતી. નદી-નાળા છલકાઈ જતાં અંતરિયાળ વિસ્તારમાં જતી બસના મુસાફરો માટે જોખમ ઊભું થયું હતું.

શહેરમાં જળબંબાકારની સ્થિતિ
શહેરમાં જળબંબાકારની સ્થિતિ (ETV Bharat Gujarat)

ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી અને ઘણી ટ્રેનોના રૂટ ટૂંકા કરવામાં આવ્યા છે. રાજકોટ DRM અશ્વિની કુમારે જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઘણા ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી અને ઘણી ટ્રેનોના રૂટ ટૂંકા કરવામાં આવ્યા છે. જે વિસ્તારમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે ત્યાં રેલવે કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

  1. ગુજરાતમાં સિઝનનો 99 ટકા વરસાદ, જાણો સૌથી વધુ વરસાદ ક્યાં ખાબક્યો ?
  2. સામખીયાળીથી માળીયા નેશનલ હાઈવે બંધ, જાણો મોરબી જિલ્લાની સ્થિતિ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.