ETV Bharat / state

પંજાબના તરનતારનમાં બિનહરીફ ચૂંટાયેલા સરપંચની ગોળી મારી હત્યા, ફાયરિંગમાં અન્ય બે ઘાયલ

પંજાબ પંચાયત ચૂંટણી દરમિયાન તરનતારનમાં બિનહરીફ વિજેતા જાહેર કરાયેલા સરપંચની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

પંજાબના તરનતારનમાં બિનહરીફ ચૂંટાયેલા સરપંચની ગોળી મારી હત્યા
પંજાબના તરનતારનમાં બિનહરીફ ચૂંટાયેલા સરપંચની ગોળી મારી હત્યા (Etv Bharat)

તરનતારનઃ પંજાબમાં પંચાયત ચૂંટણી દરમિયાન હિંસા જોવા મળી રહી છે. હવે તરનતારનમાં હિંસા થઈ છે. ઠક્કરપુરા ગામમાં ચર્ચ પાસે એક મોટરસાઇકલ પર સવાર ત્રણ યુવકોએ કાર ચાલક પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં રાજવિંદર સિંહ ઉર્ફે રાજ તલવંડીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને અન્ય બેને ઇજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રાજવિંદર સિંહને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વિજયની ઉજવણીમાં રાજવિન્દર સિંહ તેના મિત્રો સાથે કારમાં પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે ઠક્કરપુરા ગામ પાસે મોટરસાઈકલ પર સવાર ત્રણ યુવાનોએ તેમની કાર રોકી હતી અને રાજવિંદર સિંહને સરપંચ તરીકે અભિનંદન આપ્યા હતા અને ગોળીઓ પણ ચલાવી હતી. જેમાં રાજવિંદર સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા.

  1. પંજાબમાં એકસાથે બે AAP સાંસદના ઘરે ED રેડ: સિસોદિયાએ કહ્યું- 'PM મોદીએ પોપટ-મૈનાને ખુલ્લા મૂક્યા' - ED RAIDS ON AAP MP SANJEEV ARORA

તરનતારનઃ પંજાબમાં પંચાયત ચૂંટણી દરમિયાન હિંસા જોવા મળી રહી છે. હવે તરનતારનમાં હિંસા થઈ છે. ઠક્કરપુરા ગામમાં ચર્ચ પાસે એક મોટરસાઇકલ પર સવાર ત્રણ યુવકોએ કાર ચાલક પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં રાજવિંદર સિંહ ઉર્ફે રાજ તલવંડીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને અન્ય બેને ઇજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રાજવિંદર સિંહને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વિજયની ઉજવણીમાં રાજવિન્દર સિંહ તેના મિત્રો સાથે કારમાં પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે ઠક્કરપુરા ગામ પાસે મોટરસાઈકલ પર સવાર ત્રણ યુવાનોએ તેમની કાર રોકી હતી અને રાજવિંદર સિંહને સરપંચ તરીકે અભિનંદન આપ્યા હતા અને ગોળીઓ પણ ચલાવી હતી. જેમાં રાજવિંદર સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા.

  1. પંજાબમાં એકસાથે બે AAP સાંસદના ઘરે ED રેડ: સિસોદિયાએ કહ્યું- 'PM મોદીએ પોપટ-મૈનાને ખુલ્લા મૂક્યા' - ED RAIDS ON AAP MP SANJEEV ARORA
Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.