ETV Bharat / state

'પોઇચા જેવું મંદિર બનશે'- કહી છેતરપિંડી કરનાર MP સ્વામીના સાગરિતને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો - Land scam in Rajkot

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2024, 7:59 PM IST

રાજકોટમાં રહેતા મહિલા પીએસઆઇના પતિ અને એડવોકેટ સાથે 3 કરોડથી વધુ રકમની છેતરપીંડી થઈ હતી. જેમાં પોતાને વડતાલ મંદિરનો ખજાનચી કહેવડાવતો આરોપી લાલજી બાઉભાઈ ઢોલા ઝડપાઇ ગયો છે. સુરતની સરથાણા પોલીસે ધરપકડ કરી હતી. જાણો સપૂર્ણ વિગત આ અહેવાલમાં. Land scam in Rajkot

MP સ્વામીના સાગરિતને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો
MP સ્વામીના સાગરિતને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો (Etv Bharat Gujarat)
આરોપી લાલજી ઢોલા કામરેજની ખાનગી સ્કૂલમાં શિક્ષક છે અને જમીન દલાલીનું પણ કામ કરે છે (Etv Bharat Gujarat)

રાજકોટ: શહેરમાં થયેલ જમીન કોભાંડમાં છેતરપિંડી કરનાર સ્વામીના સાગરિતને સરથાણા પોલીસે ઝડપી લીધો. પોતાને વડતાલ મંદિરનો ખજાનચી કહેવડાવતો 36 વર્ષીય મૂળ ગિરસોમનાથનો વાતની જે હાલ સુરતમાં રહે છે, આરોપી લાલજી બાઉભાઈ ઢોલાની ગુનામાં સંડોવણી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, લાલજી ઢોલા કામરેજની ખાનગી સ્કૂલમાં શિક્ષક છે અને જમીન દલાલીનું પણ કામ કરે છે.

શું કહે છે પોલીસ: આ મામલે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, સુરતના સરથાણા પોલીસને બાતમી મળી હતી કે રાજકોટના આ કેસનો એક આરોપી લાલજી ઢોલા સુરતના સરથાણા વિસ્તારમાં છે. જેથી બાતમી આધારે સરથાણા પોલીસે તાત્કાલિક પગલાં લઈને લાલજી ઢોલાને પકડી પાડ્યો હતો. હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપી અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

MP સ્વામીના સાગરિતને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો
MP સ્વામીના સાગરિતને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો (Etv Bharat Gujarat)

શું છે સંપૂર્ણ છેતરપિંડીનો મામલો: ધંધાર્થીઓને ખેડૂત સાથે ડીલિંગ કરાવતા સ્વામી અને તેમના મળતિયાઓ કોઈપણ જમીન મકાનના ધંધાર્થીને મળી વિશ્વાસ કેળવી મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદ કરવી છે તેવું કહેતા હતા. જેમાં ખેડૂત સાથે ડીલિંગ કરવા સ્વામીના બદલે જે તે વ્યક્તિને કહેતા હતા. તેઓ ધંધાર્થીને કહેતા કે 'જો આપ સોદો કરશો તો જમીન સસ્તી મળશે અને તે પૈકી અમુક રકમ તમને આપવામાં આવશે. બાદમાં તમારે અમને જમીન અમારા નામે કરાવી દેવી.' અને આ સાંભળી જે તે વ્યક્તિ તેમની વાત માની લેતા હતા. આ વાતચીત થયા બાદ સ્વામીના મળતિયાઓ પૈકીના દલાલ અને ખેડૂત આવી સોદો નક્કી કરતા અને બાદમાં સાટાખત કરાવી રૂપિયા પડાવી લેતા હોય છે. ત્યારબાદ રકમ પરત આપવા અને જમીન તેમના નામે કરાવી આપવા ગલ્લાંતલ્લાં કરતા હતા.

MP સ્વામીના સાગરિતને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો
MP સ્વામીના સાગરિતને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો (Etv Bharat Gujarat)

ભક્તિનગર પોલીસમાં 3.40 કરોડની છેતરપિંડી ફરિયાદ: છેતરપિંડીની જાણ થતાં આવી જ રીતે ફસાયેલા રાજકોટ જિલ્લામાં જમીન-મકાનનું કામ કરતા જસ્મીન માઢકે જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણસ્વામી ઉર્ફે જેકે સ્વામી, અંકલેશ્વર ઋષિકુલ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભૂપેન્દ્ર શનાભાઈ પટેલ અને લિંબના વિજય આલુસિહ ચૌહાણ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રૂપિયા 3.40 કરોડની છેતરપિંડી આચર્યા અંગે ફરિયાદ નોંધાવી છે. આમ કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધવાઈ હતી.

