ETV Bharat / state

રાધનપુરમાં એસટી બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, ચારના મોત, 10 લોકો ઘાયલ - Patan Accident

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 12, 2024, 1:11 PM IST

રાધનપુરમાં એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બસ અને ટ્રકના ડ્રાઈવર તથા કંડક્ટરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઉપરાંત બસમાં સવાર કેટલાક મુસાફરોને ઇજા પહોંચી હતી. પોલીસ સહિત સેવાભાવી સંસ્થાઓએ સ્થળ પર પહોંચી રાહત કામગીરી શરુ કરી હતી.

એસટી બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર
એસટી બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર (ETV Bharat Reporter)

પાટણ : રાધનપુર સમી વચ્ચે ખારિયાના પુલ પર જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં એસટી બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. જેમાં ચાર લોકોના મોત નીપજ્યા, જ્યારે અન્ય 10 લોકો ઘાયલ થયા છે. આ અંગે જાણ થતા રાધનપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ એમ્બ્યુલન્સ અને સેવાભાવી લોકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

રાધનપુરમાં એસટી બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર (ETV Bharat Reporter)

જીવલેણ અકસ્માત : આ અંગે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના રાધનપુર સમી વચ્ચે ખારિયાના પુલ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. ખારિયાના પુલ પાસે રાપરીયા હનુમાનથી આગળના ભાગે આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં બસના ડ્રાઇવર અને કંડકટરનું મોત થયું છે. સાથે જ 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ચાર લોકોના દુઃખદ મોત : આ અકસ્માતમાં ખેરાલુ પાસે સુંઢિયા ગામના એસટી ડ્રાઈવર કનુજીભાઈ અને રાધનપુર તાલુકાના અમીરપુરા મસાલીના કંડકટર લાલાભાઈ ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી તરફ ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટરનું પણ મોત થયું હતું. જેમાં એક બામરોલી ગામના ઠાકોર સમાજ અને બીજા બજાણીયા સમાજના વારઈ તાલુકાના હતા. ઉપરાંત એસટી બસમાં સવાર મુસાફરો પૈકી કેટલાકને નાની મોટી ઇજા પહોંચી હતી. જેમાંથી બે ઈજાગ્રસ્તને પાટણ મહેસાણા રીફર કરવામાં આવ્યા છે.

બચાવ અને રાહત કામગીરી : પોલીસ તથા એસ.ટી નિગમના કર્મચારીઓ તથા બે ક્રેન હાઇડ્રા લઈને ટ્રક અને બસને છૂટી પાડવાની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. ઉપરાંત ચારેય મૃતકોના મૃતદેહને રાધનપુરની સેવાભાવી સંસ્થા અમરજીવન સમર્પણની એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલના પીએમ રૂમ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

  1. સાંતલપુરના સીધાડાની કેમિકલ કંપનીમાં શ્રમિકનું મોત, કંપની સામે પરિવારનો આરોપ
  2. ગેરકાયદે રેતી ભરેલ ડમ્પરને રોકતા ડમ્પર માલિકે રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર કર્યો હુમલો

પાટણ : રાધનપુર સમી વચ્ચે ખારિયાના પુલ પર જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં એસટી બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. જેમાં ચાર લોકોના મોત નીપજ્યા, જ્યારે અન્ય 10 લોકો ઘાયલ થયા છે. આ અંગે જાણ થતા રાધનપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ એમ્બ્યુલન્સ અને સેવાભાવી લોકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

રાધનપુરમાં એસટી બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર (ETV Bharat Reporter)

જીવલેણ અકસ્માત : આ અંગે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના રાધનપુર સમી વચ્ચે ખારિયાના પુલ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. ખારિયાના પુલ પાસે રાપરીયા હનુમાનથી આગળના ભાગે આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં બસના ડ્રાઇવર અને કંડકટરનું મોત થયું છે. સાથે જ 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ચાર લોકોના દુઃખદ મોત : આ અકસ્માતમાં ખેરાલુ પાસે સુંઢિયા ગામના એસટી ડ્રાઈવર કનુજીભાઈ અને રાધનપુર તાલુકાના અમીરપુરા મસાલીના કંડકટર લાલાભાઈ ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી તરફ ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટરનું પણ મોત થયું હતું. જેમાં એક બામરોલી ગામના ઠાકોર સમાજ અને બીજા બજાણીયા સમાજના વારઈ તાલુકાના હતા. ઉપરાંત એસટી બસમાં સવાર મુસાફરો પૈકી કેટલાકને નાની મોટી ઇજા પહોંચી હતી. જેમાંથી બે ઈજાગ્રસ્તને પાટણ મહેસાણા રીફર કરવામાં આવ્યા છે.

બચાવ અને રાહત કામગીરી : પોલીસ તથા એસ.ટી નિગમના કર્મચારીઓ તથા બે ક્રેન હાઇડ્રા લઈને ટ્રક અને બસને છૂટી પાડવાની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. ઉપરાંત ચારેય મૃતકોના મૃતદેહને રાધનપુરની સેવાભાવી સંસ્થા અમરજીવન સમર્પણની એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલના પીએમ રૂમ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

  1. સાંતલપુરના સીધાડાની કેમિકલ કંપનીમાં શ્રમિકનું મોત, કંપની સામે પરિવારનો આરોપ
  2. ગેરકાયદે રેતી ભરેલ ડમ્પરને રોકતા ડમ્પર માલિકે રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર કર્યો હુમલો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.