ખોટા દલાલ-ખેડૂત ઊભા કરી 3 કરોડથી વધુ રૂપિયા પડાવ્યા: છેતરપિંડી કરનાર આ લોકોએ ખોટા ખેડૂત ઊભા કરી રૂપિયા 3 કરોડથી વધુ રૂપિયા પડાવ્યા હતા. જેની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમાં ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ શખ્સો વિરુદ્ધ અગાઉ પણ રાજકોટ ઉપરાંત સુરત, અમદાવાદ, આણંદ અને નડિયાદ સહિત પોલીસ સ્ટેશનમાં આઠ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ તમામ શખસો ખુલ્લા ફરી રહ્યા છે જેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

  1. રીંછ બાદ હવે અજગરનું રેસ્ક્યૂ: જુઓ ભાદરવી પૂનમના મહામેળા પહેલા અંબાજીના પાંછામાં કરાયું અજગરનું રેસ્ક્યૂ - 10 feet long python rescued
  2. રાજકોટમાં જમીન કૌભાંડમાં સ્વામિનારાયણ સાધુઓ સહિતના આઠ સામે ફરિયાદ, કુલ 3.40 કરોડની કરી છેતરપીંડી - Complaint against eight for fraud

આરોપી લાલજી ઢોલા કામરેજની ખાનગી સ્કૂલમાં શિક્ષક છે અને જમીન દલાલીનું પણ કામ કરે છે (Etv Bharat Gujarat)

રાજકોટ: શહેરમાં થયેલ જમીન કોભાંડમાં છેતરપિંડી કરનાર સ્વામીના સાગરિતને સરથાણા પોલીસે ઝડપી લીધો. પોતાને વડતાલ મંદિરનો ખજાનચી કહેવડાવતો 36 વર્ષીય મૂળ ગિરસોમનાથનો વાતની જે હાલ સુરતમાં રહે છે, આરોપી લાલજી બાઉભાઈ ઢોલાની ગુનામાં સંડોવણી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, લાલજી ઢોલા કામરેજની ખાનગી સ્કૂલમાં શિક્ષક છે અને જમીન દલાલીનું પણ કામ કરે છે.

શું કહે છે પોલીસ: આ મામલે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, સુરતના સરથાણા પોલીસને બાતમી મળી હતી કે રાજકોટના આ કેસનો એક આરોપી લાલજી ઢોલા સુરતના સરથાણા વિસ્તારમાં છે. જેથી બાતમી આધારે સરથાણા પોલીસે તાત્કાલિક પગલાં લઈને લાલજી ઢોલાને પકડી પાડ્યો હતો. હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપી અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

MP સ્વામીના સાગરિતને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો
MP સ્વામીના સાગરિતને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો (Etv Bharat Gujarat)

શું છે સંપૂર્ણ છેતરપિંડીનો મામલો: ધંધાર્થીઓને ખેડૂત સાથે ડીલિંગ કરાવતા સ્વામી અને તેમના મળતિયાઓ કોઈપણ જમીન મકાનના ધંધાર્થીને મળી વિશ્વાસ કેળવી મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદ કરવી છે તેવું કહેતા હતા. જેમાં ખેડૂત સાથે ડીલિંગ કરવા સ્વામીના બદલે જે તે વ્યક્તિને કહેતા હતા. તેઓ ધંધાર્થીને કહેતા કે 'જો આપ સોદો કરશો તો જમીન સસ્તી મળશે અને તે પૈકી અમુક રકમ તમને આપવામાં આવશે. બાદમાં તમારે અમને જમીન અમારા નામે કરાવી દેવી.' અને આ સાંભળી જે તે વ્યક્તિ તેમની વાત માની લેતા હતા. આ વાતચીત થયા બાદ સ્વામીના મળતિયાઓ પૈકીના દલાલ અને ખેડૂત આવી સોદો નક્કી કરતા અને બાદમાં સાટાખત કરાવી રૂપિયા પડાવી લેતા હોય છે. ત્યારબાદ રકમ પરત આપવા અને જમીન તેમના નામે કરાવી આપવા ગલ્લાંતલ્લાં કરતા હતા.

MP સ્વામીના સાગરિતને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો
MP સ્વામીના સાગરિતને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો (Etv Bharat Gujarat)

ભક્તિનગર પોલીસમાં 3.40 કરોડની છેતરપિંડી ફરિયાદ: છેતરપિંડીની જાણ થતાં આવી જ રીતે ફસાયેલા રાજકોટ જિલ્લામાં જમીન-મકાનનું કામ કરતા જસ્મીન માઢકે જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણસ્વામી ઉર્ફે જેકે સ્વામી, અંકલેશ્વર ઋષિકુલ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભૂપેન્દ્ર શનાભાઈ પટેલ અને લિંબના વિજય આલુસિહ ચૌહાણ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રૂપિયા 3.40 કરોડની છેતરપિંડી આચર્યા અંગે ફરિયાદ નોંધાવી છે. આમ કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધવાઈ હતી.

ખોટા દલાલ-ખેડૂત ઊભા કરી 3 કરોડથી વધુ રૂપિયા પડાવ્યા: છેતરપિંડી કરનાર આ લોકોએ ખોટા ખેડૂત ઊભા કરી રૂપિયા 3 કરોડથી વધુ રૂપિયા પડાવ્યા હતા. જેની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમાં ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ શખ્સો વિરુદ્ધ અગાઉ પણ રાજકોટ ઉપરાંત સુરત, અમદાવાદ, આણંદ અને નડિયાદ સહિત પોલીસ સ્ટેશનમાં આઠ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ તમામ શખસો ખુલ્લા ફરી રહ્યા છે જેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

  1. રીંછ બાદ હવે અજગરનું રેસ્ક્યૂ: જુઓ ભાદરવી પૂનમના મહામેળા પહેલા અંબાજીના પાંછામાં કરાયું અજગરનું રેસ્ક્યૂ - 10 feet long python rescued
  2. રાજકોટમાં જમીન કૌભાંડમાં સ્વામિનારાયણ સાધુઓ સહિતના આઠ સામે ફરિયાદ, કુલ 3.40 કરોડની કરી છેતરપીંડી - Complaint against eight for fraud
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.